સુરતમાં 121મો ફ્લાય ઓવર બ્રિજ ખૂલ્લો મૂકાયો

સુરત મહાનગરપાલિકાએ પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકાએ રૂ.37.33 કરોડના ખર્ચે બનાવેલા નવનિર્મિત ખરવરનગર જંકશન થી પર્વતપાટીયા તરફ ભાઠેના જંકશન પરના ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે સાસંદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર ડાયમંડ અને ટેક્ષ્ટાઇલ સિટી તરીકે ઓળખાય છે, એવી જ રીતે બ્રિજ સિટી તરીકે પણ સુરતની એક અલગ ઓળખ ઉભી થઇ છે.સુરત શહેરમાં ખરવરનગર જંકશન થી પર્વતપાટીયા તરફ ભાઠેના જંકશનને જોડતો 121મો બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે.ત્યારે દેશભરમાં સુરત શહેર સૌથી વધુ બ્રિજ બનાવનારું શહેર બન્યું છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, પીક અર્વસ દરમિયાન ભાઠેના જંકશન પર ટ્રાફીક જામની સમસ્યાના નિવારવા માટે મહાનગર પાલિકા દ્વારા ભાઠેના જંક્શન પર નવનિર્મિત ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કર્યું છે. બ્રિજના નિર્માણથી આસપાસનાં વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી છે તેમજ લોકોનો સમય અને ઈંધણની પણ બચત થશે.

સુરત મહાનગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું કે, 'સૌના સાથ, સૌના વિકાસ'ના સૂત્રને અનુસરી સુરત મહાનગર પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે. જેમાં સુરતવાસીઓ પણ હંમેશા સહયોગી રહ્યા છે. ભાઠેના જંક્શન પરનો નવનિર્મિત બ્રિજ આવાગમન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પાલિકાએ બ્રિજનું નિર્માણ કરી સ્થાનિક જનતા અને હજારો વાહનચાલકોને આવાગમનમાં મોટી રાહત આપી હોવાનું સી.આર. પાટીલે ઉમેર્યું હતું.

About The Author

Top News

સામાન્ય ખેડૂત પરિવારની દીકરી ISROમાં વૈજ્ઞાનિક બની, ક્લાયમેટ ચેન્જ પર સંશોધન કરશે

મુળ હરિયાણાના ઝજ્જરની દીકરી અને દક્ષિણ ગુજરાતમાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી પ્રીતિ વત્સની ISROમાં સાયન્ટિસ્ટ તરીકે...
National 
સામાન્ય ખેડૂત પરિવારની દીકરી ISROમાં વૈજ્ઞાનિક બની, ક્લાયમેટ ચેન્જ પર સંશોધન કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-06-2025 દિવસ: રવિવાર મેષ:  તમારે વ્યવસાય માટે નજીક અને દૂર મુસાફરી કરવી પડી શકે છે. તમારા જીવનસાથીના સહયોગ અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.