શું ખરેખર સોનુ રૂ. 55000 સુધી સસ્તું થશે, કેટલો ભાવ ઘટશે, આટલો મોટો ઘટાડો કેમ થઈ શકે છે?

એક તરફ શેરબજારમાં ભારે ઘટાડો થયો છે અને બીજી તરફ સોનામાં પણ ઘટાડો થવા લાગ્યો છે. છેલ્લા પાંચ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે પણ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે. આવનારા દિવસોમાં આ ઘટાડો વધુ મોટો થઈ શકે છે. એટલો મોટો ઘટાડો કે તેટલો હોવાની તમે અપેક્ષા પણ ન રાખી શકો. જો સોનાના ભાવ અંગે કરવામાં આવી રહેલી આગાહીઓ સાચી ઠરે છે, તો 10 ગ્રામ સોનું ફક્ત 55000-56000 રૂપિયા સુધી પહોંચશે.

આજે સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા બે દિવસમાં સોનામાં 2700 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનું સસ્તું થયું છે. આ પહેલા 7 એપ્રિલે સોનાનો ભાવ 1929 રૂપિયા ઘટીને 89,085 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.  જો આપણે 8 એપ્રિલના રોજ સોનાના ભાવ પર નજર કરીએ, તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પર જાહેર કરાયેલ 24 કેરેટથી 14 કેરેટ સુધીના સોનાના ભાવ કંઈક આ પ્રમાણે છે...

Gold Prices
aajtak.in

24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 88306 રૂપિયા, 23 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 87952 રૂપિયા, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 80880 રૂપિયા, 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 66230 રૂપિયા, 14 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 51659 રૂપિયા, ચાંદીનો ભાવ પ્રતિ કિલો 89580 રૂપિયા પર પહોંચી ગયો છે.

અત્યાર સુધી સોનું તેની ઊંચી કિંમતને કારણે હેડલાઇન્સમાં રહ્યું હતું, પરંતુ હવે એવી આગાહી કરવામાં આવી રહી છે કે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 56000 રૂપિયા સુધી પહોંચી શકે છે. એવા પણ સમાચાર છે કે, આગામી દિવસોમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, સોનાનો ભાવ 56000 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.

Gold Prices
aajtak.in

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ આગાહી અમેરિકન મોર્નિંગસ્ટારના વિશ્લેષકો દ્વારા કરવામાં આવી છે. તેમણે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં સોનાના ભાવમાં 38 ટકાનો ભારે ઘટાડો થઈ શકે છે. અમેરિકન નિષ્ણાત ડોન મિલ્સે દાવો કર્યો છે કે, આગામી વર્ષોમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 3080 ડૉલરથી ઘટીને 1820 ડૉલર પ્રતિ ઔંસ થઈ શકે છે. તેનો અર્થ એ કે, ભારતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 55000-56000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

પુરવઠો વધ્યો: તેમણે આ આગાહી અને સોનાના ભાવમાં સૌથી મોટા ઘટાડા પાછળનું મોટું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, વૈશ્વિક સ્તરે સોનાનું ઉત્પાદન વધ્યું છે જેના કારણે સોનાના ભંડારમાં 9 ટકાનો વધારો થયો છે. સોનાનો પુરવઠો વધવાથી પુરવઠો સરપ્લસ થઈ શકે છે. જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.

Gold Prices
hindi.news18.com

માંગમાં ઘટાડો: પુરવઠો વધી રહ્યો છે, પરંતુ માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોનાના ભાવમાં વધારાને કારણે છૂટક ખરીદી પણ ઘટી રહી છે. જ્યારે, કેન્દ્રીય બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે, જે આગામી દિવસોમાં ઘટી શકે છે. માંગમાં ઘટાડો થવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

બજારમાં સંતૃપ્તિની સ્થિતિ: સોનાના ભાવમાં સતત વધારાને કારણે, સંતૃપ્તિની સ્થિતિ વિકસી રહી છે. વર્ષ 2024માં સોનાના ક્ષેત્રમાં મર્જર અને એક્વિઝિશનમાં 32 ટકાનો વધારો થયો છે. જ્યારે, ગોલ્ડ ETFમાં રોકાણ વધવાને કારણે, કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા વધી ગઈ છે.

ઘણા નિષ્ણાતો આ આગાહી સાથે સહમત થતા નથી. બેંક ઓફ અમેરિકાના મતે, આગામી બે વર્ષમાં સોનાનો ભાવ 3,500 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. ગોલ્ડમેન સૅક્સના મતે, આ વર્ષના અંત સુધીમાં સોનું પ્રતિ ઔંસ 3300 ડૉલર સુધી પહોંચી જશે. એટલે કે ભારતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90000 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

About The Author

Related Posts

Top News

પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

સાયબર ક્રાઇમના કેસ સતત વધી રહ્યા છે, અને છેતરપિંડી કરનારાઓ હવે લોકોને ફસાવવા માટે નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી...
Gujarat 
પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક તરફથી મોટા સમાચાર આવ્યા છે, જેણે બેંકિંગ ક્ષેત્ર અને શેરબજાર બંનેને આશ્ચર્યચકિત...
Business 
HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

'મને ફોન આપી દે નહીંતર હું ટ્રેનમાંથી ઉતારી મુકીશ,' મુસાફરે ચુપકેથી ઘટના રેકોર્ડ કર્યા પછી...

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મુસાફર અને ટ્રેન ટિકિટ એક્ઝામિનર (TTE) ...
National 
'મને ફોન આપી દે નહીંતર હું ટ્રેનમાંથી ઉતારી મુકીશ,' મુસાફરે ચુપકેથી ઘટના રેકોર્ડ કર્યા પછી...

આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

આસામમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. એવામાં, તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે....
Politics 
આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

Opinion

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.