ટ્રેનમાં રોકડની જરૂર પડી ગઈ છે? નો ટેન્શન, રેલવેએ ટ્રેનમાં ATM મશીન જ મૂકી દીધું

ઘણીવાર લોકોને ટ્રેનોમાં મુસાફરી કરતી વખતે રોકડની સમસ્યાનો સામનો કરવો પડે છે. ક્યારેક, જે લોકો ખુબ જ ઉતાવળે મુસાફરી કરવા નીકળ્યા હોય છે તેઓ પોતાની સાથે રોકડ રાખી શકતા નથી અને તેથી, તેમને દરેક વખતે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ટ્રેનોમાં મોટાભાગે રોકડનો ઉપયોગ ખાવાનું, પાણી કે કોલ્ડ ડ્રિન્ક સહીત અન્ય વસ્તુઓ ખરીદવા માટે થાય છે. આવી સ્થિતિમાં, ભારતીય રેલ્વેએ આ સમસ્યાનો અંત લાવવા માટે એક પ્રયોગ કર્યો છે, જેના પછી ટૂંક સમયમાં ટ્રેનોમાં ATM મશીનો લગાવવામાં આવી શકે છે.

મુસાફરો કોઈપણ મુશ્કેલી વિના પૈસા ઉપાડી શકે છે કે કેમ તે જોવા માટે રેલવેએ ટ્રાયલ ધોરણે ટ્રેનમાં ATM મશીન લગાવ્યું છે. જો આ ટ્રાયલ સફળ થશે તો ખૂબ જ ટૂંક સમયમાં લોકો ચાલતી ટ્રેનમાં પણ ATMમાંથી પૈસા ઉપાડી શકશે અને રોકડની સમસ્યાથી બચી શકશે. આ ATM પંચવટી એક્સપ્રેસમાં લગાવવામાં આવ્યું છે.

Indian Railways, ATM Service
ibc24.in

ભારતીય રેલ્વેએ હવે મુસાફરોની સુવિધા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. હવે ચાલતી ટ્રેનમાં પણ ATM માંથી પૈસા ઉપાડી શકાશે. આ સુવિધા હાલમાં ટ્રાયલ મોડ પર શરૂ કરવામાં આવી છે. મનમાડથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સુધી દોડતી પંચવટી એક્સપ્રેસમાં ATM મશીન લગાવવામાં આવ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ રેલ્વે (CR)એ મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલ ધોરણે ઓટોમેટિક ટેલર મશીન (ATM) ઇન્સ્ટોલ કર્યું છે. તેમણે કહ્યું કે, ખાનગી બેંક દ્વારા પૂરું પાડવામાં આવેલ ATM દૈનિક સેવાના એર-કન્ડિશન્ડ ચેર કાર કોચમાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં મુસાફરો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Indian Railways, ATM Service
hindi.moneycontrol.com

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ATM કોચના પાછળના ભાગમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ અગાઉ કામચલાઉ પેન્ટ્રી તરીકે થતો હતો. તેમણે કહ્યું કે, ટ્રેન ચાલુ હોય ત્યારે સુરક્ષા અને પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે એક શટર ડોર પણ લગાવવામાં આવ્યો છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોચમાં જરૂરી સુધારા મનમાડ રેલ્વે વર્કશોપ ખાતે કરવામાં આવ્યા હતા.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને નાસિક જિલ્લાના મનમાડ જંક્શન વચ્ચે દરરોજ દોડતી પંચવટી એક્સપ્રેસ તેની એકતરફી મુસાફરી લગભગ 4.35 કલાકમાં પૂર્ણ કરે છે. ઇન્ટરસિટી મુસાફરી માટે તેના અનુકૂળ સમયને કારણે તે આ રૂટ પરની લોકપ્રિય ટ્રેનોમાંની એક છે.

Related Posts

Top News

મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર...
Sports 
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર...
Politics  Gujarat 
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે  વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે ...
National 
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.