દેશની સૌથી મોંઘી મીઠાઈ! 'સ્વર્ણ પ્રસાદમ'ની કિંમત લાખોમાં, VIP ગ્રાહકોમાં ભારે ડિમાન્ડ

આ દિવાળીની સીઝનમાં એક એવી મીઠાઈ ચર્ચાનું કેન્દ્ર બની છે, જેની કિંમત જાણીને લોકો ચોંકી ઉઠે છે. જયપુરની તહેવાર સ્વીટ્સ દ્વારા તૈયાર કરાયેલી આ મીઠાઈનું નામ છે 'સ્વર્ણ પ્રસાદમ'. તહેવાર સ્વીટ્સના ઓનર અંજલિ જૈનના જણાવ્યા મુજબ, આ મીઠાઈ ન ફક્ત જયપુર, પણ સમગ્ર ભારતની સૌથી મોંઘી મીઠાઈ છે. તેની પ્રીમિયમ કિંમત અને વિશેષ સ્વાદને કારણે તે મુખ્યત્વે VIP ગ્રાહકોમાં લોકપ્રિય બની છે.

most-expensive-sweet1
news18.com

શા માટે આટલી મોંઘી છે 'સ્વર્ણ પ્રસાદમ'?

સ્વર્ણ પ્રસાદમને ખાસ કરીને દિવાળીના તહેવાર માટે તૈયાર કરવામાં આવી છે. તેની ઊંચી કિંમત પાછળ તેમાં વપરાતા મોંઘા ઇન્ગ્રીડિઅન્ટ્સ જવાબદાર છે, જેની કિંમત પ્રતિ ગ્રામ હજારોમાં છે.

ખાસ સામગ્રી: મીઠાઈમાં ચિલગોજા (પાઈન નટ્સ), કેસર, સ્વર્ણ ભસ્મ (સોનાની ભસ્મ) અને ચાંદી જેવા કિંમતી ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગુણવત્તા અને સજાવટ: ચિલગોજાના બેઝ પર બનેલી આ મીઠાઈને સ્વર્ણ ભસ્મ, કેસર અને જૈન મંદિરના ખાસ વર્કથી સજાવવામાં આવી છે. તેની ઉપરની પરત પર ગ્લેઝિંગ પણ સ્વર્ણ ભસ્મથી કરવામાં આવ્યું છે.

govind-new

આયુર્વેદિક ફાયદા: અંજલિ જૈન જણાવે છે કે આ ઇન્ગ્રીડિઅન્ટ્સ મોંઘા હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, જે તેની ગુણવત્તામાં વધારો કરે છે.

પ્રીમિયમ પેકિંગ: મીઠાઈની પ્રીમિયમ કિંમતના કારણે તેનું પેકિંગ પણ જ્વેલરી બોક્સમાં કરવામાં આવે છે, જે તેને વધુ ખાસ લૂક આપે છે.

જોકે આ મીઠાઈની કિંમત લાખોમાં હોવાથી, સૌ કોઈ તેને સંપૂર્ણ ખરીદી શકતા નથી. તેથી, ગ્રાહકો તેને પીસના હિસાબથી ખરીદે છે, જ્યાં એક પીસની કિંમત પણ હજારોમાં હોય છે. આ મીઠાઈ ફક્ત તહેવાર સ્વીટ્સ પર જ ઉપલબ્ધ છે.

CA અંજલિ જૈન: IT માંથી મીઠાઈના વ્યવસાય તરફ

ભારતની સૌથી મોંઘી મીઠાઈ બનાવનાર અંજલિ જૈન પોતે વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) છે. તેમણે અગાઉ આઈટી કંપની વિપ્રોમાં પણ નોકરી કરી છે. હવે તેઓ તહેવાર સ્વીટ્સને સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે અને રોજ નવી નવી મીઠાઈઓ પર પ્રયોગો કરતા રહે છે. તહેવાર સ્વીટ્સ પર બદામ-પિસ્તા પેસ્ટ, બ્લૂબેરી, વાઈટ ચોકલેટ, મેકડામિયા નટ્સ, સોલ્ટેડ બટર કેરેમલ અને બિસ્કોફ જેવા પ્રીમિયમ ઇન્ગ્રીડિઅન્ટ્સનો ઉપયોગ કરીને વિવિધ વેરાયટીની મીઠાઈઓ તૈયાર થાય છે, જેની બજારમાં હંમેશા ડિમાન્ડ રહે છે.

