દેશની સૌથી મોંઘી મીઠાઈ! 'સ્વર્ણ પ્રસાદમ'ની કિંમત લાખોમાં, VIP ગ્રાહકોમાં ભારે ડિમાન્ડ

આ દિવાળીની સીઝનમાં એક એવી મીઠાઈ ચર્ચાનું કેન્દ્ર બની છે, જેની કિંમત જાણીને લોકો ચોંકી ઉઠે છે. જયપુરની તહેવાર સ્વીટ્સ દ્વારા તૈયાર કરાયેલી આ મીઠાઈનું નામ છે 'સ્વર્ણ પ્રસાદમ'. તહેવાર સ્વીટ્સના ઓનર અંજલિ જૈનના જણાવ્યા મુજબ, આ મીઠાઈ ન ફક્ત જયપુર, પણ સમગ્ર ભારતની સૌથી મોંઘી મીઠાઈ છે. તેની પ્રીમિયમ કિંમત અને વિશેષ સ્વાદને કારણે તે મુખ્યત્વે VIP ગ્રાહકોમાં લોકપ્રિય બની છે.

most-expensive-sweet1
news18.com

શા માટે આટલી મોંઘી છે 'સ્વર્ણ પ્રસાદમ'?

સ્વર્ણ પ્રસાદમને ખાસ કરીને દિવાળીના તહેવાર માટે તૈયાર કરવામાં આવી છે. તેની ઊંચી કિંમત પાછળ તેમાં વપરાતા મોંઘા ઇન્ગ્રીડિઅન્ટ્સ જવાબદાર છે, જેની કિંમત પ્રતિ ગ્રામ હજારોમાં છે.

ખાસ સામગ્રી: મીઠાઈમાં ચિલગોજા (પાઈન નટ્સ), કેસર, સ્વર્ણ ભસ્મ (સોનાની ભસ્મ) અને ચાંદી જેવા કિંમતી ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગુણવત્તા અને સજાવટ: ચિલગોજાના બેઝ પર બનેલી આ મીઠાઈને સ્વર્ણ ભસ્મ, કેસર અને જૈન મંદિરના ખાસ વર્કથી સજાવવામાં આવી છે. તેની ઉપરની પરત પર ગ્લેઝિંગ પણ સ્વર્ણ ભસ્મથી કરવામાં આવ્યું છે.

govind-new

આયુર્વેદિક ફાયદા: અંજલિ જૈન જણાવે છે કે આ ઇન્ગ્રીડિઅન્ટ્સ મોંઘા હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, જે તેની ગુણવત્તામાં વધારો કરે છે.

પ્રીમિયમ પેકિંગ: મીઠાઈની પ્રીમિયમ કિંમતના કારણે તેનું પેકિંગ પણ જ્વેલરી બોક્સમાં કરવામાં આવે છે, જે તેને વધુ ખાસ લૂક આપે છે.

જોકે આ મીઠાઈની કિંમત લાખોમાં હોવાથી, સૌ કોઈ તેને સંપૂર્ણ ખરીદી શકતા નથી. તેથી, ગ્રાહકો તેને પીસના હિસાબથી ખરીદે છે, જ્યાં એક પીસની કિંમત પણ હજારોમાં હોય છે. આ મીઠાઈ ફક્ત તહેવાર સ્વીટ્સ પર જ ઉપલબ્ધ છે.

