એક્ટર પવનનું કાર્ડિયક અરેસ્ટથી 25 વર્ષની ઉંમરે નિધન

હાલના દિવસોમાં મનોરંજનની ઈન્ડસ્ટ્રીમાં કાર્ડિયક અરેસ્ટના કારણે ઘણા મોત થયા છે. હાર્ટ એટેક આવવથી જીવ ગુમાવનારાઓમાં પોપ્યુલર કન્નડ સ્ટાર પુનિથ રાજકુમાર પણ સામેલ હતા. તેમના નિધનના સમાચારે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હલાવીને રાખી દીધી હતી. તો હવે વધુ એક યંગ એક્ટરનું કાર્ડિયક અરેસ્ટના કારણે મોત થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ મુજબ હિન્દી અને તામિલ ટી.વી. એક્ટર પવન સિંહનું માત્ર 25 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના કારણે શુક્રવારે 18 ઑગસ્ટના રોજ નિધન થઈ ગયું.

પવનનું મોત તેના મુંબઈ સ્થિત ઘરમાં થયું છે. પવન કર્ણાટકના માંડ્યા જિલ્લાનો રહેવાસી હતો. કથિત રીતે પવનનું શબ મુંબઈથી તેના પૈતૃક સ્થાન માંડ્યા લઈ જવામાં આવશે, જ્યાં તેના અંતિમ સંસ્કાર તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવશે. કર્ણાટકથી હોવા છતા તે કામના સિલસિલામાં પોતાના પરિવાર સાથે મુંબઇમાં રહેતો હતો. તે હિન્દી અને તામિલની ઘણી સીરિયલોમાં કામ કરી ચૂક્યો હતો. તો પવનના અચાનક મોતથી આખો પરિવાર આઘાતમાં છે.

જો કે, અત્યાર સુધી એક્ટરના મોતની ડિટેલ્સને લઈને કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી, સિવાય આ ફેક્ટના કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. માંડ્યાના ધારાસભ્ય એચ.ટી. મંજુ, પૂર્વ ધારાસભ્ય કે.બી. ચંદ્રશેખર, પૂર્વ મંત્રી કે.સી. નારાયણ ગૌડા, પૂર્વ ધારાસભ્ય બી પ્રકાશ, TAPCMSના અધ્યક્ષ બી.એલ. દેવરાજ રાજૂ, કોંગ્રેસ નેતા બુકાનાકેરે વિજયા, રામેગૌડા, બ્લોક કોંગ્રેસ અધ્યક્ષ બી. નાગેંદ્ર કુમાર, JDS નેતા અક્કીહેબ્બલૂ રઘુ, યુવા જનતા દળના રાજ્ય મહાસચિવ કુરુબાહલ્લી નાગેશ અને ઘણા અન્ય લોકોએ પવનના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

તેમના અચાનક મોતથી પરિવાર સાથે સાથે ફેન્સ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. થોડા દિવસ અગાઉ જ, એક્ટર વિજય રાઘવેન્દ્રની પત્ની સ્પંદનાનું થાઈલેન્ડમાં રજાઓ દરમિયાન કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થઈ ગયું હતું. તેના અકાળે મોતથી આખા કન્નડ ઇન્ડસ્ટ્રીને ઝટકો લાગ્યો હતો.

Related Posts

Top News

ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Gujarat 
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
National 
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક  પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા...
National 
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી- ગલ્લા, ઘર, ઝુપડાનું દબાણ હટાવી દેવાતા આમ આદમી...
Gujarat 
ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું
Copyright (c) Khabarchhe All Rights Reserved.