મમતાનો થશે પટ્ટાભિષેક, બનશે કિન્નર અખાડાના મહામંડલેશ્વર, સંગમમાં પિંડદાન કરશે

બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી હવે સંન્યાસી બની ગઈ છે. હવે તેને અભિનેત્રી નહીં, પણ મહામંડલેશ્વર કહેવામાં આવશે. 25 વર્ષ પછી ફક્ત મહાકુંભ માટે ભારત પરત ફરેલી મમતા 144 વર્ષ પછી પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભગવા રંગના ગેટઅપમાં જોવા મળી હતી. તે કપાળ પર ચંદન, ગળામાં રુદ્રાક્ષની માળા અને ખભા પર જોળો લઈને કિન્નર અખાડા પહોંચી હતી. ત્યાં તે આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને મળી.

બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી આજે કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનશે. 24 જાન્યુઆરીની સાંજે, મમતા સંગમ ખાતે પિંડદાન કરશે. જ્યારે, તેનો પટ્ટાભિષેક સમારોહ કિન્નર અખાડા ખાતે સાંજે 6 વાગ્યે યોજાશે. મમતાએ કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી મહારાજ અને જુના અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અંબાનંદ ગિરીને પણ મળી હતી. આ બેઠકના ફોટા પણ સામે આવ્યા છે.

અભિનેત્રી મમતા કુલકર્ણી 25 વર્ષ પછી ભારત પરત ફરી છે. ડિસેમ્બર 2024માં અભિનેત્રી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આટલા વર્ષો પછી તેને ભારતમાં જોઈને બધાને આશ્ચર્ય થયું. તેથી અભિનેત્રીના ચાહકોમાં ખુશીનો માહોલ હતો. એવું માનવામાં આવતું હતું કે, મમતા કુલકર્ણી બોલિવૂડમાં પાછી ફરવા અથવા બિગ બોસ 18માં એન્ટ્રી કરવા માટે ભારત આવી છે. જોકે, અભિનેત્રીએ આ બધી અફવાઓ અને અટકળોને ફગાવી દીધી અને કહ્યું કે, તે મહાકુંભ 2025નો ભાગ બનવા આવી છે.

વર્ષ 2000માં, મમતા કુલકર્ણીએ મુંબઈની સાથે સાથે ભારતને પણ અલવિદા કહ્યું હતું. પાછા ફર્યા પછી, તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે ભારતીય ધરતી પર પગ મુકવા બદલ ખુશી વ્યક્ત કરી. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'બધાને નમસ્તે, હું મમતા કુલકર્ણી છું અને હું 25 વર્ષ પછી ભારત, બોમ્બે, મુંબઈ, આમચી મુંબઈમાં પાછી આવી છું, મેં વર્ષ 2000માં ભારત છોડ્યું અને 2024માં પાછી ફરી છું. હું અહીં છું અને ખૂબ જ ભાવુક થઈ રહી છું. મને સમજાતું નથી કે, તેને કેવી રીતે વ્યક્ત કરું.'

તેણે એમ પણ કહ્યું, 'હું ભાવુક થઈ રહી છું. જ્યારે ફ્લાઇટ લેન્ડ થઈ, હકીકતમાં લેન્ડિંગ પહેલાં જ, મેં મારી જમણી અને ડાબી બાજુ જોવાનું શરૂ કર્યું. હું 24 વર્ષ પછી મારા દેશને જોઈ રહી હતી અને હું ભાવુક થઈ ગઈ. મારી આંખોમાં આંસુ હતા. મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ હું ફરીથી ભાવુક થઈ ગઈ હતી.'

Related Posts

Top News

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રવિવારે રોમાન્ચક મેચ જોવા મળી હતી. પંજાબે મેચ 10 રનથી...
Sports 
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર થઇ ગયું છે. તેમનું આ કેન્સર હાડકાં સુધી ફેલાઇ ચૂક્યું છે. તેનો અર્થ...
Politics  Health 
જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ

ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે

બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર છ મહિના બાકી છે અને તમામ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ તેમની ચૂંટણી યોજનાઓને સક્રિય...
National 
ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.