મહેસાણાથી અયોધ્યા સુધી પદયાત્રા કરી પહોંચ્યા 73 વર્ષીય વૃદ્ધ, મંદિર માટે 1990માં લીધો હતો સંકલ્પ

ભગવાન રામ પ્રત્યેની ભક્તિ અને ત્રણ દાયકા કરતા વધુ સમય અગાઉ લીધેલી પ્રતિજ્ઞાથી પ્રેરિત થઈને 73 વર્ષીય એક વ્યક્તિએ ગુરુવારે મહેસાણાથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધીની 1338 કિલોમીટરની પગપાળા યાત્રા પૂર્ણ કરી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મીડિયા સેન્ટર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહેસાણા જિલ્લાના મોદીપુર ગામના રહેવાસી જયંતિલાલ હરજીવનદાસ પટેલ 1990માં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળ સોમનાથ-અયોધ્યા રથયાત્રા દરમિયાન લીધેલા પોતાના સંકલ્પને પૂર્ણ કરવા માટે 40 દિવસની પગપાળા યાત્રા બાદ અયોધ્યા પહોંચ્યા હતા. પટેલે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. તેમણે 30 ઓગસ્ટના રોજ પોતાની યાત્રા શરૂ કરી હતી.

Jayantilal-Harjivandas-Patel
x.com/LokmatTimes_ngp

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ દરરોજ 33 થી 35 કિલોમીટર ચાલીને અને રાત્રે આરામ કરીને, રસ્તામાં મંદિરો, જાહેર પાર્કો અને ગેસ્ટ હાઉસમાં રોકાઈને આ અંતર કાપ્યું છે. સંબંધીઓ ઘણીવાર તેમને તેમની આગામી યાત્રાનું આયોજન કરવામાં મદદ કરવા માટે મોબાઇલ ફોન દ્વારા આગામી સ્ટોપ વિશે જાણ કરતા હતા.

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અને અયોધ્યા પરિસરમાં રામ મંદિર અને 8 અન્ય તીર્થસ્થળો ધ્વજારોહન સમારોહની જાહેરાત સાથે, પટેલે નક્કી કર્યું કે તેમના દાયકાઓ જૂના સંકલ્પને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. નિવેદનમાં કહેવામા આવ્યું છે કે, અયોધ્યા પહોંચ્યા બાદ તેઓ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને મળવા માટે કારસેવકપુરમની પણ મુલાકાત લીધી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.