- Business
- શેરબજાર તૂટવાથી થયું 6 લાખ કરોડનું નુકસાન; અદાણીનો શેર 14 ટકા તૂટ્યો, જાણો કેમ થયો અચાનક ઘટાડો?
શેરબજાર તૂટવાથી થયું 6 લાખ કરોડનું નુકસાન; અદાણીનો શેર 14 ટકા તૂટ્યો, જાણો કેમ થયો અચાનક ઘટાડો?
ભારતીય શેરબજારમાં શુક્રવારે તીવ્ર ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. ગુરુવારની તેજી પછી, શુક્રવારના ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી ઉપરાંત વ્યાપક નબળાઈ જોવા મળી. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં પણ 1.5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો.
શેરબજારમાં આ તીવ્ર ઘટાડાને કારણે રોકાણકારોના રૂ. 6 લાખ કરોડ ડૂબી ગયા. BSE માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 458.50 લાખ કરોડથી ઘટીને રૂ. 452.52 લાખ કરોડ પર આવી ગયું.
સેન્સેક્સ 770 પોઈન્ટ ઘટીને 81,537 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 241 પોઈન્ટ ઘટીને 25048 પર બંધ થયો. બેંક નિફ્ટી 700 પોઈન્ટ ઘટીને સ્મોલકેપ શેરોમાં 1,000 પોઈન્ટથી વધુ અને મિડકેપ શેરોમાં 700 પોઈન્ટનો ઘટાડો થયો.
BSE 30ના 6 શેર સિવાય, બાકી બધા 24 શેરોમાં ખુબ વધારે ઘટાડો જોવા મળ્યો. અદાણી પોર્ટ્સ, ઝોમેટો, ઇન્ડિગો અને બજાજ ફાઇનાન્સ સૌથી વધુ નુકસાન કરનારાઓમાં સામેલ હતા.
ટ્રેડિંગ દરમિયાન અદાણી ગ્રુપ કંપનીઓના શેરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. અદાણી ગ્રીન એનર્જી સૌથી વધુ 14 ટકા ઘટ્યો. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી પાવર લિમિટેડ, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ, અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જીના શેર 12 ટકા સુધી ઘટ્યા.
US માર્કેટ રેગ્યુલેટરે 265 મિલિયન ડૉલરની કથિત છેતરપિંડી અને લાંચ યોજનાના સંદર્ભમાં સ્થાપક ગૌતમ અદાણી અને ગ્રુપ એક્ઝિક્યુટિવ સાગર અદાણીને E-mail દ્વારા વ્યક્તિગત રીતે બોલાવવાની પરવાનગી માંગ્યા પછી અદાણીના શેરમાં ઘટાડો થયો.
આજે, 328 શેર તેમના 52 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યા. અદાણી એન્ટરટેઇનમેન્ટ, અફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, એક્ઝો નોબેલ ઇન્ડિયા લિમિટેડ, અદાણી ટોટલ, બાટા ઇન્ડિયા લિમિટેડ અને બ્લુ જેટ હેલ્થકેર લિમિટેડ બધા તેમના એક વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા. આ દરમિયાન, 69 શેરો તેમના એક વર્ષના ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા.
વિદેશી રોકાણકારો શેરબજારમાંથી સતત નાણાં ઉપાડી રહ્યા છે. NSEના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ પાછલા સત્રમાં ચોખ્ખા ધોરણે રૂ. 2,144.06 કરોડના શેર વેચ્યા હતા. તેનાથી વિપરીત, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ રૂ. 3,877.78 કરોડના શેર ખરીદ્યા હતા, જેનાથી બજારને થોડો ટેકો મળ્યો હતો.
વેલ્થમિલ્સ સિક્યોરિટીઝના ઇક્વિટી સ્ટ્રેટેજીના ડિરેક્ટર ક્રાંતિ બાથિનીએ જણાવ્યું હતું કે, એકંદરે, બજાર ઘટાડા તરફ વળ્યું છે. જોકે, નિફ્ટી 25,000ના સ્તરથી ઉપર મજબૂતીથી ટકી રહ્યો છે. મધ્યમથી ટૂંકા ગાળામાં ભૂરાજકીય તણાવ બજાર પર દબાણ લાવી રહ્યો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત વેચાણ તાજેતરના ઘટાડાનું મુખ્ય કારણ છે, અને અત્યાર સુધી, કંપનીના પરિણામો રોકાણકારોને આકર્ષી રહ્યા નથી.
નોંધ- શેરબજારમાં તમારું નાણાકીય રોકાણ કરતા પહેલા તમાટે તમારા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવી આવશ્યક છે.

