‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયરને 42 માંવર્ષે મળી રૂપાળી દુલ્હન..બબીતાજી નથી

પોપ્યુલર સિટકોમ શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સને જલ્દીથી એક ખુશખબરી આપવા જઇ રહ્યો છે. સાંભળવા મળ્યું છે કે, શોનો મોસ્ટ એલિજિબલ બેચલર તનુજ મહાશબ્દે જલ્દી જ લગ્નગ્રંથીમાં જોડાવા જઇ રહ્યો છે. 42 વર્ષના તનુજ મહાશબ્દેએ લાઇફમાં સેટલ ડાઉન થવાનો નિર્ણય લીધો છે. એક્ટર કોની સાથે લગ્ન કરશે તે હાલ ખબર નથી. પણ એટલી જાણકારી જરૂર મળી છે કે, તનુજની રીયલ ફ્યુચર વાઇફ તેની રીલ વાઇફ મુનમુન દત્તાથી પણ સુંદર છે.

રિપોર્ટ્સ અનુસાર, તનુજ મહાશબ્દે આગામી વર્ષ એટલે કે, 2023માં લગ્ન કરશે. તેની ફિયોન્સેને લઇને કોઇ ડિટેલ સામે આવી નથી. ફોટો પણ રીલિઝ થયા નથી. તેમ છતાં સાંભળવા મળ્યું છે કે, એક્ટરની થનારી પત્ની સુંદર અને લુક્સમાં એક્ટ્રેસ મુનમુન દત્તાને કોમ્પિટિશન આપે છે. તનુજ મહાશબ્દેના લગ્નની ખબર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. પણ મીડિયા સાથેની વાતચીતમાં એક્ટરે લગ્નની ખબરોને ખોટી ગણાવી છે.

આમ તો તનુજ મહાશબ્દેની ફિયોન્સેની મુનમુન દત્તા સાથે સરખામણી થવાનું એક ખાસ કારણ છે. આવું એટલા માટે કારણ કે, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં મુનમુન દત્તા અને તનુજ મહાશબ્દે પતિ પત્નીના પાત્રમાં રહ્યા છે. તનુજ મિસ્ટર કૃષ્ણન ઐયર અને મુનમુન દત્તા બબીતાનો રોલ પ્લે કરે છે. શોમાં સાઉથ ઇન્ડિયન સાયન્ટિસ્ટ બનેલા તનુજને ઘણી વખત ટ્રોલ કરવામાં આવે છે. દરેક જણ સવાલ કરે છે કે, તેને કઇ રીતે આટલી સુંદર પત્ની મળી ગઇ.

મીડિયામાં ખબરો હતી કે, તનુજ અને મુનમુન દત્તાનું રિલેશનશિપ હતું. બન્ને ડેટ કરી રહ્યા છે તેવી ચર્ચા હતી. પણ બન્ને જ એક્ટર્સે આ પ્રકારની ખબરોથી ઇનકાર કરી દીધો હતો. તેમણે એમ જરૂર કહ્યું હતું કે, તેઓ સાથે સેટ પર ટાઇમ સ્પેન્ટ કરે છે, પણ ડેટિંગ નથી કરતા.

તનુજ મહાશબ્દેને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોથી પોપ્યુલારિટી મળી છે. તેણે દર્શકોને આટલા વર્ષોથી એન્ટરટેન કર્યા છે. તનુજે 2000માં ટીવી શો ‘યે દુનિયા હે રંગીન’થી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. તેની પહેલી ફિલ્મ ‘ફરારી કી સવારી’ 2012માં આવી હતી. તનુજને કેટલાક લોકો સાઉથ ઇન્ડિયન સમજે છે પણ તે મહારાષ્ટ્ર સાથે સંબંધ ધરાવે છે. તેણે 15 વર્ષો સુધી થિયેટર કર્યું હતું. તે CID, આહટ જેવા શોમાં પણ જોવા મળ્યો હતો.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.