ભાજપે 6 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા, જાણો કઈ બેઠકથી કોનું નામ જાહેર થયું

ગુજરાતની ખાલી પડેલી વિધાનસભાની લુણાવાડા, અમરાઇવાડી, ખેરાલુ, રાધનપુર, બાયડ અને થરાદ બેઠક પર 21 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરના રોજ આ પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ પેટાચૂંટણીને લઈ ભાજપ દ્વારા 29 સપ્ટેબમરના રોજ મોડી રાત્રે 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.

આ 6 ઉમેદવારમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી અને ધવલસિંહ ઝાલાને બાયડ બેઠક પરથી મેદાને ઉતારવામાં આવ્યા છે.

રાજકીય લોબીમાં ચર્ચાનો વિષય બની રહેલી થરાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની સામે ભાજપે જીવરાજ પટેલને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પરથી શંકર ચૌધરીનું નામ પણ આવી રહ્યું હતું પરંતુ અંતે તેમનું પત્તુ કપાયું છે. જે બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી તે ખેરાલુ બેઠક પરથી ભાજપ દ્વારા અજમલ ઠાકોરને ટિકિટ આપવામાં આવે છે.

અમદાવાદની અમરાઈવાડી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલની સામે ભાજપે જગદીશ પટેલને મેદાને ઉતાર્યા છે.

લુણાવાડા બેઠક પરથી ભાજપ દ્વારા જીગ્નેશ સેવકની પસંદગી કરવામાં આવી છે. આ બેઠક પરથી કોંગ્રેસે ગુલાબસિંહ ચૌધરીને ટિકિટ આપી છે.

આજે ભાજપના આ ઉમેદવારો ભાજપના નેતાઓની હાજરીમાં ઉમેદવારી નોંધાવશે અને પછી મત વિસ્તારના લોકોનો વિશ્વાસ જીતવા માટે પ્રચાર શરૂ કરશે.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.