આઝાદી બાદ પહેલીવાર સરપંચો અને પંચાયતોને સશક્ત બનાવવાનું કામ PMએ કર્યું: રૂપાલા

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરીયાના વતન દેવરાજીયા ગામ ખાતે કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાના હસ્તે વિકાસકાર્યોનો લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો. દેવરાજીયા મુકામે રાજ્ય અને કેન્દ્ર સરકારના અનુદાન અને લોકભાગીદારીથી નિર્મિત બસ સ્ટેન્ડ, સાંસ્કૃતિક ઝાંખી ગેલેરી, સેલ્ફી પોઈન્ટ, મહાનુભાવોની પ્રતિમાઓ, સૂચિત થિયેટર હોલ, આર.ફિલ્ટર પ્લાન્ટના રુમનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં થયું હતું.

આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ દેશમાં PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગ્રામ પંચાયતો સશક્ત બની હોવાનું જણાવ્યુ હતું. તેમણે જણાવ્યુ કે, ગ્રામ પંચાયતોના બેન્ક એકાઉન્ટમાં સીધી ગ્રાન્ટ જમા થતી હોવાથી પંચાયત મજબૂત બની છે. PM નરેન્દ્ર મોદીએ સરપંચઓને નાણાપંચની ગ્રાન્ટ ફાળવીને ગામના કામો ગામમાં કરવાનો અધિકારી આપ્યો અને તેના માટે નાણાકીય જોગવાઈ પણ કરી. કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે દેવરાજીયાના સરપંચ સગુણાબેન વેકરીયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યુ કે PM નરેન્દ્ર મોદીએ આપેલા 'સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ'નું સૂત્ર દેવરાજીયાએ સાર્થક કર્યુ છે. કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના વિવિધ મતવિસ્તારના ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં એક એક આદર્શ ગામ બને તેવું સૂચન કર્યુ હતુ.

કાર્યક્રમના પ્રારંભે પ્રાસંગિક ઉદ્બબોધન કરતા મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયાએ પોતે વર્ષ 2009માં સરપંચ તરીકે દેવરાજીયાની વિકાસયાત્રા આરંભી તે વિશે જણાવ્યુ હતુ. તેમણે દેવરાજીયાની વિકાસયાત્રાના પ્રેરણાસ્રોત તરીકે ગામના વિકાસના સપના સાકાર કરવા બદલ PM નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ અનુદાન (ગ્રાન્ટ) અને યોજનાઓ અને દેવરાજીયાના દાતાઓની લોકભાગીદારીથી આડે મોડલ દેવરાજીયા તૈયાર થયું છે. દેવરાજીયાએ સરકારની ગ્રાન્ટનો ગુણવત્તાસભર ઉપયોગ કરી અને સૌના સહયોગથી આ કાર્ય સિદ્ધ કર્યુ છે. આ પ્રસંગે તેમણે ગામમાં અગાઉ થયેલા વિકાસકાર્યોની માહિતી પણ આપી હતી.

દેવરાજીયા ગામ અમરેલી-ધારી સ્ટેટ હાઈવે પર જિલ્લાના વડામથકથી 14 કિલોમીટર દૂર આવેલું છે. અહીંયા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ અને લોકભાગીદારીથી ગામમાં બાળ ક્રિડાંગણ, સ્ટ્રીટલાઈટ, ડ્રેનેજ લાઈન, સિનિયર સીટીઝન પાર્ક, આધુનિક પ્રાથમિક શાળા, આવાસ યોજના, પાણી વિતરણ. પેવર બ્લોક અને આર.સી.સી. રોડ, આધુનિક સુવિધાઓ જેવી કે કોમ્યુનિટી હોલ, જીમ, આર પ્લાન્ટ, પુસ્તકાલય, સી.સી.ટી.વી મોનિટરીંગ વગેરે દ્વારા આદર્શ ગ્રામ સ્વરુપે ગામનો વિકાસ કરવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.