ચોટીલાથી દર્શન કરીને પાછા ફરતા પરિવારને અકસ્માત નડતા 5 મહિલા સહિત 10ના મોત

ચોટીલા દર્શન કરીને છોટા હાથી ટેમ્પોમાં પરત ફરી રહેલા પરિવારને અમદાવાદથી 50 કિ.મી દુર આવેલા બાવળા બગોદરા હાઇવે પર નડેલા ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં  5 મહિલા, 3 બાળકો અને 2 પુરુષો કાળનો કોળિયો બની ગયા હતા. રસ્તા પર ઉભેલી ટ્રક સાથે ટેમ્પો ભટકાઇ જતા 10 જિંદગી સ્વાહા થઇ ગઇ હતી.

જાણવા મળેલી વિગત મુજબ કપડવંજ અને બાલાસિનોરના 13 લોકો  છોટા હાથી ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ચોટીલા માતાના દર્શન કરીને છોટા હાથી ટેમ્પોમાં આ લોકો પાછા ફરી રહ્યા હતા ત્યારે બાવળા-ગોડાદરા રોડ પર એક ટ્રકમાં પંચર પડ્યું હતું અને ટ્રક રસ્તા પર ઉભી હતી. છોટા હાથી ટેમ્પોના ડ્રાઇવરે અંકુશ ગુમાવી દેતા રસ્તે ઉભેલી ટ્રકમાં ટેમ્પો ઘુસી ગયો અને 10 લોકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા. ટેમ્પોમાં 13 લોકો હતા, 3ને ગંભીર ઇજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદના જિલ્લા  DSP અમિત વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, બાવળા ગોડદરા રોડ પર ટેમ્પોને અકસ્માત નડ્યો છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.

પોલીસે કહ્યુ કે ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહેલા લોકો છોટા હાથી ટેમ્પોમાં નિકળ્યા હતા, જેમાં 3 લોકો આગળ બેઠા હતા અને 10 લોકો પાછળ બેઠા હતા.હાઇવે પર અકસ્માતને કારણે લાંબો ટ્રાફિક જામ થઇ ગયો હતો અને લોકોના ટોળે ટોળા અકસ્માતને જોવા માટે આવ્યા હતા. ઇજા પામેલા લોકોને 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુખ વ્યક્ત કરતા લખ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.

કપડવંજ અને બાલાસિનોરના 13 લોકો ચોટીલા માતાના દર્શન કરવા ગયા હતા ત્યારે તેમને સપનેય ખ્યાલ નહોતો કે તેમની જિંદગીના આ અંતિમ દર્શન હશે. શ્રધ્ધાથી દર્શન કરીને અને ખુશહાલ ચહેરે નિકળેલા લોકો એક અકસ્માતમાં પ્રભુને પ્યારા થઇ ગયા. આ ખરેખર, એક દુખદાયક ઘટના છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.