થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન'ને લઈને શું વિવાદ છે? સેન્સર બોર્ડ તરફથી કેમ સર્ટિફિકેટ ન મળ્યું?

અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય હાલમાં તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ જના નાયકન માટે લાઇમલાઇટમાં છે. આ ફિલ્મ 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે, પરંતુ રીલિઝ અગાઉ જ તે એક નવા વિવાદમાં સપડાઈ ગઈ છે. વિજયની જના નાયકનને હજુ સુધી સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી.

એક તરફ વિજયે જાહેરાત કરી છે કે જના નાયકન તેની છેલ્લી ફિલ્મ છે અને ત્યારબાદ તે માત્ર રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે, સુપરસ્ટાર ચૂંટણી મેદાનમાં ઉતરે તે અગાઉ, તેની ફિલ્મ અંગે એક મોટો વિવાદ ઉભો થઇ ગયો છે. તેમની ફિલ્મને હજુ સુધી સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી, જેના કારણે નિર્માતાઓ હાઇકોર્ટનો દરવાજો ખખડાવી ચૂક્યા છે. કોર્ટે પણ આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

Jana-Nayagan2
hindustantimes.com

જના નાયકન થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ છે. વિજયે રાજકારણમાં પ્રવેશતા પહેલા જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી ફિલ્મ હશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રીલિઝ થયું હતું, જેમાં તેમનું પાત્ર સામાન્ય લોકોને સરકારને પ્રશ્ન કરવા, ભ્રષ્ટાચાર સામે લડવા અને પોતાનો અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરે છે. જોકે, વિજય દ્વારા આવી ફિલ્મો કરવી નવી વાત નથી; તે અગાઉ પણ આવી જ ફિલ્મો કરી ચૂક્યો છે અને આ ફિલ્મોને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. થલપતિ વિજયની કથ્થી’, ‘મેર્સલ’, અને સરકાર જેવી ફિલ્મો આવા જ વિષયો પર રહી છે.

જના નાયકનને લઈને વિવાદ શું છે?

જના નાયકનનું ટ્રેલર રીલિઝ થયા બાદ થલપતિ વિજય પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે તેણે આવી જ એન્ટ્રી એસ્ટેબ્લિશમેન્ટ ફિલ્મો દ્વારા પોતાની લોકોના હીરો તરીકેની છબી ઉભી કરી છે, અને હવે તેઓ આ છબીનો ઉપયોગ રાજકારણમાં કરવા જઇ રહ્યા છે. તમિલનાડુમાં અગાઉ ઘણા કલાકારોએ રાજકારણમાં પ્રવેશવા માટે સિનેમાનો ઉપયોગ કર્યો છે અને હવે થલાપતિ વિજય પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે તેમણે રાજકારણ સુધી પહોંચવા માટે એક ઇરાદાપૂર્વકની યોજના હેઠળ ફિલ્મોમાં અભિનય કર્યો. આ આરોપોની અસર હવે તેની ફિલ્મ જના નાયક પર પણ પડી રહી હોય તેવું લાગે છે, જેની રીલિઝ ડેટ બે દિવસમાં થવાની છે અને હજુ સુધી સેન્સર બોર્ડની લીલીઝંડી મળી નથી.

Jana-Nayagan1
ndtv.com

એવું માનવામાં આવી રહ્યું કે વિજયની ફિલ્મ જના નાયકન તેની લોક નાયકન તરીકેની છબીને મજબૂત બનાવશે, પરંતુ હવે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી, તો અત્યાર સુધી તેના એડવાન્સ બુકિંગ પૂરી રીતે ખુલ્યા નથી. મંગળવારે, નિર્માતાઓએ મદ્રાસ હાઇકોર્ટમાં ફિલ્મ માટે સેન્સર સર્ટિફિકેટ મેળવવા માટે અરજી દાખલ કરી હતી. જેમાં પ્રોડક્શનનો આરોપ છે કે સેન્સર બોર્ડે અનુચિત રીતે સર્ટિફિકેટ રોકી રાખ્યું છે અને તેનાથી ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો. આટલું જ નહીં, ન્યાયાધીશ આશાએ સંકેત આપ્યો કે આદેશ 9 જાન્યુઆરીની સવારે આપવામાં આવે તેવી શક્યતા છે.

About The Author

Related Posts

Top News

ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો...
Business 
ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.