અદનાન સામીને ભારતીય બનવામાં લાગ્યા 18 વર્ષ, દોઢ વર્ષ સુધી કોઈ દેશનો નહોતો

સિંગર અદનાન સામીનો જન્મ ઈંગ્લેન્ડમાં તો થયો હતો પરંતુ તેની પાસે પાકિસ્તાનની નાગરિકતા હતી. ભારતમાં સતત ઘણા વર્ષોથી કામ કરી રહેલા સામીને 2016માં ભારતની નાગરિકતા મળી હતી. પોતાની બદલાયેલી નાગરિકતાના કારણે તે ઘણો ચર્ચામાં રહ્યો હતો. જ્યારે અદનાન સામીએ કહ્યું છે કે ભારતની નાગરિકતા મેળવવા માટે તેણે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે. અદનાને એક નવી વાતચીતમાં કહ્યું છે કે તેની લાઈફ એટલી ક્રેઝી રહી છે કે જો બોલિવુડની ફિલ્મ લખનારને પોતાની સ્ટોરી સંભળાવે તો તેઓ હસવા લાગશે અને કહેશે કે તે વાત બનાવી રહ્યો છે.

એક નવા ઈન્ટરવ્યુંમાં અદાનાને કહ્યું છે કે ભારતીય નાગરિકતા લેવામાં તેને 18 વર્ષનો સમય લાગ્યો અને જનતાને તે અંગે અડધી વાત ખબર નથી. મૈશેબલ ઈન્ડિયા યુટ્યૂબ ચેનલની સાથે નવી વાતચીતમાં અદાનાને કહ્યું છે કે ભારતની નાગરિકતા લેવામાં તેણે ઘણા ટ્વિસ્ટ અને ટર્ન ઝેલવા પડ્યા છે અને ઘણી વખત નિરાશા પણ હાથ લાગી હતી. તેણે કહ્યું કે બે વખતે તેને રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. અદનાને કહ્યું કે, લોકોને લાગે છે કે આ ઘણું સરળ રહ્યું હશે કારણ કે હું સેલિબ્રિટી છું પરંતુ આ સરળ નહીં હતું.

પોતાની આ સ્ટ્રગલ અંગે વાત કરતા અદનાને કહ્યું છે કે, સરળ ઉપાય જેવું કંઈ હોતું નથી. તમારે દરેક વસ્તુ માટે મહેનત કરવી પડે છે. વાત માત્ર એ છે કે તમને તેની ખબર એક દિવસ અચાનક પડશે. એક દિવસ તમે ઉઠશો અને સમાચારમાં તમને ખબર પડે કે તમને ભારતની નાગરિકતા મળી ગઈ છે. અદનાને ઈન્ટરવ્યુંમાં કહ્યું છે કે તેને ભારતીય નાગરિકતા 18 વર્ષના લાંબા સમય પછી મળી છે. હું માત્ર એ કહેવા ઈચ્છું છું કે 18 વર્ષમાં મેં દુનિયાને કંઈ બતાવ્યું નથી.

બે વખત રિજેક્ટ થયો. મારે મારી ઓરિજીનલ નાગરિકતા છોડવી પડી અને આ વચ્ચેના દોઢ વર્ષ એવા હતા કે હું કોઈ પણ દેશનો નાગરિક નહોંતો. એક પાસપોર્ટ એકમાત્ર ડોક્યુમેન્ટ હોય છે પરંતુ એક પણ દેશનો નહીં હતો. આ હાલતમાં હું ટ્રાવેલ કરી શકતો ન હતો. કંઈ જ કરી શકતો ન હતો. ગયા વર્ષે ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં જ્યારે ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવ્યું તો અદનાને ઈંગ્લેન્ડને જીતની શુભેચ્છા પાઠવતા લખ્યું હતું. પહેલા પાકિસ્તાની રહેલા અદાનાનના આ ટ્વીટ પર તેને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.

જેના જવાબમાં અદનાને ટ્વિટર પર કહ્યું હતું કે પાકિસ્તાનમાં તેની સાથે ખરાબ વર્તન થયું, જે તેને ત્યાંની નાગરિકતા છોડવા માટેનું મોટું કારણ બન્યું હતું. તેણે એ પણ કહ્યું હતું કે, તે એક દિવસ ખુલાસો કરશે કે પાકિસ્તાનમાં તેની સાથે કેવું વર્તન થયું અને તે લોકોને શોક આપી દેશે.   

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.