વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થનમાં આવ્યો સલમાન ખાન, કહ્યું- મને આશા છે કે સરકાર...

NEET-UG પેપર લીક મામલે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને હવે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનું પણ સમર્થન મળ્યું છે. આ મુદ્દા પર અવાજ ઉઠાવનારા તેઓ કદાચ સૌથી મોટા સેલિબ્રિટી છે. સલમાને ખુશી વ્યક્ત કરી હતી કે દેશની બહેતર શિક્ષણ વ્યવસ્થા માટે તમામ વિદ્યાર્થીઓ એકજૂથ થયા છે, સાથે જ તેણે ઉમેર્યું હતું કે સરકારે તેમની માંગણીઓ સાંભળવી જોઈએ.

સલમાન ખાને લખ્યું હતું કે, આ કેટલું શાંતિપૂર્ણ આંદોલન હતું, આટલું હિંસક રૂપ લઈ લીધું એ જોઈને ખૂબ જ દુઃખ થાય છે. જે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ઘાયલ થયા છે, તેમના પ્રત્યે મારી પૂરી સંવેદના છે. પેપર લીક એ ખૂબ જ ગંભીર મુદ્દો છે, અને મને એ જોઈને ખુશી થાય છે કે આપણા દેશના બાળકો એક બહેતર શિક્ષણ વ્યવસ્થા માટે એકસાથે આવ્યા છે, અને તેમના માતાપિતાએ પણ તેમનો સાથ આપ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Salman Khan (@beingsalmankhan)

તેઓએ જે સ્ટેન્ડ લીધું છે, સખત મહેનત કરવાની, પોતાનું ભવિષ્ય અને એક મહાન, શિક્ષિત ભારત બનાવવાની જે લગન અને પ્રામાણિકતા દર્શાવી છે, તેની હું સાચા દિલથી સરાહના કરું છું. આ આંદોલન, આ વિરોધ એ યોગ્ય રસ્તો છે, અને વિદ્યાર્થીઓએ આ કામ શાંતિપૂર્વક કર્યું છે. ખૂબ જ હિંમતવાન અને બહાદુર. શિક્ષણ પ્રત્યે સમર્પિત અને પ્રેરિત આ પેઢી ભારતને ગૌરવ અપાવશે.

03

આ મુદ્દો વિદ્યાર્થીઓ અને શિક્ષણ વ્યવસ્થા વચ્ચેનો છે, આનું રાજકીય હાઇજેક ન થવું જોઈએ. આનો શ્રેય માત્ર આપણા દેશના વિદ્યાર્થીઓને જ જવો જોઈએ, અને મને ખાતરી છે કે સરકાર પણ તેમને પૂરો સહયોગ આપશે અને શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. આ બંને માટે ફાયદાકારક સ્થિતિ (Win-win situation) છે. એક સકારાત્મક નિર્ણય માટે આશા અને પ્રાર્થના કરું છું. ભણવાની ઈચ્છા રાખનારા આપ સૌ પર ભગવાનના આશીર્વાદ બનેલા રહે.

શિક્ષણ એ હવે પછીનો નવો ટ્રેન્ડ અને ફેશન બનવું જોઈએ, અને દર વર્ષે તે વધુ ટ્રેન્ડી અને ફેશનેબલ બનવું જોઈએ, એટલું બધું કે બહારથી લોકો ભણવા માટે ભારત આવે અને ભારત એક એજ્યુકેશનલ હબ બની જાય

છેલ્લા એક અઠવાડિયા દરમિયાન, બોલિવૂડ અને પ્રાદેશિક સિનેમાના અનેક સિતારાઓએ આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ એક્શનની આકરા શબ્દોમાં ટીકા કરી છે અને CJPના આંદોલનનું સમર્થન કર્યું છે. જેમાં ઋતિક રોશન, દિલજીત દોસાંજ, નસીરુદ્દીન શાહ, સોનાક્ષી સિંહા, રત્ના પાઠક શાહ, શબાના આઝમી, પ્રકાશ રાજ, ટોવિનો થોમસ અને અતુલ કુલકર્ણી જેવા જાણીતા કલાકારોનો સમાવેશ થાય છે.

02

દિલ્હીના જંતર મંતર ખાતે આ મહિનાની શરૂઆતમાં આ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. NEET પેપર લીક સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલી કથિત ગડબડીઓ સામે વિદ્યાર્થીઓ જવાબદેહીની માંગ કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં શિક્ષણ વ્યવસ્થામાં મોટા પાયે સુધારા કરવા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો સમાવેશ થાય છે.

ત્યારબાદ જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પણ આ આંદોલનમાં જોડાયા હતા અને ભૂખ હડતાળ શરૂ કરી હતી, જોકે બાદમાં પોલીસે તેમને વિરોધ સ્થળેથી હટાવી દીધા હતા. સોમવારે યોજાયેલા 'ચલો સંસદ' માર્ચ દરમિયાન વિરોધ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે બળપ્રયોગ કરતાં સ્થિતિ વધુ વણસી હતી.

About The Author

Related Posts

Top News

'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

અમેરિકામાં ફરી એકવાર રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક અને જમણેરી રાજકીય કાર્યકર્તા લૌરા લૂમરે...
World 
'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

ચૂંટણી પંચ હાલમાં કર્ણાટકમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (SIR) કરી રહ્યું છે. આ દરમિયાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી...
Politics 
‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ

છેલ્લા એક મહિનામાં એક્સ-ફેક્ટરી ખાંડના ભાવમાં આશરે 15 ટકાનો વધારો થયો છે, જેના કારણે બજારમાં અછતની આશંકા વ્યક્ત કરવામાં...
Business 
શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ

રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’

મેઘાલય હનીમૂન હ*ત્યા કેસની આરોપી સોનમે ફરી જેલ ભેગું થવું પડશે. સુપ્રીમ કોર્ટે તેના જામીન રદ કરતા 3...
National 
રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.