માધુરી પર The Big Bang Theoryમાં કરાઇ ગંદી કમેન્ટ, જયા બચ્ચન ભડ્ક્યા

હોલિવુડના પોપ્યુલર શો ધ બિગ બેંગ થિયરીના એક સીન પર ઘમાસાન છેડાઈ ગયુ છે. તેના એક એપિસોડમાં ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતની ખૂબ જ ભદ્દી સરખામણી કરવામાં આવી છે. તેને લઇને નેટફ્લિક્સને નોટિસ પણ જાહેર કરવામાં આવી ચુકી છે. આ સમગ્ર મામલા પર જયા બચ્ચન, ઉર્મિલા માતોંડકરે પણ પોતાના અભિપ્રાય આપ્યા છે. ભદ્દા કમેન્ટ્સ કરનારા એક્ટર કુણાલ નાયર પર જયા ભડકી ગયા હતા, તેમજ તેને પાગલખાનામાં મોકલવાની વાત કહી હતી.

ધ બિગ બેંગ થિયરી શોમાં માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય પર કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણી પર જયા બચ્ચનનો ગુસ્સો ભડકી ઉઠ્યો છે. તેમણે એક્ટરને પાગલખાનામાં મોકલવાની વાત પણ કહી દીધી છે. મીડિયા સાથે વાતચીતમાં તેમણે ખૂબ જ ગુસ્સામાં જવાબ આપ્યો. જયા બચ્ચને કહ્યું- શું આ કુણાલ નાયર પાગલ છે? ખૂબ જ ગંદી જુબાન છે. તેને તો પાગલખાનામાં મોકલી આપવો જોઈએ. આ સવાલ તો તેની ફેમિલીને પૂછવો જોઈએ કે તેમને કેવુ લાગ્યું છે આ કમેન્ટ પર.

તેમજ ઉર્મિલા માતોંડકરને એક્ટરના આ ભદ્દા કમેન્ટ પર આઘાત લાગ્યો છે. એક્ટરે કહ્યું- આ કેવી ભદ્દી કમેન્ટ છે. મને આ આખા એપિસોડનો કોઈ આઈડિયા નથી. તો મારે કોઈ કમેન્ટ ના કરવી જોઈએ. પરંતુ, જો એ સાચુ છે તો હકીકતમાં તે ખૂબ જ ભડકાઉ છે. આ તેની ચીપ મેન્ટાલિટીને દર્શાવે છે. તેને આ હકીકતમાં મજાક લાગે છે, ચોંકાવનારી વાત છે.

નેટફ્લિક્સ પર રીલિઝ બિગ બેંગ થિયરી શોના એક એપિસોડમાં ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતની ખૂબ જ ભદ્દી સરખામણી કરવામાં આવી છે. સેકન્ડ સિઝનના પહેલા એપિસોડમાં જિમ પાર્સન્સ જો શેલ્ડન કપૂરના રોલમાં છે, તે માધુરી અને ઐશ્વર્યાનું કમ્પેરિઝન કરે છે. ડાયલોગ બોલતા જિમ કહે છે- ઐશ્વર્યા ગરીબોની માધુરી દીક્ષિત છે. ત્યારબાદ રાજ કુથરાપલ્લીનું કેરેક્ટર પ્લે કરી રહેલો કુણાલ નાયર કહે છે- ઐશ્વર્યા રાય દેવી જેવી હતી અને તેની સરખામણીમાં માધુરી દીક્ષિત લેપરસ પ્રોસ્ટિટ્યૂટ છે.

માધુરી માટે કરવામાં આવેલા આ પ્રકારના કમેન્ટ્સ પર લોકો ગુસ્સે થયા છે. માધુરી માટે આ શોને અપમાનજનક બતાવતા મિથુન વિજય કુમારે નેટફ્લિક્સને નોટિસ મોકલી છે. આ એપિસોડને તેણે સેક્સિઝમ અને મહિલાઓ માટે નીચતાની ભાવનાને પ્રોત્સાહન આપતો પણ ગણાવ્યો છે. મિથુન વિજય કુમારે કહ્યું, નેટફ્લિક્સ જેવી ઓટીટી કંપનીઓએ પોતાના કામ માટે જવાબદારી લેવી જરૂરી છે. એ જરૂરી છે કે, તેઓ એ સમુદાયોના સાંસ્કૃતિક મૂલ્યો અને ભાવનાઓ પ્રત્યે સંવેદનશીલ રહે, જેમને તેઓ સર્વિસ આપી રહ્યા છે. મારું માનવુ છે કે, સ્ટ્રીમિંગ સર્વિસ પ્રોવાઇડર્સની જવાબદારી છે કે તે પોતાના પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવતા કન્ટેન્ટ પર ધ્યાન આપે. તે કોઈને ઠેસ ના પહોંચાડે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.