સુરતમાં બુલેટ ટ્રેન બ્રિજના નિર્માણ સમયે ભારે ભરખમ લોખંડની પ્લેટ પડતા પિતા-પુત્રીએ ગુમાવ્યા જીવ

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દરમિયાન શનિવારે એક ગોઝારી ઘટના ઘટી હતી. કામરેજ તાલુકાના કઠોર ગામે બદાત ફળિયામાં રહેતો એક વ્યક્તિ, તેની પત્ની અને પુત્રી સાથે સાંજે 4:45 વાગ્યાના અરસામાં નાવ લઈને તાપી નદીમાં માછીમારી કરવા નીકળ્યા હતા. માછીમારી કરવા નીકળેલા આ પરિવારને અંદાજો પણ નહોતો કે બુલેટ ટ્રેન બ્રિજના પિલરના કામકાજ વચ્ચે મોત આ રીતે તરાપ મારશે.

જ્યારે તેઓ નદીમાં બની રહેલા બુલેટ ટ્રેન બ્રિજના પિલર નીચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક પિલર પરની એક ભારે લોખંડની પ્લેટ હોડી પર પડી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે પિતા-પુત્રીના ઘટનાસ્થળે જીવ જતા રહ્યા હતા. જ્યારે સ્થાનિક દ્વારા માતાને બચાવી લેવામાં આવી હતી. પિતા-પુત્રીના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોની ઓળખ મોહસીન ઈકબાલ શેખ (ઉંમર 35 વર્ષ, રહે. બદાત ફળિયું, કઠોર.) અને હુમા મોહસીન શેખ (ઉંમર 09 વર્ષ) તરીકે થઈ છે.

Surat-Bullet-Train-Bridge-Accident1
bhaskarenglish.in

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે, આજે લગભગ 4:45 કલાકે તાપી નદી પરના બુલેટ ટ્રેન બ્રિજ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે એક શ્રમિકને એક મહિલાનો મદદ માટેનો અવાજ સાંભળ્યો હતો. તાત્કાલિક ઘાટનાસ્થળ પર દોડી જતા તેણે જોયું કે એક મહિલા નદીમાં ડૂબી રહી હતી. ત્વરિત કાર્યવાહી કરી શ્રમિકો પૈકીના એકે પાણીમાં ઝંપલાવ્યું અને મહિલાને સફળતાપૂર્વક બચાવી લીધી હતી.

બચાવ કામગીરી દરમિયાન એવી માહિતી મળી હતી કે તે જ હોડીમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પણ પાણીમાં ફસાયા હતા. આ દરમિયાન સ્થાનિક માછીમારો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે તે બંને બચી શક્યા નથી અને તેમણે બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને આ મામલે તપાસ કરી રહી છે. NHSRCL અને તેના કોન્ટ્રાક્ટર ચાલી રહેલી તપાસમાં પોલીસને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપી રહ્યા છે.

ઉત્રાણ પોલીસ સ્ટેશનના PI ડી.યુ. બારડે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃતદેહોને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે કઠોર સિવિલ સેન્ટર ખસેડવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને જાણ કરવામાં આવી છે અને તેમના નિવેદન પણ લેવામાં આવશે.

Surat-Bullet-Train-Bridge-Accident
bhaskarenglish.in

પોલીસના જણાવ્યા અનુસાર હોડી પર પડેલી ભારેભરખમ પ્લેટને હટાવવાની કામગીરી આજે સવારથી શરૂ કરવામાં આવશે. નિર્માણ કાર્યમાં સુરક્ષાના અભાવે આ દુર્ઘટના ઘટી હોવાની આશંકા વચ્ચે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી મામલે પણ તપાસ કરવામાં આવશે. આટલા મોટા પ્રોજેક્ટમાં સુરક્ષાના સાધનો અને નિયમોના ઉલ્લંઘન અંગે પણ પોલીસ કડક તપાસ કરશે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

About The Author

Related Posts

Top News

સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર IT ત્રાટક્યું

થોડા વર્ષો અગાઉ સૂરતની જાહેજલાલી જોઇને સૌરાષ્ટ્રના એક મોટા નેતાએ લેન્ડ માફિયાઓને ભેગા કરી એક ગેંગ બનાવી હતી જે મહાકાલ...
Gujarat 
સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર  IT ત્રાટક્યું

કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા...

કોંગ્રેસ અને શશિ થરૂર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બધું બરાબર ચાલી રહ્યું નથી. થરૂર અને પાર્ટી હાઇકમાન્ડ વચ્ચે દૂરીઓ વધી...
Politics 
કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા...

અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

ભારતીય સંગીત જગતમાંથી એવા સમાચાર આવ્યા છે જેણે લાખો ફેન્સના દિલ તોડી નાખ્યા છે. પોતાના અવાજથી બધાને મોહિત કરનારા ગાયક...
Entertainment 
અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ

મંગળવારે વહેલી સવારે વડોદરા પોલીસે નશામાં અને બેદરકારીથી વાહન ચલાવવાના આરોપમાં પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનની ધરપકડ કરી હતી. પોલીસના...
Gujarat 
કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.