થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન'ને લઈને શું વિવાદ છે? સેન્સર બોર્ડ તરફથી કેમ સર્ટિફિકેટ ન મળ્યું?

અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય હાલમાં તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ જના નાયકન માટે લાઇમલાઇટમાં છે. આ ફિલ્મ 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે, પરંતુ રીલિઝ અગાઉ જ તે એક નવા વિવાદમાં સપડાઈ ગઈ છે. વિજયની જના નાયકનને હજુ સુધી સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી.

એક તરફ વિજયે જાહેરાત કરી છે કે જના નાયકન તેની છેલ્લી ફિલ્મ છે અને ત્યારબાદ તે માત્ર રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે, સુપરસ્ટાર ચૂંટણી મેદાનમાં ઉતરે તે અગાઉ, તેની ફિલ્મ અંગે એક મોટો વિવાદ ઉભો થઇ ગયો છે. તેમની ફિલ્મને હજુ સુધી સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી, જેના કારણે નિર્માતાઓ હાઇકોર્ટનો દરવાજો ખખડાવી ચૂક્યા છે. કોર્ટે પણ આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

Jana-Nayagan2
hindustantimes.com

જના નાયકન થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ છે. વિજયે રાજકારણમાં પ્રવેશતા પહેલા જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી ફિલ્મ હશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રીલિઝ થયું હતું, જેમાં તેમનું પાત્ર સામાન્ય લોકોને સરકારને પ્રશ્ન કરવા, ભ્રષ્ટાચાર સામે લડવા અને પોતાનો અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરે છે. જોકે, વિજય દ્વારા આવી ફિલ્મો કરવી નવી વાત નથી; તે અગાઉ પણ આવી જ ફિલ્મો કરી ચૂક્યો છે અને આ ફિલ્મોને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. થલપતિ વિજયની કથ્થી’, ‘મેર્સલ’, અને સરકાર જેવી ફિલ્મો આવા જ વિષયો પર રહી છે.

જના નાયકનને લઈને વિવાદ શું છે?

જના નાયકનનું ટ્રેલર રીલિઝ થયા બાદ થલપતિ વિજય પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે તેણે આવી જ એન્ટ્રી એસ્ટેબ્લિશમેન્ટ ફિલ્મો દ્વારા પોતાની લોકોના હીરો તરીકેની છબી ઉભી કરી છે, અને હવે તેઓ આ છબીનો ઉપયોગ રાજકારણમાં કરવા જઇ રહ્યા છે. તમિલનાડુમાં અગાઉ ઘણા કલાકારોએ રાજકારણમાં પ્રવેશવા માટે સિનેમાનો ઉપયોગ કર્યો છે અને હવે થલાપતિ વિજય પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે તેમણે રાજકારણ સુધી પહોંચવા માટે એક ઇરાદાપૂર્વકની યોજના હેઠળ ફિલ્મોમાં અભિનય કર્યો. આ આરોપોની અસર હવે તેની ફિલ્મ જના નાયક પર પણ પડી રહી હોય તેવું લાગે છે, જેની રીલિઝ ડેટ બે દિવસમાં થવાની છે અને હજુ સુધી સેન્સર બોર્ડની લીલીઝંડી મળી નથી.

Jana-Nayagan1
ndtv.com

એવું માનવામાં આવી રહ્યું કે વિજયની ફિલ્મ જના નાયકન તેની લોક નાયકન તરીકેની છબીને મજબૂત બનાવશે, પરંતુ હવે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી, તો અત્યાર સુધી તેના એડવાન્સ બુકિંગ પૂરી રીતે ખુલ્યા નથી. મંગળવારે, નિર્માતાઓએ મદ્રાસ હાઇકોર્ટમાં ફિલ્મ માટે સેન્સર સર્ટિફિકેટ મેળવવા માટે અરજી દાખલ કરી હતી. જેમાં પ્રોડક્શનનો આરોપ છે કે સેન્સર બોર્ડે અનુચિત રીતે સર્ટિફિકેટ રોકી રાખ્યું છે અને તેનાથી ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો. આટલું જ નહીં, ન્યાયાધીશ આશાએ સંકેત આપ્યો કે આદેશ 9 જાન્યુઆરીની સવારે આપવામાં આવે તેવી શક્યતા છે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.