રણવીરની ‘ધુરંધર’ની કમાણી જોઈને લ્યારીની જનતાએ નિર્માતાઓ પાસે કરી દીધી આ માંગ

આ વાત હવે કોઈથી છુપાયેલી નથી કે ધુરંધર પાકિસ્તાનના લ્યારીમાં શહેર થયેલા ગેંગ વૉરથી પ્રેરિત છે. આદિત્ય ધરની ફિલ્મને કારણે આ શહેર રાતોરાત ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયું. ઘણા વ્લોગર્સ અને ન્યૂઝ ચેનલ્સ ત્યાંના રહેવાસીઓના ઇન્ટરવ્યૂ લેવા માટે પહોંચવા લાગ્યા. સ્થાનિક વસ્તીનો એક ભાગ ફિલ્મ પ્રત્યે પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યો છે. તો કેટલાક લોકો એવા પણ છે જે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને જોઈને આદિત્ય ધર પાસેથી નફામાં હિસ્સો માંગવા લાગ્યા છે. કેટલાક 5 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા છે, જ્યારે કોઈએ તો નફાના 80 ટકા સુધીની માંગ કરી નાખી છે.

dhurandhar3
x.com/YearOfTheKraken

ઇન્ટરનેટ પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક પાકિસ્તાની વ્લોગરે લ્યારીના લોકોને 'ધુરંધર' વિશે જણાવ્યું. વીડિયો બનાવતી વખતે તે કહે છે કે, ફિલ્મે 800 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આના કારણે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, જ્યારે ફિલ્મ તેમના શહેર પર બની છે તો તેમને નફાનો હિસ્સો કેમ આપવામાં આવી રહ્યો નથી? એક વ્યક્તિએ સૂચન કર્યું કે, તેમણે (આદિત્ય ધર) આ નફાનો 80 ટકા ભાગ અમારી સાથે વહેંચવો જ જોઈએ. તેઓ ફિલ્મ બનાવતા રહે છે. એ તેમનું કામ છે. એક ફિલ્મમાંથી પૈસા ન કમાય તો શું થઈ ગયું?’

બીજા એક વ્યક્તિએ તુલનાત્મક રીતે ઓછી રકમની માંગણી કરી. તેણે કહ્યું કે નિર્માતાઓએ ધુરંધરની કમાણીનો અડધો ભાગ, અથવા ઓછામાં ઓછો 50 ટકા લ્યારીના લોકો સાથે વહેંચવો જોઈએ. અન્ય લોકોએ 5 કરોડ રૂપિયા, 12 કરોડ રૂપિયા અને 20 કરોડ રૂપિયા સુધીની પણ માંગણી કરી. એક સ્થાનિકે કહ્યું કે આ પૈસાનો ઉપયોગ લ્યારીમાં હોસ્પિટલ બનાવવા માટે થવો જોઈએ.

UP-Police1
prabhatkhabar.com

પરંતુ સલાહ-સૂચનો ત્યાં જ ન અટક્યા. એક વ્યક્તિએ કહ્યું કે, ‘આદિત્ય ધર નફો ન વહેંચી શકે, તો ઓછામાં ઓછા આ પૈસા લ્યારીના નવીનીકરણ માટે ઉપયોગ કરી જ શકાય છે. ધુરંધર જોનારાઓને યાદ જ હશે કે ફિલ્મના એક સીનમાં ચીલ ચોકનો ઉલ્લેખ છે. આ એ જ જગ્યા છે જ્યાં રહેમાન ડકૈટનું પાત્ર બાબુ ડકૈટની જાહેરમાં હત્યા કરે છે. આ પ્રકારની જગ્યા રિયલ લાઇયફ લ્યારીમાં છે. એક વ્યક્તિએ સૂચન કર્યું કે ફિલ્મના નફાનો ઉપયોગ આ ચોકમાં લાઈટો અને રંગ બદલવા માટે કરી શકાય છે.

Indigo-Flight2
navbharatlive.com

ફિલ્મ રીલિઝ થાય તે પહેલાં લ્યારીથી જે વીડિયો આવી રહ્યા હતા, તેમાં લોકો ધુરંધરનું સ્વાગત કરી રહ્યા હતા. પરંતુ આ વખતે તેમનું વલણ બદલાઈ ગયું હોય તેવું લાગે છે. એક વ્યક્તિએ ફિલ્મમાં લ્યારીને નકારાત્મક રીતે દર્શાવવા સામે વાંધો ઉઠાવ્યો. તેણે કહ્યું કે, આવી જ હિંસા અન્ય સ્થળોએ પણ થાય છે. જ્યાં સુધી લ્યારીની વાત છે તો, તે ગેંગ વોરના જમાનાથી ખૂબ નીકળી ગયું છે. એવામાં, આ પ્રકારનું ચિત્રણ, શહેર બાબતે લોકોના અભિપ્રાયને ખરાબ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-01-2026 વાર - રવિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.