ઈન્ડિયન આઈડલની 13મી સિઝનનો વિજેતા બન્યો અયોધ્યાનો ઋષિ સિંહ, પૈસાનો થયો વરસાદ

TV ઈન્ડસ્ટ્રીના ફેમસ સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 13'ને તેનો વિનર મળી ગયો છે. ઉત્તર પ્રદેશના અયોધ્યાના ઋષિ સિંહે આ વખતે ઝળહળતી ટ્રોફી જીતી છે. ઋષિ સિંહે ગુજરાતના શિવમ શાહ, જમ્મુના ચિરાગ કોટવાલ અને બંગાળના બિદિપ્તા ચક્રવર્તી, દેબાસ્મિતા રોય, સોનાક્ષીને હરાવીને આ ટ્રોફી કબ્જે કરી હતી. ઋષિ સિંહના ફેન્સ માત્ર ઈન્ડિયન આઈડલના દર્શકો જ નથી પણ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પણ છે. પ્રશંસકોને ઋષિના અવાજમાં અરિજીત સિંહ જેવી જ વાત નજર આવે છે.

 

શ્રી રામના શહેર અયોધ્યાના ઋષિ સિંહને 25 લાખ રૂપિયાનો ચેક અને 'ઈન્ડિયન આઈડલ 13'ની ચમકતી ટ્રોફી સાથે એક કાર મળી હતી. 'ઇન્ડિયન આઇડલ 13' જીતનાર ઋષિ સિંહ પોતાના માતા-પિતાને ભગવાનની જેમ પૂજે છે. વાસ્તવમાં ઋષિ સિંહે કહ્યું હતું કે, તેના માતા-પિતાએ તેને દત્તક લીધો છે. તમને ઋષિ સિંહના ફેન ફોલોઈંગનો અંદાજ એ વાત પરથી લાગી શકે છે કે ઋષિ સિંહ એ 255 લોકોમાંથી એક છે જેને વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. ઉત્તર પ્રદેશના અયોધ્યાથી આવેલા ઋષિ સિંહ પણ સતત સોશિયલ મીડિયા પર ટ્રેડિંગમાં સામેલ હતા, ત્યાર બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે, તે આ વખતે ટ્રોફી જીતવા જઈ રહ્યો છે.

માધુરી દીક્ષિત, કુમાર સાનુ, અબ્બાસ-મસ્તાન જેવા સ્ટાર્સને પણ ઋષિ સિંહનું ગાયન ગમે છે, જે 'ઈન્ડિયન આઈડલ 13'ના ઓડિશન રાઉન્ડથી બધા જજના ફેવરિટ બની ગયા છે અને સોશિયલ મીડિયા પર વખાણ પણ કર્યા છે. 'ઈન્ડિયન આઈડલ 13'ના વિજેતા ઋષિ સિંહ છે, જ્યારે દેબાસ્મિતા રોય અને ચિરાગ કોટવાલ પ્રથમ અને બીજા રનર્સ અપ હતા.

 

'ઈન્ડિયન આઈડલ 13'ના વિજેતા બનેલા ઋષિ સિંહે ભારે ભીડની વચ્ચે સભામાં કહ્યું હતું કે, શોમાં આવ્યા પછી તેને ખબર પડી કે, તે તેના માતા-પિતાનું લોહી નથી. ઋષિએ કહ્યું કે, જો મારા આ માતા-પિતાએ તેનો ઉછેર ન કર્યો હોત તો તે ક્યાંક સડી રહ્યો હોતે. પોતાના માતા-પિતાની માફી માંગતી વખતે ઋષિ સિંહે તેમને આજ સુધી કરેલી તમામ ભૂલો માટે તેમને માફ કરવા કહ્યું. આ કહેતી વખતે તે સતત રડતો રહ્યો અને અંતે તેણે તેની સામે બેઠેલા માતા-પિતાના ચરણોમાં માથું મૂકી દીધું. ઋષિ સિંહની આ દર્દનાક વાર્તા સાંભળીને ત્યાં હાજર તમામ લોકોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.