નવસારીની સરકારી શાળાના મધ્યાહન ભોજનમાંથી ગરોળી નિકળતા ખળભળાટ, તપાસના આદેશ

નવસારીની એક પ્રાથમિક સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં દાળ-ભાતમાંથી મરેલી ગરોળી નિકળતા ભારે હડકંપ મચી ગયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.મધ્યાહન ભોજન જાણે એક મજાક બની ગયું હોય તેવું લાગે છે, તાજેતરમાં બિહારમાં બાળકોના ભોજનમાંથી મરેલો સાપ મળી આવ્યો હતો. આવા તો અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. શું તંત્રને કે જવાબદાર વ્યકિતઓને બાળકોના આરોગ્ય વિશે કોઇ ચિંતા નથી?

સરકારી શાળાઓમાં બાળકો માટે મધ્યાહન ભોજના ચાલે છે અને ભોજનની વ્યવસ્થા ખાનગી સંસ્થાઓ પુરી પાડતી હોય છે, પરંતુ હમેંશા ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉભા થતા રહે છે.

ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શુક્રવારે દાળ-ભાતમાંથી મરોલી ગરોળી મળી આવતા ભારે હોબાળો મચી ગયો હતો. જો કે સદનસીબે બાળકો જમવાની શરૂઆત કરે તે પહેલા ગરોળી દેખાઇ જતા ભોજન અટકાવી દેવાયું હતું. પરંતુ, સવાલ એ છે કે કોઇએ જોયું ન હતે અને બાળકો એ ભોજન આરોગી લેતે તો શું થતે?

નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન દ્રારા પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડવાનો પરવાનો છે.ચીખલી તાલુકાની આ શાળામાં 34માંથી 29 વિદ્યાર્થીઓ હાજર હતા. મઘ્યાહન ભોજનમાં ગરોળી નિકળવાની જાણ થતા આખું તંત્ર ઉંધા માથે થઇ ગયું હતું અને ભોજનના સેમ્પલો લેવામાં આવ્યા છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. ભગીરથ સિંહ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પ્રાથમિક સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં દાળ-ભાતમાંથી મરેલી ગરોળી હોવાની ઘટના ધ્યાન પર આવી છે અને આ મામલે તપાસ સોંપી દેવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા પછી સાચી માહિતી ખબર પડશે. કોઇ પણ બાળકને ભોજન આપવામાં આવ્યું નહોતું અને સાથે નજીકની અન્ય શાળાઓને પણ માહિતી આપીને ભોજન અટકાવી દેવાયું હતું. નાયક ફાઉન્ડેશને તમામ બાળકો માટે ફરી વ્યવસ્થા કરીને ભોજન પહોંચાડ્યું હતું.

તંત્રએ અને સરકારે આ વાતને ખરેખર ગંભીરતાથી લેવાની જરૂર છે, એ વાતની તપાસ થવી જોઇએ કે ગંભીર બેદરકારીને કારણે આવું બની રહ્યું છે કે કોઇ વિકૃત માણસો ભોજનમાં આવું નાંખીને માહોલ બગાડી રહ્યા છે.કારણકે તમને જાણ હશે કે હજુ થોડા દિવસો પહેલા બિહારની સરકારી શાળામાંથી મરેલો સાપ મળ્યો હતો, વલસાડની એક શાળામાંથી ભોજનમાં જીવાત મળી હતી, ભોજનમાંથી ઇયળ કે વાંદા નિકળ્યા હોવાન બનાવો પણ બન્યા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.