લવ-જિહાદના આરોપો પર ગુસ્સે થયા નસીરુદ્દીન, પત્ની રત્ના પાઠકના ધર્મ ન બદલવા પર..

નસીરુદ્દીન શાહ એક એવા શાનદાર એક્ટર છે જે કોઈ મુદ્દા પર પોતાની નારાજગી અને વિચાર જાહેર કરતા ખચકાતા નથી. જો કે, તેમની આ નીડરતાના કારણે એક તબક્કો તેમનાથી ખૂબ નારાજ છે. વિરોધી હવે તેમના પર લવ-જિહાદનો આરોપ લગાવી રહ્યા છે કેમ કે તેમણે વર્ષ 1982માં ગેર-મુસ્લિમ એક્ટ્રેસ રત્ના પાઠક સાથે લવ મેરેજ કર્યા હતા, પરંતુ નસીરુદ્દીન શાહે આ ખુલાસો કરીને વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે કે રત્ના પાઠકે તેની સાથે લગ્ન કર્યા બાદ પણ ધર્મ બદલ્યો નહોતો.

નસીરુદ્દીન શાહે હાલની રાજનૈતિક માહોલ પર પોતાની નારાજગી વ્યક્ત કરતા પોતાના લગ્નને લઈને એક ખુલ્લો પત્ર લખ્યો. મીડિયા રિપોર્ટ મુજબ, દિગ્ગજે એક્ટ્રેસે જણાવ્યું કે, ન તેને એક હિન્દુ મહિલા અને ન તો રત્ના પાઠકને એક મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરવા પર આપત્તિ હતી. નસીરુદ્દીન શાહે પૂર્વ કેબિનેટ મંત્રીના પાર્ટનરના નિવેદન પર હેરાની વ્યક્ત કરી, જેમણે તેમના પર ધમકી ભરેલા અંદાજમાં લવ-જિહાદનો આરોપ લગાવ્યો હતો. એક્ટર બોલ્યા કે, ‘મને ધમકાવ્યો કે તે જ્યારે ધર્મ બદલીને લગ્ન કર્યા, તો કોઇએ તને કંઇ કહ્યું નથી. એ બતાવવા માગીએ છીએ કે હવે મારો સમય રહ્યો નથી.’

નસીરુદ્દીન શાહે ખુલાસો કર્યો કે, તેના ઘર પર આ વિશેષ પર માત્ર એક વખત જ ચર્ચા થઈ હતી. એ પણ માતાએ વાત છેડી હતી. એક્ટરે જણાવ્યું કે, ‘જ્યારે માતાને રાતનના ધર્મ ન બદલવાના નિર્ણય બાબતે ખબર પડી તો તે બોલી હતી કે, આખરે ધર્મ કેવી રીતે બદલી શકાય છે.’ નસીરુદ્દીન શાહે કહ્યું કે, રત્ના પાઠક સાથે તેના લગ્ન, એ વાતના સાક્ષી છે કે હિન્દુ-મુસ્લિમ એક સાથે જીવન જીવી શકે છે. 73 વર્ષીય નસીરુદ્દીન શાહે રત્ના પાઠક સાથે તેમના સંબંધ પર સવાલ કરનારાઓની નિયત પર સવાલ ઊભા કર્યા.

તેઓ કહે છે કે, ‘દેશના ભાગલા સમયે જે નફરતના બીજ રોપવામાં આવ્યા હતા, શું તે અંકુરિત થઈ રહ્યા છે. નસીરુદ્દીન શાહે એક પાછલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું એક રત્ના પાઠકના ઘરવાળા તેમના લગ્નની વિરુદ્ધ હતા, કેમ કે તેમને લાગતું હતું કે તેઓ ડ્રગ્સ લેતા હતા. તેઓ છૂટાછેડાવાળા પણ હતા અને તેમની પહેલી પત્નીથી એક દીકરી પણ હતી. એ છતા રત્ના પાઠકે નસીરુદ્દીન શાહ સાથે લગ્ન કર્યા હતા.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.