હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

On

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા આપીને રાહત આપી હતી. હાલમાં, સરકારની આયુષ્માન યોજના હેઠળ, 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા છે. પરંતુ હવે સંસદની એક સમિતિએ 'આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના'નો વ્યાપ વધારવાની ભલામણ કરી છે. આ ભલામણ હેઠળ, એવું કહેવામાં આવ્યું છે કે, લોકોની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, આયુષ્માન વય વંદના કાર્ડ માટે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના માપદંડને 60 વર્ષ અને તેથી વધુ કરવા જોઈએ.

Ayushman-Card-Scheme10
m.punjabkesari.in

આનો સીધો અર્થ એ છે કે, જો સમિતિની ભલામણ લાગુ કરવામાં આવે તો ભવિષ્યમાં 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. આ ઉંમરના કોઈપણ વ્યક્તિ માટે આયુષ્માન કાર્ડ બનાવવું કોઈ બંધન રહેશે નહીં. હાલમાં, સરકાર 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આયુષ્માન કાર્ડ બનાવે છે.

Ayushman-Card-Scheme12
careerindia.com

આ અહેવાલ રાજ્યસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. 163મા અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, હાલના આરોગ્ય સંભાળ કવરેજને પ્રતિ પરિવાર પ્રતિ વર્ષ ૫ લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવું જોઈએ. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ઘણી ઉચ્ચ સ્તરીય તબીબી પ્રક્રિયાઓ અને પરીક્ષણો આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY)માં શામેલ નથી.

Ayushman-Card-Scheme13
okbima.com

સમિતિએ ભલામણ કરી હતી કે, યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પેકેજોની સમીક્ષા કરવી જોઈએ. ગંભીર બીમારીઓની સારવાર સંબંધિત નવા પેકેજો/પ્રક્રિયાઓ, જેમાં સારવાર ખર્ચનો સમાવેશ થવો જોઈએ. સમિતિએ એ વાતની પ્રશંસા કરી કે, સરકારે તાજેતરમાં AB-PMJAYનો વિસ્તાર કરીને 4.5 કરોડ પરિવારોના 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને વય વંદના યોજના હેઠળ આવરી લીધા છે, પછી ભલે તે સામાજિક-આર્થિક સ્થિતિ ગમે તે હોય.

Related Posts

Top News

કર્ણાટક સરકારના મુસ્લિમ અનામત નિર્ણય પર વિહિપનો વિરોધ

વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) એ કર્ણાટક સરકારના તાજેતરના નિર્ણયની કડક ટીકા કરી છે જેમાં સરકારી ઠેકાઓમાં મુસ્લિમ સમુદાય માટે 4...
કર્ણાટક સરકારના મુસ્લિમ અનામત નિર્ણય પર વિહિપનો વિરોધ

એટલીની ફિલ્મ માટે અલ્લુ અર્જુન બન્યો સૌથી મોંઘો અભિનેતા, આટલી મોટી રકમ ચાર્જ કરી!

દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુન ઘણા સમયથી બધાના દિલ પર રાજ કરી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ 'પુષ્પા 2'એ...
Entertainment 
એટલીની ફિલ્મ માટે અલ્લુ અર્જુન બન્યો સૌથી મોંઘો અભિનેતા, આટલી મોટી રકમ ચાર્જ કરી!

શું છે RSSનું '3 ભાષા' સૂત્ર? સંઘે જણાવ્યું આનાથી દક્ષિણના રાજ્યોની મુશ્કેલીઓ કેવી રીતે દૂર થઇ શકે

હાલમાં દેશમાં નવી શિક્ષણ નીતિને લઈને થોડો વિવાદ ચાલી રહ્યો છે, ત્યાં ત્રણ ભાષાના પાસાએ દક્ષિણના રાજ્યોને પણ નારાજ...
National 
શું છે RSSનું '3 ભાષા' સૂત્ર? સંઘે જણાવ્યું આનાથી દક્ષિણના રાજ્યોની મુશ્કેલીઓ કેવી રીતે દૂર થઇ શકે

દર્શકોના મનમાં સવાલ, શું રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે? હેમા માલિનીના ફોટા પરથી શંકા ગઈ

જ્યારથી ભારતમાં રિયાલિટી શોની લોકપ્રિયતા વધી છે, ત્યારથી ચાહકોના મનમાં આ પ્રશ્ન હંમેશા આવ્યો છે, કે શું તે...
Entertainment 
દર્શકોના મનમાં સવાલ, શું રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે? હેમા માલિનીના ફોટા પરથી શંકા ગઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.