ટ્રેનમાં રોકડની જરૂર પડી ગઈ છે? નો ટેન્શન, રેલવેએ ટ્રેનમાં ATM મશીન જ મૂકી દીધું

ઘણીવાર લોકોને ટ્રેનોમાં મુસાફરી કરતી વખતે રોકડની સમસ્યાનો સામનો કરવો પડે છે. ક્યારેક, જે લોકો ખુબ જ ઉતાવળે મુસાફરી કરવા નીકળ્યા હોય છે તેઓ પોતાની સાથે રોકડ રાખી શકતા નથી અને તેથી, તેમને દરેક વખતે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ટ્રેનોમાં મોટાભાગે રોકડનો ઉપયોગ ખાવાનું, પાણી કે કોલ્ડ ડ્રિન્ક સહીત અન્ય વસ્તુઓ ખરીદવા માટે થાય છે. આવી સ્થિતિમાં, ભારતીય રેલ્વેએ આ સમસ્યાનો અંત લાવવા માટે એક પ્રયોગ કર્યો છે, જેના પછી ટૂંક સમયમાં ટ્રેનોમાં ATM મશીનો લગાવવામાં આવી શકે છે.

મુસાફરો કોઈપણ મુશ્કેલી વિના પૈસા ઉપાડી શકે છે કે કેમ તે જોવા માટે રેલવેએ ટ્રાયલ ધોરણે ટ્રેનમાં ATM મશીન લગાવ્યું છે. જો આ ટ્રાયલ સફળ થશે તો ખૂબ જ ટૂંક સમયમાં લોકો ચાલતી ટ્રેનમાં પણ ATMમાંથી પૈસા ઉપાડી શકશે અને રોકડની સમસ્યાથી બચી શકશે. આ ATM પંચવટી એક્સપ્રેસમાં લગાવવામાં આવ્યું છે.

Indian Railways, ATM Service
ibc24.in

ભારતીય રેલ્વેએ હવે મુસાફરોની સુવિધા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. હવે ચાલતી ટ્રેનમાં પણ ATM માંથી પૈસા ઉપાડી શકાશે. આ સુવિધા હાલમાં ટ્રાયલ મોડ પર શરૂ કરવામાં આવી છે. મનમાડથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સુધી દોડતી પંચવટી એક્સપ્રેસમાં ATM મશીન લગાવવામાં આવ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ રેલ્વે (CR)એ મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલ ધોરણે ઓટોમેટિક ટેલર મશીન (ATM) ઇન્સ્ટોલ કર્યું છે. તેમણે કહ્યું કે, ખાનગી બેંક દ્વારા પૂરું પાડવામાં આવેલ ATM દૈનિક સેવાના એર-કન્ડિશન્ડ ચેર કાર કોચમાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં મુસાફરો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Indian Railways, ATM Service
hindi.moneycontrol.com

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ATM કોચના પાછળના ભાગમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ અગાઉ કામચલાઉ પેન્ટ્રી તરીકે થતો હતો. તેમણે કહ્યું કે, ટ્રેન ચાલુ હોય ત્યારે સુરક્ષા અને પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે એક શટર ડોર પણ લગાવવામાં આવ્યો છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોચમાં જરૂરી સુધારા મનમાડ રેલ્વે વર્કશોપ ખાતે કરવામાં આવ્યા હતા.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને નાસિક જિલ્લાના મનમાડ જંક્શન વચ્ચે દરરોજ દોડતી પંચવટી એક્સપ્રેસ તેની એકતરફી મુસાફરી લગભગ 4.35 કલાકમાં પૂર્ણ કરે છે. ઇન્ટરસિટી મુસાફરી માટે તેના અનુકૂળ સમયને કારણે તે આ રૂટ પરની લોકપ્રિય ટ્રેનોમાંની એક છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 15-04-2026 વાર- બુધવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય
Copyright (c) Khabarchhe All Rights Reserved.