આ યોજના પ્રમુખસ્વામી નગર તરીકે ઓળખાશે, AMCએ લીધો નિર્ણય

સાયન્સ સિટી ખાતેની આવાસ યોજનાનું નામ પ્રમુખસ્વામી નગર AMC દ્વારા આપવામાં આવ્યું છે. આ નિર્ણયને સ્થાયી સમિતિએ મંજૂરી આપી દીધી છે જેથી હવે તે પ્રમુખસ્વામી નગર તરીકે ઓળખાશે.

અમદાવાદમાં તાજેતરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું સમાપન થયું છે. મહોત્સવના અંતે મળેલી બેઠકમાં સ્થાયી સમિતિ દ્વારા આ નિર્ણય લેવાયો હતો. શહેરમાં તાજેતરમાં જ યોજાયેયા મહોત્સવ રાજ્ય અને દેશમાંથી લોકો આવ્યા હતા અને મોટી છાપ છોડી છે ત્યારે આ મહોત્સવની યાદમાં સાયન્સ સિટીમાં આવાસ યોજનાનું નામ પ્રમુખસ્વામી મહારાજ આવાસ યોજના રાખવામાં આવ્યું છે.

ભાડજ સર્કલ અને ઓગમજ સર્કલ વચ્ચે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો જ્યાં એક્ઝિબિશન હોલ સહિત વિવિધ શો યોજાયા હતા. આ સાથે ગ્લો ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે. આ નગરમાં લાખો લોકોએ દર્શનનો લાભ લીધો હતો.

સાયન્સ સિટીમાં આવાસ યોજનામાં લગભગ 1000 ફ્લેટ છે જે હવે આ નામથી ઓળખાશે. આ આવાસ યોજનાના મકાનો શતાબ્દી મહોત્સવમાં કામ કરતા સેવકોને આપવામાં આવ્યા હતા. ત્યારે હવે એક સ્મૃતિરુપે રહે તે માટે આ નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.