- Business
- શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ નમિતા થાપરના નમાઝવાળા વીડિયો પર મચી ગયો હોબાળો
શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ નમિતા થાપરના નમાઝવાળા વીડિયો પર મચી ગયો હોબાળો
છેલ્લા કેટલાક અઠવાડિયામાં ધાર્મિક વિવાદોનો મુદ્દો કોર્પોરેટ ઈન્ડિયા સાથે વધુને વધુ જોડાયેલો રહ્યો છે. દેશની સૌથી મોટી IT કંપની, TCSમાં ચાલી રહેલા ધર્મ પરિવર્તન કૌભાંડનો મામલો હજુ શાંત નથી થયો, ત્યાં ચશ્મા કંપની લેન્સકાર્ટના ડ્રેસ કોડે હોબાળો મચાવ્યો હતો. આ બધાની વચ્ચે હવે, શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ અને એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નમિતા થાપર, હવે નમાઝ વિશે બનાવેલી એક જૂની રીલ માટે ટ્રોલ થઈ રહી છે. થોડા મહિના પહેલા, નમિતાએ નમાઝના ફાયદા સમજાવતો એક વીડિયો શેર કર્યો હતો, જેના પગલે તેને ભારે ટ્રોલ કરવામાં આવી હતી. તેણે હવે આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે.

નમિતા થાપરે થોડા મહિના પહેલા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે નમાઝના સ્વાસ્થ્ય લાભો વિશે ચર્ચા કરી હતી. ત્યારથી, તેને ટ્રોલ્સ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેણે હવે બીજો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અને તેના પરિવારને કેવી રીતે ગંભીર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે તેની વિગતો આપવામાં આવી છે. તેમની સામે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને તેમની વૃદ્ધ માતાને પણ છોડવામાં આવી ન હતી.
નમિતાએ જણાવ્યું હતું કે, તેણે અગાઉ હિન્દુ ધાર્મિક વિધિઓ અને યોગ પર પણ વીડિયોઝ બનાવી છે. તેણે કહ્યું કે જ્યારે તે સૂર્ય નમસ્કાર પર વીડિયોઝ બનાવે છે, ત્યારે કોઈ ટિપ્પણી કરતું નથી. નમિતાએ બતાવ્યું કે, તે આરોગ્ય ક્ષેત્રમાં સંકળાયેલી છે, અને જ્યારે તે યોગ અથવા અન્ય કસરતો વિશે વાત કરે છે ત્યારે તેને ધર્મ સાથે કેમ જોડવામાં આવે છે? તેણે ટ્રોલ્સને ચેતવણી આપતા કહ્યું કે, અહીંયા જ વ્યક્તિને પોતાના કર્મોનું ફળ મળે છે.
https://twitter.com/namitathapar/status/2046042994311397789
નમિતા થાપર ભારતની સૌથી સફળ મહિલા ઉદ્યોગસાહસિકોમાંની એક છે. તેણે બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઇન્ડિયા દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવી. નમિતા તેના પિતાની ફાર્માસ્યુટિકલ કંપની, એમક્યોરનું સંચાલન કરે છે. એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે, તેની કુલ સંપત્તિ આશરે રૂ. 600 કરોડ છે. પુણેમાં 50 કરોડ રૂપિયાના વૈભવી ઘરમાં રહેતી આ અભિનેત્રીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 20 લાખ રૂપિયાના ચપ્પલ પહેરીને હાજરી આપી હતી, જેની ખૂબ ચર્ચા થઈ હતી.

