ધૂરંધરની સફળતાને કારણે અક્ષય ખન્નાએ 'દૃશ્યમ 3' માટે 21 કરોડ માંગી લીધા, પ્રોડ્યૂસરે તેની જગ્યાએ આ અભિનેતા લઈ લીધો

દ્રશ્યમ ફ્રેન્ચાઇઝ અજય દેવગણના કરિયરની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. જે સમયે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં રિમેકને નકારાત્મક માનવામાં આવતી હતી, ત્યારે રિલીઝ થયેલી 'દ્રશ્યમ 2'એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. અજય દેવગણે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, તે હવે શ્રેણીની ત્રીજી ફિલ્મ 'દ્રશ્યમ 3' લાવી રહ્યો છે, જે 2 ઓક્ટોબર, 2026ના રોજ રિલીઝ થવાની છે. જોકે, આ જાહેરાત પછી, ફિલ્મ વિશે કેટલીક અફવાઓ ફેલાઈ હતી. એવા અહેવાલો આવ્યા હતા કે, અક્ષય ખન્નાએ 'દ્રશ્યમ 3' છોડી દીધી છે. તે 'દ્રશ્યમ 2'નો મુખ્ય ભાગ હતો, જ્યાં તેણે IG તરુણ અહલાવતની ભૂમિકા ભજવી હતી. આના કારણે અટકળો શરૂ થઈ હતી કે તે 'દ્રશ્યમ 3'માં પણ દેખાશે. પછી, એક અપડેટ આવ્યું કે, અક્ષયે 'દ્રશ્યમ 3' છોડી દીધી છે. ત્યારપછી એવા અહેવાલ આવ્યા હતા કે, નિર્માતાઓ તેની સાથે વાતચીત કરી રહ્યા છે. જોકે, તાજા સમાચાર એ છે કે, 'દ્રશ્યમ 3'માં અક્ષયને બદલી નાખવામાં આવ્યો છે. મીડિયા સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર, 'દ્રશ્યમ 3'માં જયદીપ અહલાવત તેમનું સ્થાન લેશે. આ પહેલી વાર છે જ્યારે જયદીપ અજય દેવગણ સાથે કામ કરશે.

Akshaye-Khanna3
amritvichar.com

આ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 'જયદીપ જાન્યુઆરી 2026માં 'દ્રશ્યમ 3'નું શૂટિંગ શરૂ કરી દેશે. ફિલ્મમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે અને વાર્તાનો માર્ગ જ બદલી નાખશે.'

Akshaye-Khanna2
newstrack.com

જયદીપ દ્વારા, નિર્માતાઓ ફ્રેન્ચાઇઝમાં એક નવું પાત્ર ઉમેરી રહ્યા છે. તેમની મૂળ યોજના 'દ્રશ્યમ 3'માં અક્ષય ખન્નાને મુખ્ય ભૂમિકા ભજવવાની હતી. 'દ્રશ્યમ 2'માં તેમના પાત્રને ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું. તેથી, નિર્માતાઓ માનતા હતા કે અક્ષય 'દ્રશ્યમ 3' કરવા માટે પણ સંમત થશે. જોકે, અક્ષયે એક શરત મૂકી. તે 'દ્રશ્યમ 3' માટે પહેલા કરતા વધુ ફી માંગી રહ્યો હતો. 2025માં, તેમણે બે મોટી ફિલ્મો રજૂ કરી-'છાવા' અને 'ધુરંધર'. બંને ફિલ્મોમાં તેમના પાત્રો લોકપ્રિય બન્યા. 'ધુરંધર'ના કિસ્સામાં, તો તેમના પર મોટી સંખ્યામાં રીલ બનાવવામાં આવી હતી. આ લોકપ્રિયતાને કારણે, અક્ષયે તેની ફી વધારવાનો નિર્ણય લીધો.

Akshaye-Khanna1
aajtak.in

મીડિયા સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, અક્ષયે 'દ્રશ્યમ 3' માટે રૂ. 21 કરોડની ફી માંગી હતી. આ માટે નિર્માતાઓએ દાવો કર્યો હતો કે, તેમની ફિલ્મ બજેટથી આગળ જશે. બંને પક્ષો કોઈ સમજૂતી પર પહોંચી શક્યા નહીં, અને અક્ષયે પ્રોજેક્ટ છોડી દીધો. અહીં તમને જણાવી દઈએ કે, 'દ્રશ્યમ 3'ના નિર્માતાઓ અથવા અક્ષય ખન્ના દ્વારા આ મુદ્દે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. બીજી બાજુ, 'દ્રશ્યમ 3' અંગે વાત કરીએ તો, અસલી ફિલ્મનું મલયાલમ સંસ્કરણ પહેલા રિલીઝ થશે, અને તે પછી જ હિન્દી સંસ્કરણ થિયેટરોમાં આવશે. મૂળ ફિલ્મના દિગ્દર્શક જીતુ જોસેફે જણાવ્યું હતું કે 'દ્રશ્યમ 3'માં થ્રિલર તત્વ નહીં હોય. આવી સ્થિતિમાં, તે પુરી રીતે સ્પષ્ટ નથી કે હિન્દી સંસ્કરણ એ જ પ્રકારની સ્ક્રિપ્ટ પર આધારિત હશે કે તેઓએ પોતાના મુજબ કેટલાક ફેરફારો કર્યા છે.

About The Author

Related Posts

Top News

ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

ભારતીય ઇતિહાસમાં સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ સંસ્કૃતિ, પુનર્જાગરણ અને અડગ શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે....
National 
ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

દેશના આ 7 શહેરોમાં પીવાનું પાણી સૌથી શુદ્ધ છે; તમે તેને સીધું નળમાંથી પી શકો છો

ભારતમાં ઘણા એવા શહેરો છે જ્યાં લોકો વોટર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાને બદલે સીધું નળમાંથી જ  પાણી પીવે છે. આ સાત...
National 
દેશના આ 7 શહેરોમાં પીવાનું પાણી સૌથી શુદ્ધ છે; તમે તેને સીધું નળમાંથી પી શકો છો

અમૂલ દહીંને લઇને એવો શું દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ સ્પષ્ટતા કરવી પડી

ડાયટિંગ કરનારા અને સંતુલિત આહાર ખનારા લોકો પોતાના દરેક કોળિયાને લઈને ધ્યાન રાખે છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને કેટલું  સુગર...
Lifestyle 
અમૂલ દહીંને લઇને એવો શું દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ સ્પષ્ટતા કરવી પડી

આ બીયર વર્ષમાં માત્ર 15 દિવસ જ વેચાય છે, તેની વિશેષતા જાણીને ચોંકી જશો

જો તમે પીવાના શોખીન હોવ તો તમે ઘણી બ્રાન્ડના બીયરનો સ્વાદ ચાખ્યો હશે, પરંતુ શું તમે ક્યારેય એવી બીયર...
Lifestyle 
આ બીયર વર્ષમાં માત્ર 15 દિવસ જ વેચાય છે, તેની વિશેષતા જાણીને ચોંકી જશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.