નુક્કડ સિરિયલથી ફેમસ બનેલા સમીર ખખ્ખરની દુનિયાને અલવિદા

તમને યાદ હશે કે વર્ષો પહેલા દુરદર્શન પર નુક્કડ કરીને એક સિરિયલ આવતી હતી તેમાં ખોપડીનું પાત્ર ભજવનાર સમીર ખખ્ખરે દુનિયાને અલવિદા કરી દીધી છે. આ સિરયલમાં ખોપડીના પાત્રથી તેઓ જાણીતા બન્યા હતા અને તેમણે શાહરૂખ સાથે સર્કસમાં પણ કામ કર્યુ હતું. હજુ તો દિગ્ગજ એકટર સતીશ કૌશિકના આઘાતમાંથી બોલિવુડ ઇન્ડસ્ટ્રી બહાર નથી આવી ત્યાં અન્ય દિગ્ગજ કલાકારે એક્ઝિટ લઇ લેતા બોલિવુડમાં શોક છવાયો છે.

સમીર ખખ્ખરના પુત્ર ગણેશ ખખ્ખરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મારા પિતા 71 વર્ષના હતા અને તેમને મંગળવારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તેઓ બેહોશ થઇ રહ્યા હતા. એ પછી તબીબને બોલાવવામાં આવ્યા, તબીબની સુચનાથી  બોરિવલીની એક હોસ્પિટલમાં  ICUમાં દાખલ કરવામાં આવ્યા. એ પછી તેમને યૂરિનની મુશ્કેલી ઉભી થતા વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ ધીમે ધીમે તેમના ઓર્ગેન ફેઇલ થવા માંડ્યા. પિતા વહેલી સવારે 4-30 વાગ્યે અવસાન પામ્યા હતા. બુધવારે સવારે સમીર ખખ્ખરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સમીર ખખ્ખર 90ના દશકમાં ફિલ્મોમાં જાણીતો ચહેરો હતા. તેમમે પુષ્પક, શહેનશાહ, રખવાલા, દિલવાલે, રાજા બાબુ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ હતું. 1996માં ખખ્ખર અમેરિકા જઇને વસ્યા હતા અને અમેરિકા જઇને તેમણે એક્ટિંગ છોડી દીધી હતી અને જાવા કોડર તરીકે જોબ શરૂ કરી હતી. 2008માં સમીર ખખ્ખરની નોકરી છુટી ગઇ હતી. અમેરિકામાં તેમને કોઇ એકટર તરીકે જાણતું નહોતું એટલે તેમણે અન્ય નોકરી કરવી પડી હતી.

સમીર ખખ્ખરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમેરિકાથી ભારત પાછા આવીને મિત્રો પાસે એક્ટિંગનું કામ માંગવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યુ હતું કે, મને એ વાતની ખબર હતી કે એ એકટર સારો નથી કહેવાતો જે ચારો તરફ કામની માંગ કરતો રહેતો હોય. ખખ્ખરે કહ્યું હતું  કે, મને એ વાતની પણ જાણ હતી કે જે લોકો મારા કામને ઓળખે છે તેઓ જરૂર હશે તો ચોક્કસ મારો સંપર્ક કરશે.

સમીર ખખ્ખરે પોતાની કારકિર્દીની શરૂઆત નુકક્ડ સિરિયલથી કરી હતી એ પછી તેમણે શાહરૂખ સાથેની સર્કસ સિરિયલમાં ચિંતામણિનું પાત્ર ભજવ્યું હતું. એ ઉપરાંત તેમણે  શ્રીમાન શ્રીમતી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. સંજીવનીમાં ગુડ્ડ માથુરનો રોલ પણ લોકોએ પસંદ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.