CA અંજલિ જૈન: IT માંથી મીઠાઈના વ્યવસાય તરફ

ભારતની સૌથી મોંઘી મીઠાઈ બનાવનાર અંજલિ જૈન પોતે વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) છે. તેમણે અગાઉ આઈટી કંપની વિપ્રોમાં પણ નોકરી કરી છે. હવે તેઓ તહેવાર સ્વીટ્સને સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે અને રોજ નવી નવી મીઠાઈઓ પર પ્રયોગો કરતા રહે છે. તહેવાર સ્વીટ્સ પર બદામ-પિસ્તા પેસ્ટ, બ્લૂબેરી, વાઈટ ચોકલેટ, મેકડામિયા નટ્સ, સોલ્ટેડ બટર કેરેમલ અને બિસ્કોફ જેવા પ્રીમિયમ ઇન્ગ્રીડિઅન્ટ્સનો ઉપયોગ કરીને વિવિધ વેરાયટીની મીઠાઈઓ તૈયાર થાય છે, જેની બજારમાં હંમેશા ડિમાન્ડ રહે છે.

................


પ્રથમ દિવાળીએ મહેસાણા મહાનગર પાલિકાનું નજરાણું: 'મનોહર મહેસાણા, સુંદર મહેસાણા' અભિયાન
મહેસાણા: મહેસાણા મહાનગર પાલિકાનું પ્રથમ વર્ષ અને પ્રથમ દિવાળી હોવાથી શહેરને 'મનોહર મહેસાણા, સુંદર મહેસાણા' બનાવવાનો વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. મહાનગર પાલિકા કમિશનર રાકેશ ખટાલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.બી. મંડોરી અને દર્શનસિંહની આગેવાની હેઠળ સમગ્ર શહેરને બ્યુટિફિકેશનની ચાદર ઓઢાડવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર નિમિત્તે રંગબેરંગી રોશનીથી શહેરના મુખ્ય માર્ગો, સ્થાપત્યો અને જાહેર સંસ્થાઓને શણગારવામાં આવ્યા છે, જેનાથી રાત્રે શહેરનો નઝારો નયનરમ્ય અને અનેરો દેખાઈ રહ્યો છે.

'પ્લેસ મેકિંગ' પ્રોજેક્ટ દ્વારા શહેરની શોભામાં વધારો
મહેસાણા મહાનગર પાલિકા દ્વારા 'પ્લેસ મેકિંગ' પ્રોજેક્ટ હેઠળ શહેરના ખુલ્લા પોઇન્ટ્સ અને સર્કલો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.બી. મંડોરીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત લોકોને ત્યાં રોકાઈ જવાનું મન થાય તેવો આકર્ષક લૂક આપવામાં આવ્યો છે.

આકર્ષક સુશોભન: સર્કલો પાસે ન્યાયની દેવીની પ્રતિમા, ચેસ બોર્ડ, અને ડેકોરેટિવ લાઇટ જેવા નાના-મોટા એલાઇમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.

ઐતિહાસિક શણગાર: રાજમહેલ ઉપરાંત ઐતિહાસિક સ્મારકોને સુંદર શણગાર અને ડેકોરેટિવ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યા છે, જેથી લોકોને ખાસ ગુડ ફિલિંગ થાય.

વોલ પેઇન્ટિંગ દ્વારા જનજાગૃતિ
શહેરને સુંદર બનાવવાના આ અભિયાનમાં વોલ પેઇન્ટિંગને પણ મહત્વ આપવામાં આવ્યું છે.

જિલ્લા પંચાયત કચેરીથી કલેક્ટર કચેરી સુધીની દીવાલ પર સ્વચ્છતા, જળ બચાવો સહિતના જનજાગૃતિના સંદેશા આપતા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા છે.

રાધનપુર રોડથી ગોપીનાળા સુધી અને પોલીસ લાઇન સામેની દીવાલ પર પણ આકર્ષક વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે.

મહાનગર પાલિકાના આ પ્રયાસથી મહેસાણાવાસીઓમાં ખુશીની લાગણી છવાઈ છે અને લોકો પણ પોતાની સંસ્થાઓ, કચેરીઓ અને સોસાયટીઓને સુંદર રીતે શણગારી રહ્યા છે. મહેસાણા મહાનગર પાલિકાનો આ અનેરો પ્રયાસ ખરેખર બિરદાવવા લાયક છે.

About The Author

Related Posts

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.