'સિનેમા ધંધો નથી પણ ધર્મ છે', કરણ જોહરના શોમાં ઈમરાન હાશ્મી બન્યો હીરો

બોલિવૂડના સિરિયલ કિસર ઈમરાન હાશ્મી હવે એક એકથી ચઢિયાતા પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે. દરમિયાન, અભિનેતાની નવી સીરિઝ 'શોટાઈમ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 'શોટાઈમ'માં ઈમરાન હાશ્મી એક અભિનેતાના રોલમાં જોવા મળશે, જે બહારના વ્યક્તિને પાઠ ભણાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે સ્ટાર બનવા માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે.

ટ્રેલરની શરૂઆત ઈમરાન હાશ્મીના પાત્ર રઘુ ખન્ના તેની લેડી લવ મૌની રોય સાથે ડાન્સ કરી રહ્યો હોય છે. બહારની વ્યક્તિ, મહિમા મકવાણા એટલે કે મહિકા નંદી, તેને લાઈવ TV પર સંભળાવી રહી છે. મકવાણા કહે છે કે, પિતાના પૈસા પર ફિલ્મો બનાવનારા લોકો પર નેપોટિઝમને પણ શરમ આવી જાય છે. આ શ્રેણીમાં નસીરુદ્દીન શાહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક મોટા વ્યક્તિ બનેલા છે, જેમનુ કહેવું છે કે, સિનેમા એ ધંધો નથી પણ ધર્મ છે.

આઉટસાઇડર માહિકા નંદી હકીકતમાં એક પત્રકાર છે, જે ઈમરાનના પડકાર પર ફિલ્મો બનાવવાનું નક્કી કરે છે. બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરવાની રેસ અને તેના પિતાના પૈસાથી મળેલા સ્ટારડમ સિવાય તે લોકોને પાઠ ભણાવવાની તૈયારી કરી રહી છે. જ્યારે અભિનેતા રઘુ ખન્નાની ભૂમિકા ભજવનાર ઈમરાન હાશ્મી તેને કોઈપણ કિંમતે જીતવા દેવા માંગતો નથી. માહિકા ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવવાની પોતાની શોધમાં ઘણા પડકારોનો સામનો કરી રહી છે. તે ઈન્ડસ્ટ્રીની ઝગમગાટમાં ક્યાંય ખોવાઈ ન જાય તેવી તેને સલાહ આપવામાં આવે છે.

કરણ જોહરે આ સિરીઝ પોતાના પ્રોડક્શન બેનર ધર્મા પ્રોડક્શન હેઠળ બનાવી છે. તેમાં ઈમરાન હાશ્મી, મૌની રોય અને મહિમા મકવાણા ઉપરાંત નસીરુદ્દીન શાહ, શ્રિયા સરન, રાજીવ ખંડેલવાલ અને વિજય રાઝ જેવા અન્ય સેલેબ્સ છે. આ સીરિઝ બોલિવૂડમાં નામ બનાવવા માટેના સંઘર્ષ અને રાજકારણને દર્શાવે છે. જેનું નિર્દેશન મિહિર દેસાઈ અને અર્ચિત કુમારે કર્યું છે. તેની વાર્તા સુમિત રોય, લારા ચાંદની અને મિથુન ગંગોપાધ્યાયે લખી છે. આ સીરિઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 8 માર્ચે પ્રસારિત થશે.

આ પહેલા ઈમરાન હાશ્મી અક્ષય કુમાર સાથે ફિલ્મ 'સેલ્ફી'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. મહિમા મકવાણા ફિલ્મ 'અંતિમ'માં સલમાન ખાન અને તેના બનેવી આયુષ શર્મા સાથે જોવા મળી હતી.

આ સિરીઝના ટ્રેલરમાં કેટલાક એવા સંવાદો છે, જે તમારા મનમાં સિરીઝ વિશે ઉત્સુકતા જગાડશે. 'નેપોટિઝમના માસ્ક પાછળ, અંતે, દરેક બહારનો વ્યક્તિ આંતરિક બનવા માંગે છે', આ ડાયલોગ સાંભળીને એવું લાગે છે કે, જાણે કરણ જોહર પોતે જ દર્શકો સમક્ષ પોતાનું દિલ વ્યક્ત કરી રહ્યો હોય. ખેર, હવે આપણે એ જાણવા માટે માર્ચની રાહ જોવી પડશે કે, શું આ સિરીઝ ખરેખર બોલિવૂડ જગતનું કાળું સત્ય આપણી સમક્ષ રજૂ કરશે કે, સત્યના નામે બોલિવૂડની ભલાઈ બતાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.