રડતા રડતા રાખી સાવંત બોલી-વિચાર્યું હતું બાળક થશે, રોજા રાખીશ, ઉમરાહ કરીશ, પણ..

રાખી સાવંતનો પતિ આદિલ ખાન ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. સોમવારે એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ તેના કેસની સુનાવણી થઈ. રાખી સાવંતની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે પૂછપરછ માટે કેસમાં હસ્તક્ષેપ કર્યો છે. રાખી સાવંત સોમવારે પોતાના વકીલો સાથે કોર્ટમાં ઉપસ્થિત થઈ હતી. ત્યારબાદ તે મીડિયા સામે આવી અને તેણે જણાવ્યું કે, તે આદિલને કઈ રીતે મળી. આદિલ તેને ધમકી આપી રહ્યો છે. રાખી સાવંત પોતાની વાત કહેતા રડવા લાગી.

તેની સાથે જ તેની મિત્ર પણ હાજર રહી, જે તેને સંભાળતી રહી. રાખી સાવંતે મીડિયાને કહ્યું કે, આજે મેં આદિલને કોર્ટમાં જોયો. મને એટિટ્યુડ દેખાડી રહ્યો હતો. કહે છે કે તિહાડ જેલમાં હું ખૂબ મોટા-મોટા ડૉનને મળ્યો છું, તું વિચારી લે તારે શું કરવાનું છે. જ્યારે એક રિપોર્ટરે પૂછ્યું કે, શું આ ધમકી હતી? તો રાખી સાવંતે ‘હા’માં જવાબ આપ્યો. તેણે આગળ કહ્યું કે, વકીલને જણાવ્યું કે, તે ધમકી આપી રહ્યો છે તો વકીલે કહ્યું કે આપવા દે ધમકી, જેને મળ્યો તે પણ અંદર જ છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

રાખી સાવંત કહે છે કે, આદિલ જ્યારે તેને મળ્યો તો બોલ્યો કે તેનાથી ખરાબ શું હોય શકે. આર્થર રોડ જેલ ગયો, જ્યાં વાસણ માંજ્યા, લોકોના પગ દબાવ્યા. ઘણી વસ્તુઓ તેણે કહી. આર્થર રોડ જેલમાં ખૂબ મારે પણ છે એવા કેસીસમાં. તેણે કહ્યું કે, પરંતુ આવીશ પછી તારું શું થશે. રાખીએ કહ્યું કે, ગમે તેમ પણ મારા દિલથી તેની યાદો નીકળી જાય. જેમાં સમય લાગશે. એટલું કહેતા કહેતા રાખી સાવંત રડવા લાગી. તેણે કહ્યું કે, લગ્ન થયા હતા તો હું એટલી ખુશ હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

એમ લાગ્યું હતું કે હવે મારા લગ્ન થઈ ગયા છે. હવે મારો પતિ છે, મારું સંતાન થઈ જશે. પહેલા રમઝાન રાખીશ, ઉમરાહ કરીશ. મારો પતિ, મારું સંતાન, મારો સંસાર, પરંતુ જિંદગીને ખબર નહીં શું મંજૂર છે. આદિલ ખાનના વકીલે કહ્યું કે, પોલીસ કસ્ટડી બાદ હવે આદિલને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. તેની વિરુદ્ધ લગાવવામાં આવેલા બધા આરોપ પાયાવિહોણા છે. તો આદિલ વિરુદ્ધ મૈસુરમાં પણ રેપ કેસ નોંધાવવામાં આવ્યો છે. જલદી જ મૈસૂર કોર્ટમાં પણ તેની ઉપસ્થિતિ થઈ શકે છે.

રાખી સાવંતે થોડા દિવસો અગાઉ આદિલ ખાન સાથે છાનામાના કરેલા લગ્ન બાબતે જાણકારી આપી હતી. આદિલ અને રાખીએ દાવાઓ કર્યા હતા કે, તેમણે ગયા વર્ષે જુલાઈમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રાખીએ ધર્મ બદલીને ફાતિમા નામ રાખી લીધું હતું, પરંતુ થોડા દિવસ બાદ જ બંને વચ્ચેના ખટપટના સમાચાર આવ્યા. રાખી સાવંતે માતાના નિધનના થોડા દિવસ બાદ જ આદિલ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આદિલ પર તેણે મારામારી અને પૈસાઓની હેરાફેરી સહિત ઘણા ગંભીર આરોપ લગાવ્યા. ત્યારબાદ પોલીસે આદિલની ધરપકડ કરી હતી.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.