100 કરોડમાં વેચાઇ ગયો રાજ કપૂરનો બંગલો, જાણો કપૂર ખાનદાનની પ્રોપર્ટીઓ વિશે

બોલિવુડના ‘શૉ મેન’ કહેવાતા એક્ટર અને પ્રોડ્યુસર રાજ કપૂર પોતાની પાછળ ઘણી યાદો છોડીને ગયા છે. તેમાં માત્ર ફિલ્મો જ નહીં, પ્રોપર્ટી પણ સામેલ છે, પરંતુ વર્ષ દર વર્ષ તેમની યાદો મટતી જઇ રહી છે. થોડા વર્ષો અગાઉ તેમનો આર.કે. સ્ટૂડિયો વેચાઇ ગયો હતો. આ એ જગ્યા છે, જ્યાં ઘણી ફિલ્મોની શૂટિંગ થઇ હતી. આર.કે. સ્ટૂડિયો બાદ હવે ગોદરેજ ગ્રુપે તેમના ચેમ્બુરવાળો બંગલો પણ ખરીદી લીધો છે. હવે આ બંગલાની જગ્યાએ ત્યાં પ્રીમિયર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનશે.

રાજ કપૂર પોતાના ખાનદાન માટે અન્ય પણ ઘણી પ્રોપર્ટી છોડી ગયા, જેની કિંમત કરોડોમાં છે. રિપોર્ટ્સ મુજબ, રાજ કપૂરનો આ બંગલો લગભગ 1 એકરમાં ફેલાયેલો હતો. તે મુંબઇમાં દેવનાર ફાર્મ રોડ પર ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ પાસે સ્થિત છે. આ એરિયા સૌથી પ્રીમિયમ રેસિડેન્શિયલ વિસ્તારમાંથી એક કહેવામાં આવે છે. આ કારણે અહી હવે પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપ થશે. આ બંગલાની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.

આર.કે. સ્ટુડયો:

રાજ કપૂરે કદાચ પોતાના બાળકો માટે સૌથી મોટો વારસો છોડ્યો હતો. મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં એક એકરમાં બનેલી આઇકોનિક બિલ્ડિંગ, જેને બધા આર.કે. સ્ટૂડિયોઝ નામથી ઓળખાતા હતા. તેમાં બોલિવુડની ઘણી યાદગાર ફિલ્મો જેમ કે, ‘શ્રી 420’ થી લઇને ‘બોબી’ સુધીની શૂટિંગ થઇ હતી. કહેવામાં આવે છે કે તેની કિંમત 500 કરોડ રૂપિયાથી વધુ હતી. કપૂર ફેમિલીએ વર્ષ 2018માં આ જમીન ગોદરેજ પ્રોપર્ટીઝને વેચી દીધી હતી કેમ કે તેઓ ચલાવવા કે મેન્ટેન રાખવામાં અસમર્થ હતા.

આર.કે. કોટેજ:

તે આર.કે. સ્ટૂડિયોની બરાબર પાછળ સ્થિત છે. લગભગ 3,000 સ્ક્વેર ફૂટના કોટેજમાં વર્ષ 1946થી રાજ કપૂર, તેમના પત્ની કૃષ્ણા રાજ કપૂર અને તેમના બાળકો રહેતા હતા. ઋષિ કપૂર અને નીતુથી લઇને કરિશ્મા કપૂર અને સંજય સુધીની આ કોટેજમાં ઘણા લગ્ન અને રિસેપ્શન પાર્ટીઓ થઇ હતી. જો કે, આ સંપત્તિને 13 વર્ષ અગાઉ રાજ કપૂરના પત્ની અને દીકરીની મરજી વિરુદ્ધ વેચાણ માટે રાખવામાં આવી હતી. એ સમયે તેની અંદાજિત કિંમત 30 કરોડ રૂપિયા હતી. બિલ્ડર તેને એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં બદલવા માગતા હતા.

રાજબાગ ફાર્મહાઉસ:

બેઝકિંમતી સંપત્તિનો વધુ એક ટુકડો, જેને રાજ કપૂર પોતાના પરિવાર માટે છોડી ગયા છે. તે પૂણેમાં છે, રાજ કપૂર મેમોરિયલની બરાબર બાજુમાં. રાજબાગ અત્યારે પણ આંશિક રૂપે કપૂર ફેમિલીના સ્વામિત્વમાં માનવામાં આવે છે, જે મોટા ભાગે બંગલા પર આવે છે.

એમ્બેસેડર કારોનો કાફલો:

એ સમયમાં કારથી ટ્રાવેલ કરવાનું લક્ઝરી માનવામાં આવતું હતું અને એક સમૃદ્વ પરિવારમાંથી આવવા છતા રાજ કપૂર તેને અફોર્ડ કરી શકતા નહોતા. જો કે, તેમણે એ બધુ બદલી દીધું અને કારોના કાફલાના માલિક બની ગયા. ખાસ કરીને એમ્બેસેડર કારો, જે એ સમયની ચલણ હતી અને તેમની અંગત પસંદગીની પણ. તેમણે ન માત્ર પોતાના માટે એમ્બેસેડર કાર ખરીદી, પરંતુ મિત્રોને પણ ગિફ્ટ આપી. તેમણે બોક્સ ઓફિસ પર ‘બોબી’ની સફળતા બાદ ઘણા મિત્રોને એમ્બેસેડર કાર ગિફ્ટમાં આપી હતી.

Related Posts

Top News

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.