કલેક્ટર કચેરીઓનો ભ્રષ્ટાચાર, હાઇકમાન્ડ સુધી પડઘા પડ્યા, નજર રખાઇ રહી છે

આણંદ કલેકટર ઓફિસમાં બનેલી ઘટના પછી સરકારે હવે લાલ આંખ કરી છે અને બીજી કલેકટર ઓફિસમાં પણ વોચ રાખવા હુકમ કરવામાં આવ્યો છે.

ગુજરાતીમાં એક કહેવત છે ‘પાડાના વાંક પખાલીને ડામ’ આ કહેવત અત્યારે ગુજરાત માટે સાચી વાત સાબિત થઇ રહી છે. આણંદ કલેકટરને ફસાવવા માટે મહિલા અધિકારીએ જમીનોની ફાઇલો પાસ કરાવવા માટે જે કારસો રચ્યો તેને કારણે હવે બીજા જિલ્લાઓની કલેક્ટર ઓફીસ પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના રડારમાં આવી ગઇ છે અને ભ્રષ્ટાચારી અધિકારીઓ પર વોચ ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કયા જિલ્લાની કઇ કલેકટર કચેરીમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેની વિગતો મંગાવવા આવી છે.

 આણંદના કલેકટર ડી. એસ. ગઢવી કેટલીક જમીનની ફાઇલો પાસ  નહોતો કરતા એટલે એડિશનલ કલેકટર કેતકી વ્યાસે બે લોકોના સહયોગથી કલેકટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા ફીટ કરી દીધા અને એક મહિલાને કલેકટરની ચેમ્બરમાં મોકલી હતી. મહિલા અધિકારીના કારસામાં કલેકટર સપડાઇ ગયા અને તેમને સરકારે કલેકટર ડી. એસ. ગઢવીને સસ્પેન્ડ કરી દીધા અને તપાસ માટે 4 મહિલા સરકારી અધિકારીઓની તપાસ સમિતિ નીમી હતી. જેમાં ઘણી ચોંકાવનારી વાત બહાર આવી છે.

જાણવા મળેલી વિગત મુજબ હવે એન્ટિ કરપ્શન બ્યુરોના અધિકારીઓએ ઝુકાવ્યું છે. આણંદની ઘટનાને પગલે હાઇકમાન્ડે ગુજરાત જિલ્લા કલેકટર ઓફિસમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી છે અને આકરા પગલાં લેવાનો આદેશ કર્યો છે.

જિલ્લાઓની સરકારી કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઇ રહ્યા છે અને લાંચ આપ્યા વગર કામ થતા નથી તેવી વ્યાપક ફરિયાદો સામે આવી રહી છે. રૂપિયાનુ વજન મુકયા વગર ફાઇલો આગળ વધતી નથી એવી ફરિયાદો ધારાસભ્યો, સાંસદો અને ભાજપના નેતાઓએ કરી છે. હવે સરકારે જે ઓફિસોમાં જે કોઇ અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદ મળી હોય તેમના પર વોચ રાખવાનું કહેવામાં આવ્યું છે.

રાજ્યના મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીએ નામ નહીં છાપવાની શરતે એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, કોરોના મહામારી પછી ભ્રષ્ટાચારના કેસો અને વસૂલ કરવામાં આવતી રકમમાં મોટો ઉછાળો આવ્યો છે. સામાન્ય લોકોના પણ  પૈસા આપ્યા વગર કામ થતા નથી.

રાજ્ય સરકારે મહેસૂલ વિભાગમાંથી કરપ્શન નિયત્રિંત કરવા તમામ અધિકારીઓ- કર્મચારીઓના ટેબલ બદલી નાંખ્યા છે.

આણંદની જમીનની ફાઇલોમાં ભાજપના સ્થાનિક નેતાની પણ ભાગબટાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.