અંબાલાલ પટેલની આગાહી,ઉત્તર અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવી શકે છે

ગુજરાતમાં ચોમાસાની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી, મેઘરાજાની સવારી મોડી આવી, પરંતુ જ્યારે આવી ત્યારે આખા ગુજરાતને ઘમરોળી નાંખ્યું છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદને કારણે ગામોમાં પાણી ફરી વળ્યા છે અને અનેક જગ્યાએ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આ વચ્ચે હવામાનના જાણકાર અંબાલાલે જે આગાહી કરી છે તે ચિંતાજનક છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 2 દિવસમાં ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવી શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 8 જુલાઇથી 12 જુલાઇ વચ્ચે ભારે પવન સાથે વરસાદ પડશે.

ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ સાથે શરૂઆત કરી છે અને રાજ્યના કેટલાંક વિસ્તારોમાં એવી હાલત થઇ ગઇ છે કે રસ્તાઓ અને ઘરો સુધી પાણી પહોંચી ગયા છે. કેટલાંક વિસ્તારોમાં તો જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે. અનેક ગામો સંપર્ક વિહોણા થઇ ગયા છે. અને વરસાદ પણ કેવો પડ્યો છે, માત્ર 24 કલાકમાં જ 200 તાલુકામાં 1 ઇંચથી માંડીને 16 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.વિસાવદર તાલુકામાં 14 દિવસમાં 16 ઇંચ વરસાદ પડી ગયો છે.

જૂનાગઢમાં મેહુલિયો એવો વરસ્યો છે કે ખેતરો પાણી પાણી થઇ ગયા છે. ભેસાણની વાત કરીએ તો 2 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. ધરમપુરમાં 5 અને સૌરાષ્ટ્રના ધારીમાં 4 ઇંચ વરસાદ પડ્યો. ઓઝત નદીનો પાળો તુટી જતા કોયલાણા ગામમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદની આગાહીને પગલે જૂનાગઢમાં રાજ્ય સરકાર દ્વારા NDRFની એક ટીમ તહેનાત કરવામાં આવી છે.જૂનાગઢના અનેક વિસ્તારો જાણે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ  છે. ઘણી બધા રૂટ પર બસોને રદ કરી દેવામાં આવી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ગામોના સંપર્ક તુટી ગયા છે.

ભેસાણ તાલુકામાં ડેમ ઓવરફલો થવાને કારણે ભેસાણ તાલુકાના ભાટગામ, સુખપુર, જૂનાગઢ તાલુકાના ભિયાળ, ચોકી, કેરાળા, ઝાલનસર, મેજવડી, તલિયાધાર, વધાવી, ધંધુસર, વંથલી જેવા અનેક ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદીના પટમાં અવરજવર નહીં કરવાની તંત્રએ સુચના આપી છે.

સુરત, અમદાવાદ,બનાસકાંઠા, પાલનપુરમાં વરસાદની હેલી ચાલું છે. હવે જ્યારે અંબાલાલ પટેલે આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની સંભાવના વ્યકત કરી છે ત્યારે લોકોમાં ચિંતા ઉભી થઇ છે.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.