BJP MLAએ કહ્યું- સ્વામિનારાયણ સંસ્થા પૈસા ભેગા કરવાની સંસ્થા છે, હું સોખડા...

સારંગપુર મંદિર પરિસરમાં આવેલી બજરંગબલીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે બનેલા વિવાદિત ભીંતચિત્રોને હટાવી દેવામાં આવ્યા છે. જો કે, સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ રહેલા છે. સારંગપુર મંદિરમાંથી માત્ર ભીંતચિત્રોને હટાવતા અનેક સાધુ-સંતો નારાજ છે. તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ-સંતો કહી રહ્યા છે. થોડા દિવસો અગાઉ સારંગપુરમાં વિવાદ વકર્યો હતો. બજરંગબલીને સ્વામી નારાયણના ભક્ત બતાવાતા વિવાદ ઉત્પન્ન થઈ ગયો હતો.

હવે સ્વામી નારાયણ સંપ્રદાયને લઈને કાલોલના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા. કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યભિચારી. હું એક વખત સોખડા ગયો હતો. સત્સંગમાં મેં કહ્યું કે, તમે સદ્વગુરુના માણસો છો, એકે કહ્યું ના. કેમ? જન્મ ક્યાંથી થયો. જેને જેને સદ્વગુરુનો દોષ લાગ્યો, એ ધરતી પર રહ્યા નથી. આ સંપ્રદાય કોઈ જ્ઞાનનો અખાડો નથી. સ્વામિનારાયણ સંસ્થા છે. કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યભિચારી. રોજ સમાચાર આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અનેક મંદિરોમાં ઝઘડા થયા છે. આપણા દેવી-દેવતાઓના નામ પર સંપ્રદાય ચલાવે છે. અભણ લોકોને કહે છે, સહજાનંદ સ્વામી આખા બ્રહ્માંડના માલિક છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાય સંપ્રદાયને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ દેવી-દેવતાઓ વિરુદ્ધ બફાટ કરી રહ્યા છે.

વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ કહી રહ્યા છે કે, દેવી-દેવતા કાઢવાના છે, ભગવાનની આજ્ઞા છે, આ જે કંઈ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો. ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કૂરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. સ્વામિનારાયણ ભગવાન આપણો આખો ધર્મ અલગ કરી રહ્યા છે. હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી-દેવતાને માનતા નથી, તેઓએ સ્વામિનારાયણ ભગવાન સ્વીકારશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.