પ્રી-વેડિંગ ફોટોશૂટ, બેબી શાવર સહિતની ખર્ચાળ પ્રથા બંધ કરવા પાટીદાર બહેનોની પહેલ

સોશિયલ મીડિયાના આજના જમાનામાં દેખા-દેખીનો ખેલ જોરદાર ચાલી રહ્યો છે. લોકો હવે પ્રી-વેડિંગ ફોટોશૂટ, બેબી શાવર, રિસેપ્શન વગેરેમાં પૈસાઓના ધુમાડા ઉડાડવામાં આવે છે. આ મોંઘવારીના જમાનામાં આપણે વધારાનો ખર્ચ કરતા બચવું જોઈએ, તેની જગ્યાએ અવનવી કુપ્રથાઓ આપણે ત્યાં આવી રહી છે અને તેની પાછળ પૈસા પાણીની જેમ વહાવવામાં આવે છે. સમાજમાં પ્રવર્તિ રહેલી કુપ્રથાઓ અને કુરિવાજો પ્રત્યે હવે ધીમે-ધીમે સમાજો જાગૃત થઈ રહ્યા છે.

પાટણમાં 42 લેઉઆ પાટીદાર સમાજમાં પણ કુપ્રથા અને કુરિવાજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લેઉઆ પાટીદાર સમાજની બહેનોએ એક થઈને સમાજ ચાલી રહેલા કેટલાક નિયમોમાં સુધારા કરવાની પહેલ કરી છે અને લગ્ન કે મરણ સહિતના કોઈ પ્રસંગમાં બિનજરૂરી ખર્ચાઓ તેમજ પ્રથાઓ પર કાપ મૂકવાનુ નક્કી કરવામાં આવ્યું છે. પાટણમાં 42 લેઉઆ પાટીદાર સમાજની બહેનોએ બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓ બંધ કરાવવા માટેની પહેલ કરી છે.

પહેલ લગ્નમાં થતા પ્રી-વેડિંગ શૂટ, રિસેપ્શન, બેબી શાવર સહિતની ખર્ચાળ પ્રથાઓ બંધ કરાશે. આ પહેલમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યની મહિલાઓ પણ જોડાઈ છે. આગામી 28મી મેના રોજ પાટણમાં સભાનું આયોજન કરવામાં આવશે. તેમાં લગભગ 3,000 બહેનો આ પહેલ હેઠળ શપથ લેશે. ત્યારે 65 વર્ષ પછી 42 લેઉઆ પાટીદાર સમાજની બહેનો નવું બંધારણ તૈયાર કરશે. વર્ષ 1958માં પાટીદાર સમાજમાં બંધારણ તૈયાર કરાયુ હતું, તે રીતે 65 વર્ષ બાદ ફરીથી બંધારણ બનાવાશે, જેમાં મહિલાનો મહત્ત્વની ભૂમિકા રહેશે.

આ અંગે 42 લેઉવા પાટીદાર સમાજના મહિલા આગેવાન અનિતાબેન પટેલે જણાવ્યું હતું કે, સમાજમાં સુધારો લાવવા 42 લેઉવા પાટીદાર સમાજની બહેનોએ નિર્ણય કર્યો છે. જેમાં લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચા અટકાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્રી-વેડિંગ ફોટોશૂટ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ પ્રથા બંધ કરવામાં આવશે. ભવિષ્યમાં આ રિવાજો વધુ ખર્ચાળ બની શકે છે તેના માટે બહેનો પહેલ કરશે. તો અન્ય એક આગેવાન મધુબેન પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજમાં વ્યાપેલા બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓને બંધ કરાવવા માટે આગામી દિવસોમાં બહેનો પહેલ કરશે.

અત્યારે સમાજના દીકરા દીકરીઓ જે વ્યસનો તરફ તથા પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા છે તેની માટેના ભાગીરથ પ્રયાસ છે. આ માટે 28 મેના રોજ પાટણમાં સભાનું આયોજન કરી બિનજરૂરી પ્રથાઓ બંધ કરાવવા માટે શપથ લેવડાવવામાં આવશે. સાથે સમાજમાં શિક્ષણની જ્યોત જગાવવાનો પ્રયાસ કરાશે.

42 લેઉવા પાટીદાર સમાજના બંધારણમાં કયા કયા સુધારા કરાયા?

લગ્નપ્રસંગે જાનને એક જ રાત રોકી રાખવી, જાનને 2 વખતનું જમાડીને વિદાય આપવી, મામેરામાં 1 રૂપિયાથી 1051 સુધીની રકમ અને દાગીના મુકવા, જાનમાં બેંડવાજા બંધ કરવા, લગ્ન પ્રસંગે કન્યાઓના વરઘોડા બંધ કરવા, લગ્ન પ્રસંગે ફટાણાના બદલે માત્ર શાસ્ત્રીય ગીતો ગાવા, મરણ પાછળ અગિયારમું, બારમું અને તેરમું બંધ કરી, માત્ર એક જ દિવસે લોકાચારે જવું, મૃત્યુ પામનારની પાછળ સજા ભરવાનું બંધ કરવું, મરણ પાછળ મહિલાઓએ વાળ છૂટા કરી છાજિયા લેવાનું બંધ કરવું.

 

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.