આસારામના હજુ પણ અંધભક્તો છે, સિવિલમાં ફોટો મુકીને આરતી-પૂજા કરી, ડોક્ટર હાજર

દુષ્કર્મની આજીવન સજા ભોગવી રહેલા આસારામનો હજુ પણ અંધ ભક્તો છે.22 સપ્ટેમ્બરે દેશભરમાં મા શક્તિની આરાધનાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી એ દિવસે સુરતની હોસ્પિટલમાં કેટલાંક લોકોએ આસારામની તસ્વીર મુકીને પૂજા- આરતી કરતા ભારે વિવાદ ઉભો થયો છે. નવાઇની વાત એ છે કે, જ્યારે આસારામની તસ્વીર પર પૂજા આરતી થઇ રહી હતી ત્યારે સિવિલના સિનિયર ડોકટર જિગિશા પાટડીયા અને કેટલીક નર્સો પણ હાજર હતી. આ બધાએ ભેગા થઇને ભજન પણ ગાયા હતા.

સુરત સિવિલ હોસ્પિટલમાં સરકારની જગ્યા પર આસારામની ભક્તિ કરવામાં આવી જે સરકારે જ આસારામને જેલમાં પુરેલો છે.

સિવિલ સુપ્રિન્ટેડન્ટ ધારિત્રી પરમારને જ્યારે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તેઓ રજા પર છે અને સુરતની બહાર છે. આ ઘટના વિશે તેમને કોઇ જાણકારી નથી અને કોઇ પરવાનગી પણ માંગવામાં આવી નથી.

About The Author

Related Posts

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.