- Gujarat
- અમદાવાદમાં પાણીપુરીમાંથી પહેલા વાળ નીકળ્યો અને પછી હાડકું, પાછો નફ્ફટાઇથી કહે- ‘લાકડું છે કાપીને બતા...
અમદાવાદમાં પાણીપુરીમાંથી પહેલા વાળ નીકળ્યો અને પછી હાડકું, પાછો નફ્ફટાઇથી કહે- ‘લાકડું છે કાપીને બતાવું, કાપ્યું તો...
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસે ઊભા રહેતા પાણીપુરીવાળાના ત્યાં પાણીપુરી ખાવા માટે ગયેલી યુવતીની પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવતી તેની માતા સાથે પાણીપુરી ખાવા માટે ગઈ હતી. સૌપ્રથમ પાણીપુરીમાંથી વાળ નીકળ્યો હતો, પરંતુ તેણે ધ્યાને લીધું નહોતું. ત્યારબાદ છેલ્લી પાણીપુરીમાંથી હાડકું નીકળતા યુવતીએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયોની ખરાઈ કરવાની પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ કરી રહ્યું છે.
વાયરલ વીડિયોમાં યુવતી કહી રહી છે કે, ‘રાણીપ BRTS બસ સ્ટેન્ડની સામે ક્રિષ્ના ભેળ પકોડીની લારીએ અમે સાંજે 6.30 વાગ્યે પાણીપુરી ખાવા માટે આવ્યા હતા. અમે પહેલી પકોડી ખાધી, ત્યારે મારા મમ્મીની પકોડીમાંથી વાળ નીકળ્યો હતો. ત્યારે અમે એવું સમજીને જવા દીધું કે કોઈનો ધંધો નથી બગાડવો. એજ અમારી પહેલી ભૂલ હતી. પછી છેલ્લી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે.’
મેં તેમને કહ્યું તો મને એવું કહેવામાં આવ્યું કે આ લાકડું છે. પાણીપુરી ખાવા માટે આવેલા બીજા ચાર લોકોને જ્યારે બતાવવામાં આવ્યું તો તેમણે પણ કહ્યું કે આ હાડકું છે. ફરીથી તેમને અમે કહ્યું તો પાછું અમને કહ્યું કે આ લાકડું છે અને કાપીને બતાવીએ અને કાપ્યું તો કપાયું નહીં અને ત્યારબાદ કહે છે કે હાડકું છે અને અમને માફ કરી દો. અમારી ભૂલ થઈ ગઈ હાડકું ઉડીને આવ્યું હશે તેમ કહી દીધું હતું.
https://twitter.com/DeshGujarat/status/2055571299796406463?s=20
ન્યૂઝ18ના અહેવાલ મુજબ યુવતીએ કહ્યું કે, ‘મેં મારી જિંદગીમાં ક્યારેક નોનવેજ નથી ખાધું અને અચાનક આ વસ્તુ થાય, તો આનો જવાબદાર કોણ? હવે પાણીપુરીની લારીવાળો ખાલી સોરી-સોરી કહે છે, આમાં અમે કંઈ જ ન કરી શકીએ’ હાલમાં આ વીડિયો વાયરલ થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.’
4 મહિના અગાઉ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો ન વધે ન તેને લઈને પાણીપુરી વેચનાર લારીઓ-એકમો સામે ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી. શહેરના અલગ-અલગ સ્થળેથી પાણીપુરીના પાણી અને ઉપયોગમાં લેવાતા મસાલાની તપાસ કરાઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે 1,121 પાણીપુરીની લારીઓ પર પાણીના નમૂના લીધા હતા, જેમાં 280 સેમ્પલમાં ખાવાલાયક ન હોય એવા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તો અમુક જગ્યાએ પાણીમાં બેક્ટેરિયા મળી આવ્યા હતા.

