મમતાનો થશે પટ્ટાભિષેક, બનશે કિન્નર અખાડાના મહામંડલેશ્વર, સંગમમાં પિંડદાન કરશે

બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી હવે સંન્યાસી બની ગઈ છે. હવે તેને અભિનેત્રી નહીં, પણ મહામંડલેશ્વર કહેવામાં આવશે. 25 વર્ષ પછી ફક્ત મહાકુંભ માટે ભારત પરત ફરેલી મમતા 144 વર્ષ પછી પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભગવા રંગના ગેટઅપમાં જોવા મળી હતી. તે કપાળ પર ચંદન, ગળામાં રુદ્રાક્ષની માળા અને ખભા પર જોળો લઈને કિન્નર અખાડા પહોંચી હતી. ત્યાં તે આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને મળી.

બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી આજે કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનશે. 24 જાન્યુઆરીની સાંજે, મમતા સંગમ ખાતે પિંડદાન કરશે. જ્યારે, તેનો પટ્ટાભિષેક સમારોહ કિન્નર અખાડા ખાતે સાંજે 6 વાગ્યે યોજાશે. મમતાએ કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી મહારાજ અને જુના અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અંબાનંદ ગિરીને પણ મળી હતી. આ બેઠકના ફોટા પણ સામે આવ્યા છે.

અભિનેત્રી મમતા કુલકર્ણી 25 વર્ષ પછી ભારત પરત ફરી છે. ડિસેમ્બર 2024માં અભિનેત્રી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આટલા વર્ષો પછી તેને ભારતમાં જોઈને બધાને આશ્ચર્ય થયું. તેથી અભિનેત્રીના ચાહકોમાં ખુશીનો માહોલ હતો. એવું માનવામાં આવતું હતું કે, મમતા કુલકર્ણી બોલિવૂડમાં પાછી ફરવા અથવા બિગ બોસ 18માં એન્ટ્રી કરવા માટે ભારત આવી છે. જોકે, અભિનેત્રીએ આ બધી અફવાઓ અને અટકળોને ફગાવી દીધી અને કહ્યું કે, તે મહાકુંભ 2025નો ભાગ બનવા આવી છે.

વર્ષ 2000માં, મમતા કુલકર્ણીએ મુંબઈની સાથે સાથે ભારતને પણ અલવિદા કહ્યું હતું. પાછા ફર્યા પછી, તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે ભારતીય ધરતી પર પગ મુકવા બદલ ખુશી વ્યક્ત કરી. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'બધાને નમસ્તે, હું મમતા કુલકર્ણી છું અને હું 25 વર્ષ પછી ભારત, બોમ્બે, મુંબઈ, આમચી મુંબઈમાં પાછી આવી છું, મેં વર્ષ 2000માં ભારત છોડ્યું અને 2024માં પાછી ફરી છું. હું અહીં છું અને ખૂબ જ ભાવુક થઈ રહી છું. મને સમજાતું નથી કે, તેને કેવી રીતે વ્યક્ત કરું.'

તેણે એમ પણ કહ્યું, 'હું ભાવુક થઈ રહી છું. જ્યારે ફ્લાઇટ લેન્ડ થઈ, હકીકતમાં લેન્ડિંગ પહેલાં જ, મેં મારી જમણી અને ડાબી બાજુ જોવાનું શરૂ કર્યું. હું 24 વર્ષ પછી મારા દેશને જોઈ રહી હતી અને હું ભાવુક થઈ ગઈ. મારી આંખોમાં આંસુ હતા. મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ હું ફરીથી ભાવુક થઈ ગઈ હતી.'

Related Posts

Top News

ગુજરાત સરકાર 'એકતાના પ્રતીક' તરીકે કચ્છમાં સરહદ નજીક ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક બનાવશે

ભારત સરકારે પાકિસ્તાનમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જે સફળ રહ્યું હતું. હવે ગુજરાત સરકારે...
Gujarat 
ગુજરાત સરકાર 'એકતાના પ્રતીક' તરીકે કચ્છમાં સરહદ નજીક ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક બનાવશે

‘શાનદાર નેતા છે PM મોદી, જો દુનિયા શિવને ફોલો કરે તો..’ એલન મસ્કના પિતાએ સનાતન ધર્મની કરી પ્રશંસા

અમેરિકન અબજપતિ અને ટેસ્લાના CEO એલન મસ્કના પિતા એરોલ મસ્ક ભારત આવ્યા છે. સોમવારે તેમણે સનાતન ધર્મની પ્રશંસા કરતા તેને...
Business 
‘શાનદાર નેતા છે PM મોદી, જો દુનિયા શિવને ફોલો કરે તો..’ એલન મસ્કના પિતાએ સનાતન ધર્મની કરી પ્રશંસા

યોગી સરકાર આ લોકોને નોકરીની ભરતીમાં 20 ટકા અનામત આપશે, ઉંમરમાં પણ 3 વર્ષની છૂટ મળશે

ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે રાજ્ય પોલીસ દળમાં અનેક જગ્યાઓ પર સીધી ભરતીમાં અગ્નિવીરોને 20 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો. CM ...
National 
યોગી સરકાર આ લોકોને નોકરીની ભરતીમાં 20 ટકા અનામત આપશે, ઉંમરમાં પણ 3 વર્ષની છૂટ મળશે

'ઈતિહાસના સૌથી મોટા કડાકાનો સમય આવી ગયો છે, શેરબજાર-બોન્ડ માર્કેટ ક્રેશ..' કિયોસાકીની નવી ચેતવણી!

બેસ્ટ સેલિંગ પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક અને પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર નવી...
Business 
'ઈતિહાસના સૌથી મોટા કડાકાનો સમય આવી ગયો છે, શેરબજાર-બોન્ડ માર્કેટ ક્રેશ..' કિયોસાકીની નવી ચેતવણી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.