જૂનાગઢમાં મોહરમ પર અનોખી એકતા, હિન્દુ-મુસ્લિમ બહેનો બેડામાં દૂધ ભરીને જોડાઈ

ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર મોહરમની જૂનાગઢમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. આ પર્વ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. વર્ષો પહેલા નવાબ દ્વારા સૈયદ પરિવારને ભેટ તરીકે આપવામાં આવેલી ચાંદીની સેજ આજે પણ દર મોહરમમાં બહાર પડે છે અને હજારો હિન્દુ-મુસ્લિમ નાગરિકો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા ઉમટી પડે છે.

મોહરમ પવિત્ર તહેવાર છે, જે હઝરત મુહમ્મદ પયગંબરના દોહિત્ર ઇમામ હુસેન અને તેમના પરિવારજનોની કરબલા ખાતે 680 ખ્રિસ્તાબ્દના રોજ થયેલી શહીદીની યાદમાં મનાવવામાં આવે છે. કરબલાની આ ઘટનાએ સત્ય અને ન્યાય માટે શહીદ થવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Muharram
news18.com

જૂનાગઢના લિમડા ચોક નજીક આવેલ 'સેજનો ઓટો' વિસ્તારમાં દર વર્ષે મોહરમના નવમો અને દસમો દિવસે ખાસ રીતે ચાંદીની સેજ કાઢવામાં આવે છે. આશરે 300 વર્ષથી સૈયદ પરિવાર આ સેજની સંભાળ અને પરંપરા જાળવી રહ્યો છે. આ પ્રસંગે ચાર ચોકમાં સેજને સાત ચક્કરો ફેરવવામાં આવે છે, જેમાં હિન્દુ-મુસ્લિમ બહેનો બેડામાં દૂધ ભરીને જોડાય છે.

Muharram1
news18.com

ચાંદીની સેજમાં રહેલા મોતીને લઈ એક ખાસ માન્યતા પણ છે. એવું માનવામાં આવે છે કે આ મોતી પાસે રાખવાથી બાધાઓ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. લોકો અહીં દૂધ તેમજ વિવિધ ચઢાવા સાથે પોતાની મન્નતો પ્રગટ કરે છે.

Muharram2
news18.com

આ રીતે મોહરમ દરમિયાન જૂનાગઢમાં ધર્મની હદો વળી કોમી એકતા અને ભાઈચારાનું અનોખું દૃશ્ય સર્જાય છે. હિંદુ અને મુસ્લિમ સમુદાય સાથે મળીને આ ઐતિહાસિક પરંપરાને જીવંત રાખે છે – જે નવાબના સમયથી આજદિન સુધી અવિરત ચાલતી આવી છે.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.