'પરપોટો ફૂટવાનો જ હતો, હવે સ્થિતિ 1929 જેવી થવાનો ડર', કિયોસાકીના ડરામણા સંકેતો

એક તરફ, વિશ્વમાં વેપાર યુદ્ધ શરૂ થયું છે, તો બીજી તરફ, US શેરબજારો અને ભારત સહિત તમામ એશિયન બજારોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. US માર્કેટના ક્રેશને કારણે, મંદીના ઘેરા પડછાયાની ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે. દરમિયાન, પ્રખ્યાત પુસ્તક 'રિચ ડેડ, પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીએ ઇતિહાસના સૌથી મોટા ક્રેશની ચેતવણી આપી છે અને આ સંદર્ભમાં, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (હવે X) પર એક પોસ્ટ શેર કરી છે.

'રિચ ડેડ, પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીએ મંગળવારે તેમના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી, જેમાં કહ્યું કે વર્તમાન નાણાકીય મંદી 1929ના બજાર ક્રેશને પણ પાછળ છોડી શકે છે, જેના કારણે તે વખતે મહામંદી આવી હતી. તેમણે પોતાની લાંબી પોસ્ટમાં આગળ લખ્યું, 'પરપોટો ફૂટી રહ્યો છે અને મને ડર છે કે આ પતન ઇતિહાસનું સૌથી મોટું હોઈ શકે છે.' કિયોસાકીએ એમ પણ કહ્યું કે તેમણે ઘણા સમય પહેલા તેમના પુસ્તકમાં આટલા મોટા પતન વિશે વાત કરી હતી.

Robert-Kiyosaki
financialexpress.com

રોબર્ટ કિયોસાકીની આ ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે વિશ્વમાં વેપાર યુદ્ધ શરૂ થયું છે. એટલું જ નહીં, US બજારોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા સોમવારે, ડાઉ જોન્સ 1100 પોઈન્ટનો ઘટાડો થયો હતો અને જો આપણે નાસ્ડેકની વાત કરીએ, તો સપ્ટેમ્બર 2022 પછીનો સૌથી મોટો ઘટાડો હતો, આ ઇન્ડેક્સ 4 ટકાથી વધુ ઘટ્યો હતો. આ ઉપરાંત, S&P500 ઇન્ડેક્સ પણ લગભગ 2.7 ટકાના ઘટાડા સાથે બંધ થયો. ઘણા નિષ્ણાતોએ પણ મંદીની આશંકા વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે.

Robert-Kiyosaki2
zeenews.india.com

'રિચ ડેડ, પુઅર ડેડ'ના લેખક કિયોસાકીએ જર્મની, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સના આર્થિક એન્જિન તરફ ધ્યાન દોરતા કહ્યું કે, કેટલાક અસમર્થ નેતાઓએ આપણને એક જાળમાં ફસાવી દીધા છે. તેમણે કહ્યું, 'આવા સમયે અસ્વસ્થ અને ડર લાગવો સામાન્ય છે, પણ ગભરાશો નહીં, ધીરજ રાખો, જેનો અર્થ છે શાંત રહો, ઊંડો શ્વાસ લો, તમારી આંખો ખુલ્લી રાખો અને તમારું મોં બંધ રાખો. જ્યારે લાખો લોકો કચડાઈ જશે, તમારે તેમાંથી એક બનવાની જરૂર નથી. જ્યારે 2008માં આવી પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે મેં રાહ જોઈ, ગભરાટ અને તોફાનને શાંત થવા દીધા અને પછી વેચાણ માટે સારી રિયલ એસ્ટેટ શોધવાનું શરૂ કર્યું, તે પણ ભારે ડિસ્કાઉન્ટ પર.'

Robert-Kiyosaki1
news18.com

પોતાની પોસ્ટમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, દુનિયા જે તબક્કામાંથી પસાર થઈ રહી છે તે તમારા જીવનની સૌથી મોટી તક પણ સાબિત થઈ શકે છે. પરિસ્થિતિ ગમે તેટલી અશાંત હોય, ધીરજ રાખો અને શાંત રહો. ચેતવણી આપવાની સાથે, તેમણે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમની રોકાણ વ્યૂહરચના પણ શેર કરી છે. કિયોસાકીએ કહ્યું છે કે, હું રિયલ એસ્ટેટ, સોનું, ચાંદી અને બિટકોઈન ખરીદવાનું ચાલુ રાખીશ. અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ લેખકે આ સંપત્તિઓમાં રોકાણ કરવાની સલાહ આપી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ તાજેતરમાં વૈશ્વિક અનિશ્ચિતતામાં વધારો કર્યો છે, જેની અસર બજારોમાં ઉથલપાથલના સ્વરૂપમાં પણ જોવા મળી રહી છે. એક સમાચાર એજન્સીના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, અમેરિકા, કેનેડા અને મેક્સિકોના અર્થશાસ્ત્રીઓ ટ્રમ્પ ટેરિફની અસર અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જો આપણે તેના પરિણામો પર નજર કરીએ તો જાણવા મળે છે કે કેનેડા, અમેરિકા અને મેક્સિકોના 74માંથી 70 અર્થશાસ્ત્રીઓ માને છે કે, મંદીનું જોખમ વધ્યું છે અને ખાસ કરીને અમેરિકામાં ફુગાવાનું જોખમ વધ્યું છે.

નોંધ: શેરબજારમાં કોઈપણ પ્રકારનું નાણાકીય રોકાણ કરતા પહેલા તમારે તમારા શેર બજારના રોકાણ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.