'બડે અચ્છે લગતે હૈ'ના મુખ્ય અભિનેતા નકુલ મહેતાએ અધવચ્ચે જ છોડી સિરિયલ, જાણો કારણ

TVની ફેમસ સીરિયલ 'બડે અચ્છે લગતે હૈં 2'ને લઈને એવા સમાચાર આવ્યા છે, જે ચાહકોનું દિલ તોડી શકે છે. આ સિરિયલના બંને મુખ્ય કલાકારો રામ અને પ્રિયા એટલે કે, નકુલ મહેતા અને દિશા પરમારે આ શોને અધવચ્ચે જ છોડી દીધો છે. આ સમાચાર આવતા જ ચાહકોના દિલ તૂટી ગયા છે. એટલું જ નહીં આ શો છોડવાનું કારણ જાણીને તમારે વિશ્વાસ કરવો મુશ્કેલ થશે. હાલમાં જ નકુલ મહેતાએ આ શોને અધવચ્ચે જ છોડવાના નિર્ણયને લઈને એક ઇન્ટરવ્યુ એવી વાત કહી દીધી કે, તેમનું નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

આ કારણે નકુલ મહેતાએ છોડ્યો શો

નકુલ મહેતાએ હાલમાં જ આ શોને છોડવાની જાહેરાત કરી હતી. આ પછી તેણે એક ઈન્ટરવ્યુમાં નકુલે કહ્યું કે, 'આ સિરિયલની જ્યારે જાહેરાત થઈ ત્યારે લોકોના મનમાં ઘણા સવાલો હતા કે, રિબૂટને રામ કપૂર અને સાક્ષી તંવરની આઇકોનિક સિરિયલના મુકામ સુધી પહોંચાડી શકશે કે પછી નહીં. પરંતુ અમને તેવો જ પ્રેમ મળ્યો.

 
 
 
View this post on Instagram

A post shared by Nakuul Mehta (@nakuulmehta)

રામના પાત્રને કરીશ મિસ

'બડે અચ્છે લગતે હૈં 2' ટૂંક સમયમાં જ લીપ લેવાની છે. એવામાં નકુલે આગળ કહ્યું કે, 'આ સફર મારા માટે ખૂબ જ સુંદર હતો. હવે તેની કહાની હજુ આગળ વધી રહી છે અને મને નથી લાગતું કે, હું આનાથી વધુ આમાં કઈં કરી શકીશ. પરંતુ એટલું જરૂર છે કે, રામના રોલને ખૂબ જ મિસ કરીશ.

 
 
 
View this post on Instagram

A post shared by Nakuul Mehta (@nakuulmehta)

ટૂંક સમયમાં લીપ લેશે સિરિયલ

નકુલ મહેતા અને દિશા પરમારના 'બડે અચ્છે લગતે હૈં 2' છોડવાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા. રિપોર્ટ્સનું માનીએ તો આ બંને સ્ટાર્સ લીપમાં વધુ ઉંમરનો રોલ નથી કરવા માંગતા. જેના કારણે આ બંનેએ શો છોડી દીધો છે. રિપોર્ટ્સમાં કહેવામાં તો એવું પણ આવી રહ્યું છે કે, હવે શોમાં રામ અને પ્રિયાની દીકરી પિહૂની સ્ટોરી બતાવવામાં આવશે. આ સાથે જ શોમાં હિતેન તેજવાનીની એન્ટ્રી પણ થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.