ધૂરંધરની સફળતાને કારણે અક્ષય ખન્નાએ 'દૃશ્યમ 3' માટે 21 કરોડ માંગી લીધા, પ્રોડ્યૂસરે તેની જગ્યાએ આ અભિનેતા લઈ લીધો

દ્રશ્યમ ફ્રેન્ચાઇઝ અજય દેવગણના કરિયરની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. જે સમયે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં રિમેકને નકારાત્મક માનવામાં આવતી હતી, ત્યારે રિલીઝ થયેલી 'દ્રશ્યમ 2'એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. અજય દેવગણે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, તે હવે શ્રેણીની ત્રીજી ફિલ્મ 'દ્રશ્યમ 3' લાવી રહ્યો છે, જે 2 ઓક્ટોબર, 2026ના રોજ રિલીઝ થવાની છે. જોકે, આ જાહેરાત પછી, ફિલ્મ વિશે કેટલીક અફવાઓ ફેલાઈ હતી. એવા અહેવાલો આવ્યા હતા કે, અક્ષય ખન્નાએ 'દ્રશ્યમ 3' છોડી દીધી છે. તે 'દ્રશ્યમ 2'નો મુખ્ય ભાગ હતો, જ્યાં તેણે IG તરુણ અહલાવતની ભૂમિકા ભજવી હતી. આના કારણે અટકળો શરૂ થઈ હતી કે તે 'દ્રશ્યમ 3'માં પણ દેખાશે. પછી, એક અપડેટ આવ્યું કે, અક્ષયે 'દ્રશ્યમ 3' છોડી દીધી છે. ત્યારપછી એવા અહેવાલ આવ્યા હતા કે, નિર્માતાઓ તેની સાથે વાતચીત કરી રહ્યા છે. જોકે, તાજા સમાચાર એ છે કે, 'દ્રશ્યમ 3'માં અક્ષયને બદલી નાખવામાં આવ્યો છે. મીડિયા સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર, 'દ્રશ્યમ 3'માં જયદીપ અહલાવત તેમનું સ્થાન લેશે. આ પહેલી વાર છે જ્યારે જયદીપ અજય દેવગણ સાથે કામ કરશે.

Akshaye-Khanna3
amritvichar.com

આ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 'જયદીપ જાન્યુઆરી 2026માં 'દ્રશ્યમ 3'નું શૂટિંગ શરૂ કરી દેશે. ફિલ્મમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે અને વાર્તાનો માર્ગ જ બદલી નાખશે.'

Akshaye-Khanna2
newstrack.com

જયદીપ દ્વારા, નિર્માતાઓ ફ્રેન્ચાઇઝમાં એક નવું પાત્ર ઉમેરી રહ્યા છે. તેમની મૂળ યોજના 'દ્રશ્યમ 3'માં અક્ષય ખન્નાને મુખ્ય ભૂમિકા ભજવવાની હતી. 'દ્રશ્યમ 2'માં તેમના પાત્રને ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું. તેથી, નિર્માતાઓ માનતા હતા કે અક્ષય 'દ્રશ્યમ 3' કરવા માટે પણ સંમત થશે. જોકે, અક્ષયે એક શરત મૂકી. તે 'દ્રશ્યમ 3' માટે પહેલા કરતા વધુ ફી માંગી રહ્યો હતો. 2025માં, તેમણે બે મોટી ફિલ્મો રજૂ કરી-'છાવા' અને 'ધુરંધર'. બંને ફિલ્મોમાં તેમના પાત્રો લોકપ્રિય બન્યા. 'ધુરંધર'ના કિસ્સામાં, તો તેમના પર મોટી સંખ્યામાં રીલ બનાવવામાં આવી હતી. આ લોકપ્રિયતાને કારણે, અક્ષયે તેની ફી વધારવાનો નિર્ણય લીધો.

Akshaye-Khanna1
aajtak.in

મીડિયા સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, અક્ષયે 'દ્રશ્યમ 3' માટે રૂ. 21 કરોડની ફી માંગી હતી. આ માટે નિર્માતાઓએ દાવો કર્યો હતો કે, તેમની ફિલ્મ બજેટથી આગળ જશે. બંને પક્ષો કોઈ સમજૂતી પર પહોંચી શક્યા નહીં, અને અક્ષયે પ્રોજેક્ટ છોડી દીધો. અહીં તમને જણાવી દઈએ કે, 'દ્રશ્યમ 3'ના નિર્માતાઓ અથવા અક્ષય ખન્ના દ્વારા આ મુદ્દે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. બીજી બાજુ, 'દ્રશ્યમ 3' અંગે વાત કરીએ તો, અસલી ફિલ્મનું મલયાલમ સંસ્કરણ પહેલા રિલીઝ થશે, અને તે પછી જ હિન્દી સંસ્કરણ થિયેટરોમાં આવશે. મૂળ ફિલ્મના દિગ્દર્શક જીતુ જોસેફે જણાવ્યું હતું કે 'દ્રશ્યમ 3'માં થ્રિલર તત્વ નહીં હોય. આવી સ્થિતિમાં, તે પુરી રીતે સ્પષ્ટ નથી કે હિન્દી સંસ્કરણ એ જ પ્રકારની સ્ક્રિપ્ટ પર આધારિત હશે કે તેઓએ પોતાના મુજબ કેટલાક ફેરફારો કર્યા છે.

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.