PMની ‘મનની વાત’થી સમાજ પર સકારાત્મક પ્રભાવ પડે છે: કલેક્ટર, દમણ

PMની મનની વાતની 100મી કડીનું પ્રસારણ થયું હતું. આ કાર્યક્રમનું દેશભરમાં વિવિધ સ્થળે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું. જેમાં આજે દમણ ખાતે 700થી વધુ લોકોએ આ કાર્યક્રમને જોયો હતો.

PM નરેન્દ્ર મોદીની દર મહિને ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારીત થતી મનની વાતનો 100માં એપિસોડનું પ્રસારણ થયું. દેશભરમાં વિવિધ સ્થળોએ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતુ. ત્યારે દમણમાં સ્વામી વિવેકાનંદ સભાખંડ ખાતે આ કાર્યક્રમનાં પ્રસારણનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત દમણ જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રાએ જણાવ્યું હતું કે PMનાં મનની વાત કાર્યક્રમથી સમાજનાં અજાણ્યા વ્યક્તિત્વને ઓળખ મળે છે. તેમના કામને બિરદાવવાથી તેમનો ઉત્સાહ વધે છે અને પરિણામે સમાજમાં એક સકારાત્મક પ્રભાવ પડે છે. આ કાર્યક્રમ દરેક વ્યક્તિએ સાંભળવો જોઈએ એવી પણ તેમને અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં દાદરા નગહવેલી, દીવ અને દમણનાં માહિતી અને પ્રચાર વિભાગનાં સચિવ એસ અસકર અલી, દમણ જિલ્લા ડેપ્યુટી કલેક્ટર મોહિત મિશ્રા, લોકપ્રતિનિધિઓ, હોટલ, ઉદ્યોગ જેવા વિવિધ એસોસિએશનનાં પ્રમુખો, શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસર અને વિદ્યાર્થીઓ, માજી સૈનિકો સહિત સમાજનાં વિવિધ વર્ગનાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.