બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને SCએ લીધી આડેહાથ, 14 વર્ષની સજા...

ગુજરાત દંગાઓ સાથે જોડાયેલા બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારના વલણ પર સુપ્રીમ કોર્ટ સવાલ ઊભા કર્યા છે. બિલકિસ બાનો કેસમાં દોષીઓને મુક્ત કરવા પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે, આ દોષીઓને મોતની સજા બાદ વાળો દંડ કે આજીવન કેદની સજા મળી હતી. એવામાં તેઓ 14 વર્ષની સજા ભોગવીને કેવી રીતે મુક્ત થયા? ગુજરાત સરકારને પૂછવામાં આવ્યું કે, 14 વર્ષની સજા બાદ મુક્તિની રાહત બાકી કેદીઓને કેમ ન મળી? ગુજરાત સરકારે ચૂંટણી અગાઉ બિલકિસ કેસના 11 દોષીઓને મુક્ત કરી દીધા હતા.

ત્યારબાદ ખૂબ મોટો હોબાળો ઊભો થયો હતો. ત્યારે ગોધરાના ભાજપના ધારાસભ્યએ સંસ્કારી બ્રાહ્મણ કહીને તેમનો બચાવ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગારત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાની બેન્ચે પોતાની મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે, જેલો કેદીઓથી ભરેલી પડી છે તો તેમને સુધરવાનો અવસર કેમ ન આપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, બિલકિસના દોષીઓ માટે જેલ એડવાઇઝરી કમિટી કયા આધાર પર બની? એડવાઇઝરી કમિટીની જાણકારી આપો.

કોર્ટે સરકારને પૂછ્યું કે, જ્યારે ગોધરાની કોર્ટે ટ્રાયલ ન કર્યું તો તેની પાસે મંતવ્ય કેમ માગવામાં આવ્યા? બિલકિસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી હવે 24 ઑગસ્ટે થશે. ગુજરાત સરકાર તરફથી ઉપસ્થિત થયેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એવી રાજૂએ કોર્ટને જણાવ્યું કે, રાજ્ય સુપ્રીમ કોર્ટના 13 મેના નિર્ણયનું પાલન કરવા માટે બાધ્ય છે જે દોષીઓમાંથી એક રાધેશ્યામ ભગવાનદાસ શાહના કેસમાં પાસ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યને નિર્ણય લેવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે, રાજ્યએ દંડ પ્રક્રિયા સંહિતાની કલમ 432 હેઠળ છૂટની પ્રક્રિયાનું પાલન કર્યું અને 3 જૂનના રોજ ગોધરા કોર્ટના પીઠાસીન ન્યાયાધીશનું મંતવ્ય લેવામાં આવ્યું અને એક જેલ સલાહકાર સમિતિની રચના કરી, જેણે સ્થાનિક પોલીસના મંતવ્ય પર વિચાર કર્યો. જેલ અધિક્ષક અને નીચલી કોર્ટના ન્યાયાધીશે ગયા વર્ષે 10 ઑગસ્ટે કેદીઓને મુક્ત કરવાની ભલામણ કરી હતી.

વર્ષ 2002માં ગોધરા દંગાઓ દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ થયો હતો. તેના પરિવારના 7 લોકોની હત્યા થઈ હતી. આ કેસમાં 11 લોકો દોષી સાબિત થયા હતા, પરંતુ ગયા વર્ષે 15 ઑગસ્ટ 2022ના રોજ ગુજરાત સરકારની એક કમિટીના રિપોર્ટ બાદ આ બધા દોષીઓને સમય પહેલા જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. આ દોષીઓની મુક્તિ પર તેમનું ફૂલ-માળાઓથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ દોષીઓની મુક્તિ પર બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ કેસની નિયમિત સુનાવણી થઈ રહી છે.    

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.