અમિષા પટેલે ‘ગદર-2’ વિશે એવું લખ્યું કે ચાહકોએ જબરદસ્ત ટ્રોલ કરી દીધી

થોડા દિવસો પહેલા 'ગદર 2'નું ટીઝર રીલિઝ થયું હતું, જેમાં તારા સિંહ લાલ કપડામાં લપેટાયેલી લાશ પાસે બેઠેલી જોવા મળી હતી. તે હાથ જોડીને રડતી પણ જોવા મળી હતી.આ ટીઝર જોઈને ચાહકો નારાજ થઈ ગયા હતા. જ્યારે બોલિવુડ અભિનેત્રી અને ફિલ્મની કલાકાર અમિષા પટેલને ચાહકોની મુશ્કેલી વિશે જાણ થઇ તો તેણે ફિલ્મનું સ્પાઇલર જાહેર કરી દીધુ હતું.

સ્પાઇલર એટલે કોઇ ફિલ્મનો પ્લોટ કે સસ્પેન્શન વિશે તમને રોમાંચ હોય અને એ માહિતી જાહેર થઇ જાય જેને કારણે તમારો મૂડ બગડી શકે છે.

બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ વર્ષો પછી ફિલ્મ ‘ગદર-2’થી ફિલ્મમાં વાપસી કરી રહી છે. સની દેઓલ અભિનીત આ ફિલ્મમાં અભિનેત્રી અમિષા, સકીનાનું પાત્ર ભજવતા જોવા મળશે. એવી ધારણા રાખવામાં આવી રહી છે કે બધાને તારા સિંહ અને સકીનાની જોડી ફરી એકવાર પસંદ આવશે. ફિલ્મ ‘ગદર-2’  11 ઓગસ્ટે દેશભરના સિનેમાઘરોમાં રજૂ થવાની છે, એટલે હજુ ફિલ્મ રીલિઝને દોઢ મહિનાની વાર છે. આ વચ્ચે અમિષા પટેલે ફિલ્મને લઇને એક મોટી જાણકારી આપી દીધી હતી.

અમિષા પટેલે ટ્વીટ કરીને લખ્યું કે, મારા બધા પ્યારા ચાહકો, તમારામાંથી ઘણા એ વિચારીને ચિંતિત થઇ રહ્યા છે કે ‘ગદર-2’માં સકીનાનું મોત થવાનું છે. અમિષાએ કહ્યું કે, આવું ન વિચારતા, કારણકે આવું કશું થવાનું નથી. તારા સિંહ કોની બોડી પાસે બેઠા છે એ તો તમને હું ન કહી શકું, પરંતુ એટલું જરૂર કહીશ કે એ સકીના નથી. એટલે તમે બધા પરેશાન થશો નહીં. લવ યૂ ઓલ.

ચાહકોની પરેશાની દુર થશે એવા આશયથી અમિષાએ ટ્વીટ કર્યું , પરંતુ ચાહકો તો વધારે નારાજ થઇ ગયા અને અમિષા પટેલ પર ભડકી ઉઠ્યા હતા. એક યૂઝરે લખ્યુ કે તમે ફિલ્મના સ્પાઇલર્સ શું કામ બતાવી રહ્યા છો? એક યૂઝરે લખ્યું કે  એક કામ કરો, ક્લાઇમેક્સ પણ બતાવી દો, જેથી અમારે સિનેમાઘરમાં જઇને ફિલ્મ જોવાની જરૂર જ ન પડે. બધું ઘર બેઠા જ ખબર પડશે. એક યૂઝરે લખ્યું કે આ રીતે સ્પાઇલર આપી દેવાથી શું થશે?

‘ગદર-2’ ફિલ્મ વર્ષ 2001માં આવેલી ‘ગદર’ એક પ્રેમકથાની સીક્વલ છે. ફિલ્મને અનિલ શર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં લવ સિંહા, ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.