સ્થાનિક સ્વરાજની સંસ્થામાં OBC માટે 27 ટકા અનામત, ગુજરાત સરકારની મોટી જાહેરાત

સ્થાનિક સ્વરાજની સંસ્થામાં OBC માટે 27 ટકા અનામત રાખવાની ગુજરાત સરકારે મંગળવારે મોટી જાહેરાત કરી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકામાં OBC માટે 27 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંગળવારે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ઝવેરી પંચના અનામત અંગેના રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં OBCને 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર દ્વારા 8 જુલાઈ 2022ના રોજ ઝવેરી પંચની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક રાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલા આવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરો તેમજ રાજનીતિ પરિસ્થિતિ અનુસાર પંચને વિશ્લેષણ કરીને સંપૂર્ણ રિપોર્ટ માટે રાજ્ય સરકારે સૂચના આપી હતી. સમયાંતરે ઝવેરી પંચની મુદત વધતી ગઈ અને અંતે 13 એપ્રિલ 2023ના રોજ પાંચ દ્વારા રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે કહ્યું હતું કે, ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ સ્વરાજ્યની સંસ્થાવાર અનામત આપી છે. જેમાં કુલ બેઠકો કરતા 50 ટકાથી વધે નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. SC-STની બેઠકો માટે કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રાજ્ય સરકારના પ્રવક્તા પટેલે આગળ કહ્યું કે, 9 જિલ્લા અને 61 તાલુકામાં આદિવાસી વસ્તી 50 ટકા કરતા વધારે છે. આ વિસ્તારોમાં વસતી પ્રમાણે બેઠક ફાળવવામાં આવશે. OBC માટે જે 10 ટકા બેઠકો છે તે યથાવત રહેશે. પટેલે કહ્યુ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઝડપથી થાય એમાં સરકારને રસ અને બાવના સીમાંકન પ્રમાણે ચૂંટણી યોજાશે.

જાણકારોનું કહેવું છે કે જ્યારે સામાજિક રીત જોઇએ તો OBC સમાજની વસ્તી વધારે છે ત્યાં 27 ટકા અને વસ્તી ઓછી છે ત્યાં પણ 27 ટકા અનામત લાગુ પડશે. એટલે સામાજિક રીતે અન્યાય થવાની પૂરેપૂરી શક્યતા છે. દાખલા તરીકે બનાસકાંઠામાં ઓબીસી સમાજની વસ્તી 70 ટકા છે તો ત્યાં 27 ટકા જ અનમાત મળશે અને ભરૂચમાં ઓબીસી સમાજની વસ્તી 5 ટકા છે તો ત્યાં પણ 27 ટકા અનામત મળશે. એટલે સંતુલન ખોરવાઇ શકે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.