ભારતમાં પણ વધી રહ્યો ચીનવાળો કોરોના વેરિયન્ટ! આ 16 લક્ષણો દેખાય તો થઈ જાઓ સાવધાન

કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર વિશ્વની ચિંતા વધારી દીધી છે. લોકોને કોરોનાથી થોડી રાહત મળી હતી કે ચીન, જાપાન, આર્જેન્ટિના, દક્ષિણ કોરિયા, અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં ફરી કેસ વધવા લાગ્યા છે. દર્દીઓની વધતી સંખ્યાને જોતા, ભારતના આરોગ્ય મંત્રાલયે પણ એક બેઠક બોલાવી જેમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. ચીનમાં કોવિડ-19 કેસમાં વધારા માટે જવાબદાર ઓમિક્રોનના BF.7 વેરિયન્ટના ચાર કેસ ભારતમાં પણ મળી આવ્યા છે. ગુજરાતમાં કોવિડ પોઝિટિવ મળી આવેલી 61 વર્ષીય NRI મહિલાએ રસીના ત્રણ ડોઝ લીધા હતા.

કોરોના વાયરસ સતત મ્યુટેટ થઈ રહ્યો છે અને તેને કારણે તેના લક્ષણો પણ બદલાઈ રહ્યા છે. આવા ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં રસી લીધેલા લોકો પણ કોવિડ પોઝિટિવ બની રહ્યા છે. વાસ્તવમાં, આવા ઘણા લક્ષણો છે જેને કોઈપણ વ્યક્તિ સામાન્ય ગણીને અવગણના કરે છે, પરંતુ તે લક્ષણો કોરોનાના પણ હોઈ શકે છે. યુકેની આરોગ્ય અભ્યાસ એપ્લિકેશન ZOE પર સંક્રમિત લોકો તેમના લક્ષણો જણાવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ એપ પર સંક્રમિત લોકો દ્વારા કેટલાક લક્ષણોની જાણ કરવામાં આવી છે. 

અહેવાલો અનુસાર, કોરોના રોગચાળાની શરૂઆતથી, ZOE એપ કોવિડના લક્ષણો અને સમય સાથે લોકોમાં લક્ષણો કેવી રીતે બદલાઈ રહ્યા છે તે વિશે સતત માહિતી આપી રહી છે. SARS-CoV-2 કોરોના વાયરસ જે કોવિડ-19નું કારણ બને છે, દરેક વાયરસની જેમ, તેની ફેલાવાની ક્ષમતા અને તેના લક્ષણોને કારણે પરિવર્તન થઈ રહ્યું છે. 

કોવિડ-19ના સૌથી સામાન્ય લક્ષણો છે જેને અવગણવા જોઈએ નહીં - 

  • સુકુ ગળું
  • છીંક
  • વહેતું નાક
  • બંધ નાક
  • કફ વગરની ઉધરસ
  • માથાનો દુઃખાવો
  • કફ સાથે ઉધરસ
  • બોલવામાં તકલીફ 
  • સ્નાયુઓમાં દુઃખાવો
  • કોઈ ગંધ ન આવવી 
  • ઉંચો તાવ
  • ઠંડી સાથે તાવ
  • સતત ઉધરસ
  • શ્વાસ લેવામાં તકલીફ
  • થાક લાગવો
  • ભૂખ ન લાગવી
  • ઝાડા

ખૂબ જ સામાન્ય બની ગયા છે આ લક્ષણ 

ZOE હેલ્થ સ્ટડી અનુસાર, ગંધ ન આવવી અને શ્વાસ લેવામાં તકલીફ એ કોવિડ-19ના BF-7 વેરિયન્ટના સામાન્ય લક્ષણો છે. કોરોનાના અન્ય પ્રકારોમાં પણ આ સૌથી સામાન્ય લક્ષણ હતું. એનોસ્મિયા એ કોવિડ-19નું મુખ્ય લક્ષણ હતું, પરંતુ જે લોકોને કોવિડ થઈ રહ્યો છે, એમાંથી માત્ર 16 ટકા લોકો જ તેનો અનુભવ કરી રહ્યા છે.

જો લક્ષણો દેખાય તો શું કરવું?

નેશનલ હેલ્થ સર્વિસ કહે છે કે ઘણા લોકો પાંચ દિવસ પછી પણ અન્ય લોકોમાં સંક્રમણ ફેલાવતા નથી, પરંતુ કેટલાક લોકો સંક્રમિત થયાના 10 દિવસ પછી પણ સંક્રમણ ફેલાવી શકે છે. તેથી, જે લોકોને કોઈ લક્ષણો દેખાઈ રહ્યા છે તેની અવગણના કરવાને બદલે, તેઓએ પાંચ દિવસ સુધી અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને ઓછામાં ઓછા 10 દિવસ સુધી વૃદ્ધ-બાળકો અથવા બીમાર લોકોને મળવાનું ટાળવું જોઈએ.

સાવચેત રહેવાની જરૂર 

એક નિષ્ણાંતનું કહેવું છે કે, ભારતમાં કોવિડ રસીકરણ અભિયાન અને અસરકારક રસીને ધ્યાનમાં રાખીને ચીનમાં કોવિડ-19ના વધતા જતા કેસોને લઈને ગભરાવાની જરૂર નથી. ચીનથી આવનારી ફ્લાઈટ્સ સંબંધિત નીતિઓ પર તરત કામ કરવું જોઈએ. ચીનમાં ફેલાયેલ વર્તમાન કોવિડ માત્ર ચીન માટે દુઃખદ રોગચાળો નથી, પરંતુ વૈશ્વિક વસ્તીને પણ મોટા જોખમમાં મૂકી શકે છે.

એન્ટિ ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્ય અને કોવિડ રસીકરણ અભિયાનના વડાએ જણાવ્યા અનુસાર, ભારતે ચીનમાં વધતા કેસથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. ભારતમાં મોટા પાયે રસીકરણ કરવામાં આવ્યું છે, જેમાં વૃદ્ધો અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.

Related Posts

Top News

નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
Business 
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
Gujarat 
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે જમણેરી વિપક્ષી સાંસદના નિવેદન પછી રાજકીય વિવાદ ઉભો થયો છે. એક તરફ, જ્યાં...
World 
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

અમદાવાદની સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે જોરદાર પાણીની આવક થઈ રહી છે. પરિણામે નદીનું...
Gujarat 
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

Opinion

શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી? શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.