................


પ્રથમ દિવાળીએ મહેસાણા મહાનગર પાલિકાનું નજરાણું: 'મનોહર મહેસાણા, સુંદર મહેસાણા' અભિયાન
મહેસાણા: મહેસાણા મહાનગર પાલિકાનું પ્રથમ વર્ષ અને પ્રથમ દિવાળી હોવાથી શહેરને 'મનોહર મહેસાણા, સુંદર મહેસાણા' બનાવવાનો વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. મહાનગર પાલિકા કમિશનર રાકેશ ખટાલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.બી. મંડોરી અને દર્શનસિંહની આગેવાની હેઠળ સમગ્ર શહેરને બ્યુટિફિકેશનની ચાદર ઓઢાડવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર નિમિત્તે રંગબેરંગી રોશનીથી શહેરના મુખ્ય માર્ગો, સ્થાપત્યો અને જાહેર સંસ્થાઓને શણગારવામાં આવ્યા છે, જેનાથી રાત્રે શહેરનો નઝારો નયનરમ્ય અને અનેરો દેખાઈ રહ્યો છે.

'પ્લેસ મેકિંગ' પ્રોજેક્ટ દ્વારા શહેરની શોભામાં વધારો
મહેસાણા મહાનગર પાલિકા દ્વારા 'પ્લેસ મેકિંગ' પ્રોજેક્ટ હેઠળ શહેરના ખુલ્લા પોઇન્ટ્સ અને સર્કલો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.બી. મંડોરીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત લોકોને ત્યાં રોકાઈ જવાનું મન થાય તેવો આકર્ષક લૂક આપવામાં આવ્યો છે.

આકર્ષક સુશોભન: સર્કલો પાસે ન્યાયની દેવીની પ્રતિમા, ચેસ બોર્ડ, અને ડેકોરેટિવ લાઇટ જેવા નાના-મોટા એલાઇમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.

ઐતિહાસિક શણગાર: રાજમહેલ ઉપરાંત ઐતિહાસિક સ્મારકોને સુંદર શણગાર અને ડેકોરેટિવ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યા છે, જેથી લોકોને ખાસ ગુડ ફિલિંગ થાય.

વોલ પેઇન્ટિંગ દ્વારા જનજાગૃતિ
શહેરને સુંદર બનાવવાના આ અભિયાનમાં વોલ પેઇન્ટિંગને પણ મહત્વ આપવામાં આવ્યું છે.

જિલ્લા પંચાયત કચેરીથી કલેક્ટર કચેરી સુધીની દીવાલ પર સ્વચ્છતા, જળ બચાવો સહિતના જનજાગૃતિના સંદેશા આપતા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા છે.

રાધનપુર રોડથી ગોપીનાળા સુધી અને પોલીસ લાઇન સામેની દીવાલ પર પણ આકર્ષક વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે.

મહાનગર પાલિકાના આ પ્રયાસથી મહેસાણાવાસીઓમાં ખુશીની લાગણી છવાઈ છે અને લોકો પણ પોતાની સંસ્થાઓ, કચેરીઓ અને સોસાયટીઓને સુંદર રીતે શણગારી રહ્યા છે. મહેસાણા મહાનગર પાલિકાનો આ અનેરો પ્રયાસ ખરેખર બિરદાવવા લાયક છે.

About The Author

Related Posts

Top News

ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું...
National 
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.