વી. ટી. ચોકસી સાર્વજનિક લૉ કોલેજ ખાતે મલ્ટિડિસિપ્લિનરી કોન્ફરન્સ યોજાઇ

વી. ટી. ચોકસી સાર્વજનિક લૉ કોલેજ, સુરત ખાતે રીસર્ચ સેન્ટર દ્વારા Indian Council of Social Science Research (ICSSR) દ્વારા અનુદાનિત સંશોધન પ્રોજેક્ટ અંતર્ગત તા. 23 અને 24 ડિસેમ્બર, 2025ના બે દિવસીય મલ્ટિડિસિપ્લિનરી કોન્ફરન્સનું "EmpowerHER: Advocating Women's Rights and Empowerment" વિષય પર સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સના Convenor તથા Conference Chair તરીકે ડૉ. ઇરમલા દયાલ (ઇન્ચાર્જ આચાર્ય, વી. ટી. ચોકસી સાર્વજનિક લૉ કોલેજ, સુરત) રહ્યા હતા. કોન્ફરન્સના આયોજન અને સફળતામાં પ્રખ્યાત એડવોકેટ  શ્રેયસ દેસાઈ (ચેરમેન, એડમિનિસ્ટ્રેટિવ કમિટી) નો અમૂલ્ય ફાળો રહ્યો હતો.

તા. 23 ડિસેમ્બર, 2025ના રોજ ઉદ્ઘાટન સમારોહની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ વંદના, પ્રાર્થના તથા ગ્રીન ઇનૉગ્યુરેશન રિચ્યુઅલ સાથે કરવામાં આવી. ત્યારબાદ ડૉ. ઇરમલા દયાલ દ્વારા સ્વાગત સંબોધન કરવામાં આવ્યું, જેમાં તેમણે કાર્યક્રમનું મહત્ત્વ, ઉદ્દેશ્ય, થીમ તથા તેની શૈક્ષણિક અને સામાજિક પ્રાસંગિકતા પર પ્રકાશ પાડ્યો.

કોન્ફરન્સના વિદ્વાન વ્યાખ્યાતા તરીકે પ્રો. ડૉ. રાજેશ દુબે (ડિરેક્ટર, UGC-MMTTC, જોધપુર) ની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. તેમના પ્રેરણાદાયી વિદ્વાન વ્યાખ્યાનમાં તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) ની વિકાસયાત્રા સાથે શિક્ષણ ક્ષેત્રે મલ્ટિડિસિપ્લિનરી અભિગમના મહત્ત્વને રેખાંકિત કર્યું તેમજ "EmpowerHER" વિષય અંતર્ગત મહિલાઓના અધિકારો અને સશક્તિકરણ અંગે પ્રાચીનથી આધુનિક સમયગાળામાં આવેલા પરિવર્તનો પર વિશદ ચર્ચા કરી.

નીખિલ મદ્રાસી (પ્રમુખ, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, સુરત) એ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પરિવર્તનશીલ સમયમાં કુટુંબ અને સમાજને દિશા આપવાનું મહત્વપૂર્ણ કાર્ય મહિલાઓ દ્વારા નિભાવવામાં આવી રહ્યું છે અને શહેરોના સર્વાંગી વિકાસ માટે મહિલા સશક્તિકરણ અનિવાર્ય છે. ડૉ. અજિત શાહ (સેકન્ડ વાઇસ ચેરમેન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સુરત) એ પોતાના પ્રમુખ સંબોધનમાં જણાવ્યું કે મહિલા સશક્તિકરણનો અર્થ સમાન અધિકાર, અવસર અને સ્વતંત્ર નિર્ણયક્ષમતા છે. ડૉ. કિરણ પંડયા (પ્રોવોસ્ટ, સાર્વજનિક યુનિવર્સિટી, સુરત) તથા ડૉ. લક્ષ્મણ આહિર (બોર્ડ ઓફ મેમ્બર્સ, VNSGU) એ મહિલા સશક્તિકરણને સમયની આવશ્યકતા ગણાવી.

કોન્ફરન્સના કીનોટ સ્પીકર તરીકે પ્રો. સની હસાની (IQAC કોર્ડીનેટર, એનટીવીએસ કોલેજ ઓફ લો, નંદુરબાર) એ ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ સામે ચાલતી કુરિવાજો અને સામાજિક અસમાનતાઓ અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા. કોન્ફરન્સમાં ડૉ. હેમાલી અરુણભાઈ દેસાઈ (પ્રિન્સિપલ, રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વાપી) તથા પ્રો. પરસી એન્જિનિયર (ફર્સ્ટ પ્રોવોસ્ટ, સાર્વજનિક યુનિવર્સિટી) ની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી.

કોન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિત કુલ 4 રાજ્યો તથા 1 કેન્દ્રશાસિત પ્રદેશના 10 શહેરોમાં આવેલી વિવિધ યુનિવર્સિટીઓમાંથી અર્થશાસ્ત્ર, બાયોટેકનોલોજી, માનવવિજ્ઞાન (હ્યુમેનિટીઝ) અને આર્કિટેક્ચર જેવા વિવિધ શૈક્ષણિક પ્રવાહોના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના 9 રાજ્યો અને 33 શહેરોમાંથી ભાગ લેનાર ફેકલ્ટી સભ્યો, રિસર્ચ સ્કોલર્સ, એડવોકેટ્સ તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ મહિલાઓના અધિકારો, સશક્તિકરણ, કાયદા, શિક્ષણ, આરોગ્ય અને માનવ અધિકારો જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન ઑફલાઇન તથા ઑનલાઇન બંને મોડમાં કુલ 57 સંશોધન પેપરનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે મહિલાઓના અધિકારો અને સશક્તિકરણ સંબંધિત વિષયો પર ઊંડાણભરી શૈક્ષણિક ચર્ચા અને વિચારવિમર્શ શક્ય બન્યો હતો.

આ કોન્ફરન્સે એકેડેમિસિયન, સંશોધકો, કાનૂની વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવિનિમયનું મહત્વપૂર્ણ મંચ પૂરું પાડયું અને મહિલાઓના અધિકારો તથા સશક્તિકરણ અંગે કાનૂની અને સામાજિક જાગૃતિ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું.

About The Author

Related Posts

Top News

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.