શીઝાનની બહેને અંકલ સાથે જોડ્યો તુનિષાની માતાનો સંબંધ, પરિવારે આપી આ પ્રતિક્રિયા

મુંબઈમાં TV એક્ટ્રેસ તુનિષા શર્માના મોતના મામલામાં સોમવારના રોજ શીઝાન ખાનના પરિવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને મોટા દાવાઓ કર્યા છે. શીઝાનની બહેનોએ તુનિષાની માતાનો સંજીવ કૌશલ નામના વ્યક્તિ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે. હવે તુનિશાના પરિવાર તરફથી આ વિશે જવાબ આવ્યો છે. ત્યારે આ બાબતે સંજીવ કૌશલે શું કહ્યું, આવો જાણીએ...

સંજીવ કૌશલે લગાવવામાં આવેલા આરોપો પર કહ્યું કે, અમે એક દિવસ પહેલા જ મુંબઈથી ચંદીગઢ પરત ફર્યા છીએ. અહીં તુનિષાના મામાએ ગત દિવસો દરમિયાન તેની અસ્થિઓનું વિસર્જન કર્યું છે. અહીં ગઈ કાલથી સતત પરિવારના સભ્યો અમને મળવા આવી રહ્યા છે. તુનિષાની કાર અને પાલતું પ્રાણી બધુ આજે જ અહીં પહોંચ્યુ છે. અમે આ બાબતોમાં જ ઉલજી ગયા છીએ, આથી અત્યાર સુધી મેં તેમના આરોપો પર ધ્યાન નથી આપ્યું. તુનિષાની માતાની તબિયત પણ સારી નથી અને હું પોતે ડાયાબિટીસનો દર્દી છું.

તેણે આગળ કહ્યું કે, મને ફરક નથી પડતો કે, લોકો કેવા આરોપો લગાવી રહ્યા છે. હાલમાં મારી પ્રાથમિકતા એ જ છે કે, મારી આસપાસ જેટલા લોકો છે, તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપું અને આ પીડામાંથી બધાને બહાર કાઢી શકું. રહી વાત તુનિષાના સાવકા પિતા હોવાના આરોપની તો હું તો એમ જ કહીશ કે હું સાવકો પિતા નથી, પરંતુ મારી દિકરી હતી તે. ખરેખર તુનિષા હતી જ એટલી પ્યારી કે, દરેક પિતાની ઈચ્છા હશે કે તેના જેવી દીકરી હોય.

સંજીવ કહે છે કે, ભગવાન કરે, આવી છોકરી દરેકના ઘરે આવે. મેં તેને મારી પોતાની દીકરીની (રિતિકા) જેમ જ પ્રેમ કર્યો છે. મારો પરિવાર તેને પોતાની ઘરની દીકરીની જેમ જ માને છે. અહીં લોકો મારા વિશે સાવકા પિતા, પવનને (મામા) બોયફ્રેન્ડ જેવી ખરાબ વાતો કરી રહ્યા છે. અમે આનો જવાબ પણ આપીશું. તુનિષા માટે આયોજિત પ્રાર્થના-સભા પછી, અમે બધા તેના દરેક આરોપોનો જવાબ આપીશું. જો કાયદાકીય રીતે પણ અમારે જવું પડશે તો તેમાં કોઈ વાંધો નથી. કહેવાય છે ને કે, સત્યને કોઈ આંચ નથી આવતી.. બસ...

અહીં તમને જણાવી દઈએ કે, શીઝાન ખાનની બહેનોએ સોમવારના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી અને દાવો કર્યો કે, તુનિષા શર્માની માતા તેની પાસે જબરદસ્તીથી કામ કરાવતી હતી. તેણે અભિનેત્રીને પાઇ-પાઇ માટે નિર્ભર બનાવી દીધી હતી. તુનિષા તેના ઘરના લોકોથી પરેશાન હતી. એટલું જ નહીં, તેમણે સંજીવ કૌશલને તુનિષાના સાવકા પિતા ગણાવ્યા હતા. શીઝાનની બહેનોના જણાવ્યા મુજબ, તુનિષાની માતાનો સંબંધ સંજીવ સાથે છે. સાથે જે મામા પવન શર્મા મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે તે તુનિષાના સાચા મામા નથી, પરંતુ તેની માતાના માનેલા ભાઈ છે.

About The Author

Related Posts

Top News

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

કેનેડાના એજેક્સ (Ajax) સ્થિત એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે $2 મિલિયન (આશરે ₹18.5 કરોડ) ની કિંમતી વસ્તુઓની ચોરીનો મામલો સામે આવ્યો...
World 
કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

સુરત. સુરતનો ઉભરતો સિતારો બેડમિન્ટન ખેલાડી અને મનીત પાહુજા એકેડમી સાથે સંકળાયેલા વિવાન શાહે બિહારમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યોનેક્સ સનરાઇઝ 37મી...
Gujarat 
સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હજીરા-સુરત, ડિસેમ્બર 17, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ને વીજ મંત્રાલય દ્વારા આયોજિત અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી...
Gujarat 
AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ

હૈદરાબાદ (તેલંગાણા) [ભારત], 15 ડિસેમ્બર: સેવા વિતરણ અને ઝડપી પ્રતિભાવમાં સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને, હૈદરાબાદ જિલ્લા કલેક્ટર હરિ...
National 
હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.