PM મોદીના પોસ્ટર ફાડવા બદલ ગુજરાત કોંગ્રેસના MLAને સજા

હાલના સમયમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભાની સભ્યતા રદ્દ થવાનો મામલો હજુ થાળે નથી પડ્યો કે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. નવસારીની એક કોર્ટ દ્વારા વર્ષ 2017ના એક કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર 99 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ તેમના પર નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિના રૂમમાં પ્રવેશ કરવા અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ફાડવાના કેસમાં ફટકાર્યો છે.

એડિશનલ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ વી.એ. ધધલની કોર્ટ દ્વારા વાંસદા (અનુસૂચિત જાતિ) સીટ પરથી ધારાસભ્ય અનંત પટેલને ભારતીય દંડ સંહિતતા (IPC)ની કલમ 447 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા અને તેમના પર આ દંડ લગાવવામાં આવ્યો. રિપોર્ટ્સ મુજબ, જલાલપુર પોલીસ તરફથી મે 2017માં અનંત પટેલ અને યુવા કોંગ્રેસના સભ્યો સહિત અન્ય 6 લોકો પર IPCની કલમ 143 (ગેરકાયદેસર વિધાનસભા), 353 (હુમલો), 427 (શરારતથી 50 રૂપિયાથી વધુની હાનિ), 447 (ગુનાહિત આચરણ) અને 504 (જાણીજોઇને અપમાન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

શું છે આખો કેસ?

અનંત પટેલ અને અન્ય પર એક વિદ્યાર્થી વિરોધ દરમિયાન નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિની ઓફિસમાં પ્રવેશ કરવા, અનિયંત્રિત રીતે વ્યવહાર કરવા અને વાઇસ ચાન્સેલર (VC)ના મેજ પર રાખેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ફાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કોર્ટે ત્રણ આરોપીઓએ ગુનાહિત આચરણના દોષી ઠેરવ્યા અને 99 રૂપિયાનો દંડ જમા કરવાનો આદેશ આપ્યો છે. જો તેઓ દંડ આપવામાં નિષ્ફળ રહે છે તો તેમને 7 દિવસની સામાન્ય જેલનો સામનો કરવો પડશે.

આ કેસમાં ફરિયાદી પક્ષે અનંત પટેલ માટે IPCની કલમ 447 હેઠળ મહત્તમ સજાની માગ કરી હતી, જેમાં 3 મહિનાની જેલ અને 500 રૂપિયા દંડ છે. તેના પર બચાવ પક્ષના વકીલે દલીલ કરી કે આ ફરિયાદ રાજનૈતિક બદલાનું પરિણામ છે. એવું એટલે છે કેમ કે આરોપી વિપક્ષી પાર્ટીના ધારાસભ્ય છે. કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું કે, જો કે, આ ગુના માટે 3 મહિનાની જેલ અને 500 રૂપિયાનું પ્રવધાન છે. તેઓ વિદ્યાર્થીઓનો પક્ષ લેતા એક સારા ઉદ્દેશ્યથી યુનિવર્સિટી ગયા હતા, પરંતુ તેમની રીત યોગ્ય નહોતી એટલે તેમને સજા આપવી જરૂરી નથી. માત્ર દંડ લઈને છોડવું જ ન્યાય હશે અને ભવિષ્યમાં લોકો ભીડની માનસિકતાનું પાલન ન કરે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.