PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

(પ્રોફેસર કિરણ પંડ્યા)

હું એ સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું કે કોઈપણ ચેટબોટના સકારાત્મક કે નકારાત્મક જવાબને બહુ ગંભીરતાથી ન લેવો જોઈએ. આ ચેટબોટ્સ કોઈ પણ રીતે નિષ્પક્ષ (ઓબ્જેક્ટિવ) જવાબ આપતા નથી. તેમનો જવાબ અનેક બાબતો પર આધાર રાખે છે, જેમ કે –  

- પૂછાયેલા પ્રશ્નનો પ્રકાર,  
- તેમના અલ્ગોરિધમ,  
- ઈન્ટરનેટ પર ડિજિટલ રૂપમાં ઉપલબ્ધ માહિતી.  

જ્યારે મેં ભારતના વડાપ્રધાનના નેતૃત્વ વિશે એક ચેટબોટને પ્રશ્ન પૂછ્યો, તો જે જવાબ મળ્યો તે આ પ્રમાણે હતો:  
"નરેન્દ્ર મોદી, જે 2014 થી ભારતના વડા પ્રધાન છે, એક આધુનિક નેતા છે. તેમની મુખ્ય તાકાત ચૂંટણીમાં સતત સફળતા પ્રાપ્ત કરવું છે—2014, 2019 અને 2024 માં સતત ત્રણ વાર વિજય મેળવવો—અને તેમના કેટલાક મોટા નીતિગત પગલાં, જેમ કે ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સ (GST) લાગુ કરવો, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવો અને વિશ્વની મહાસત્તાઓ સાથે સંતુલન સાધતી વધુ આક્રમક વિદેશ નીતિ અપનાવવી. 2024 માં ઈન્ડિયા ટુડેના Mood of the Nation સર્વે અનુસાર, 51% લોકો તેમને પ્રિય નેતા માને છે, જે તેમની લોકપ્રિયતા સતત રહી છે તે દર્શાવે છે. તેમનો કેન્દ્રિકૃત નિર્ણય લેવાની સ્ટાઇલ અને ગઠબંધનની રાજનીતિ છતાં સુધારાઓ અમલમાં મૂકવાની તેમની ક્ષમતા તેમને એક અલગ પ્રકારનો પાવર આપે છે, જે પ્રજાના જનાધાર અને આર્થિક મહત્ત્વાકાંક્ષાઓ સાથે જોડાયેલી છે."  

surat
indianexpress.com

આ ઉદાહરણ સ્પષ્ટ કરે છે કે ચેટબોટનો જવાબ જે તે સમયે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ ડેટા પર આધાર રાખે છે, કોઈ નિષ્પક્ષ અને નિશ્ચિત સત્ય પર નહીં. તેથી, હું ChatGPT, Grok, અથવા Perplexity AI જેવી ટેક્નોલોજીની ઉપયોગિતા અંગે શંકાસ્પદ છું, ખાસ કરીને જ્યારે વાત સાંસ્કૃતિક, રાજકીય અને ઐતિહાસિક વિષયોની સાચી અને નિષ્પક્ષ માહિતી મેળવવાની હોય.  

(સુરતની સાર્વજનિક યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ કિરણ પંડ્યાના ફેસબુક પોસ્ટ પરથી સાભાર. ડો. પંડ્યા દેશના જાણીતા અર્થશાસ્ત્રી છે અને ડેટા વિષયના નિષ્ણાત માનવામાં આવે છે. આ લેખ તેમના અંગ્રેજી ફેસબુક પોસ્ટનો ગુજરાતી ભાવાનુવાદ છે.)

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.