વિશ્વામિત્રીના કિનારે બનતો હતો દેશી દારૂ, IAS પહોંચી ગયા અને...

ગુજરાતમાં દારૂબંધી બાદ પણ અવારનવાર દારૂ પકડાવાની ઘટનાઓ ચર્ચામાં રહે છે, પરંતુ વડોદરામાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે દેશી દારૂની ફેક્ટરી ચાલી રહી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર IAS દિલીપ રાણાને આ અંગે માહિતી મળી તો તેમણે પોલીસ અધિકારીના અંદાજમાં દરોડો પાડી દીધો અને દેશી દારૂ ઉતારતા આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

IAS1
x.com/NavbharatTimes

દિલીપ રાણાએ પોતાના સ્ટાફને આખી ઘટનાની વીડિયોગ્રાફી પણ કરાવી હતી, જેથી આરોપીઓ વિરુદ્વ કડક કાર્યવાહી કરી શકાય. મહાનગર પાલિકાના કમિશનર દ્વારા દારૂની ફેક્ટરી જપ્ત કરવામાં આવ્યા બાદ સવાલ ઉભા થઇ રહ્યા છે કે આખરે મહાપાલિકાના જે વિસ્તારને શહેરી વિસ્તાર માનવામાં આવે છે, ત્યાં દારૂ કેવી રીતે ઉતારવામાં આવી રહ્યો હતો? પોલીસને પણ તેની ભનક કેમ ન લાગી? રાણાએ આ દારૂની ફેક્ટરી પકડ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરતા બધો સામાન જપ્ત કરી લીધો હતો.

Desi-Liquor

વડોદરા પોલીસની SOGએ ખુલાસા બાદ આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વિક્રમ ખોડ સિંહ ઠાકોરની ધરપકડ કરી છે. તે વડોદરાના વડસરમાં રહેતો હતો. પોલીસે તેની પાસેથી 3 બેરલ દારૂ જપ્ત કર્યો હતો. 9 ખાલી ડ્રમ સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે આરોપી સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. PCB ઈન્સ્પેક્ટર સી.બી. ટંડેલના જણાવ્યા અનુસાર, કુલ 3 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર છે. તેમની પણ જલદી જ ધરપકડ કરવામાં આવશે.

Protests,-Trump-Musk-3
amarujala.com

ગુજરાત રાજ્યની સ્થાપનાથી જ દારૂબંદી છે. રાજ્યમાં દારૂના વેચાણ અને પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. રાજ્યમાં માત્ર પ્રવાસીઓને જ દારૂ પીવાની છૂટ છે. તેના માટે સરકાર દ્વારા લાઇસન્સ આપવામાં આવે છે. આ સિવાય હેલ્થ પરમિટ પણ બને છે. જેમને ડૉક્ટરો દારૂની ભલામણ કરે છે. તેમને આ પરમિટ ફીસ સાથે મળે છે, જો કે આ પ્રક્રિયા ખૂબ જટિલ છે.

About The Author

Related Posts

Top News

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

મોબાઇલ રિચાર્જ અંગે દેશમાં એક નવો વિવાદ ઉભો થયો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ...
Politics 
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન...
Gujarat 
શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર

TVSએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત ખૂબ જ ઓછી રાખી છે. આ સ્કૂટર 50,000...
Tech and Auto 
50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક  સ્કૂટર

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.