‘મને આમીર ખાને ફિલ્મમાંથી કઢાવ્યો, કેમ કે હું..’, એક્ટર દયા શંકર પાંડેનો મોટો ખુલાસો

લગાન અને સ્વદેશમાં પોતાની એક્ટિંગથી ચર્ચામાં આવેલા દયા શંકર પાંડેએ તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યો છે. તેણે આમિર ખાન સાથે જોડાયેલી એક ઘટના શેર કરી હતી. તેણે કહ્યું કે, આમિરે સ્ટ્રગલના દિવસોમાં તેને એક ફિલ્મમાંથી કઢાવી મૂક્યો હતો. પાંડેના જણાવ્યા અનુસાર, એ સમયે તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. એવામાં, આમિરના આ નિર્ણયે તેને દયાશંકર પાંડેની નજરમાં વિલન બનાવી દીધો. ચાલો જાણીએ શું છે આખો મામલો.

આમિર અને દયાશંકર પાંડેએ લગાનઅને ગુલામજેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંને વર્ષ 1995માં આવેલી ફિલ્મ અકેલે હમ અકેલે તુમમાં પણ સાથે જોવા મળવાના હતા, પરંતુ આમિરે તેને એમ કહીને ફિલ્મમાંથી કઢાવી મૂક્યો તે આ ભૂમિકા માટે ઓવરક્વાલિફાઇડ છે. ફ્રાઈડે ટોકીઝ નામની યુટ્યુબ ચેનલ સાથે થયેલી વાતચીતમાં તેણે કહ્યું કે, ‘મારી પાસે કોઈ કામ નહોતું. હું આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. મારા પરિવારે પણ મને સમર્થન આપવાનો ઇનકાર કરી દીધો હતો અને મેં વિચારી લીધું હતું કે, હવે હું પોતે જ પૈસા કમાઈશ. મેં ફિલ્મ અકેલે હમ અકેલે તુમના આસિસ્ટન્ટ ડિરેક્ટરને કહ્યું કે, મને કોઈ પણ નાની-મોટી ભૂમિકા આપી દો. તેમણે મને તે ફિલ્મમાં 12 દિવસનું કામ અપાવ્યું અને મને દરરોજ 2000 રૂપિયા મળવા લાગ્યા!

Daya Shankar Pandey
indianexpress.com

 

તેમના જણાવ્યા અનુસાર આમિરે અને તેમણે અગાઉ બાઝીફિલ્મમાં સાથે કામ કર્યું હતું. એટલા આમિરને ખબર હતી. તે જાણતો હતો કે આ એક સારો એક્ટર છે. જોકે, આ ભૂમિકાને કારણે, તે સેટ પર આમિરની નજરોમાં આવતો બચી રહ્યો હતો. પરંતુ એક દિવસ આમિરે તેને જોઈ લીધો અને પૂછ્યું કે તે સેટ પર શું કરી રહ્યો છે. દયાશંકરે જણાવ્યું કે તે આ ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટના રૂપમાં જોડાયો છે. આ સાંભળીને આમિરે ફિલ્મના ડિરેક્ટર મન્સૂર ખાન અને આસિસ્ટન્ટ ડિરેક્ટરને કહ્યું કે દયાશંકરના ટેલેન્ટને આ રીતે બર્બાદ ન કરો. તે ખૂબ જ સારો એક્ટર છે. પાંડે કહે છે કે તે સમયે તેને આમિરની પ્રશંસા જોઈતી નહોતી. તે માત્ર પોતાના પૈસા લઈને ઘરે જવા માગતો હતો. તેમના જણાવ્યા અનુસાર, ‘અંદરથી ન મને આમિર ખાન વિલેન લાગી રહ્યો હતો. મેં કહ્યું- ઓકે. મને પેકઅપ કરી દીધો.

Daya Shankar Pandey
quora.com

 

જોકે, આમિરે તેને અકેલે હમ અકેલે તુમમાં જૂનિયર આર્ટિસ્ટ તરીકે કામ ન કરવા દીધો, પરંતુ બાદમાં તેણે તેની ભરપાઈ જરૂર કરી દીધી. પાંડે કહે છે કે આમિરે તેને લગાનમાં પણ પોતાની સાથે કાસ્ટ કર્યો. એટલું જ નહીં, તેણે 'ગુલામ'માં પણ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકાની ઓફર પણ કરી હતી. આ ફિલ્મોમાં કામ કર્યા બાદ, તેની પાસે કામની કોઈ કમી નહોતી. આજે તે ફિલ્મો સાથે-સાથે ટીવીમાં પણ ખૂબ એક્ટિવ છે. તેણે લગાનઅને ગુલામસિવાય, ‘વેલકમ ટૂ સજ્જનપુર’, ‘મકડીઅને ગંગાજલજેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. સાથે જ ચર્ચિત ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઈન્સ્પેક્ટર ચાલૂ પાંડેની ભૂમિકામાં પણ જોવા મળે છે.

Related Posts

Top News

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

Xiaomi એ 26 જૂન, 2025 ના રોજ તેનું બીજું ઇલેક્ટ્રિક વાહન, YU7 લોન્ચ કર્યું, અને આ SUV એ ચીનમાં ઇતિહાસ...
Tech and Auto 
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સને આધુનિક યુગના શાનદાર બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. મેદાન પર ભારતીય ટીમના પૂર્વ...
Sports 
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.