PM-SETUના દેશવ્યાપી વિસ્તરણ સાથે રૂ. 1,237.58 કરોડના ITI રૂપાંતરણ માટે AM/NS India સહિતના દેશના ભાગીદારો આગળ આવ્યા

સૂરત: 07 JUL 2026, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE) ના સચિવ દેબાશ્રી મુખર્જીના અધ્યક્ષપદ હેઠળ આજે 'પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ આઈટીઆઈ' (PM-SETU)ની ચોથી નેશનલ સ્ટીયરિંગ કમિટી (NSC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીજી-ડીજીટી (DG-DGT) દિલીપ કુમાર અને સંયુક્ત સચિવ માનસી સહાય ઠાકુર તેમજ રાજ્ય સરકારોના વરિષ્ઠ પ્રતિનિધિઓ, બહુપક્ષીય વિકાસ ભાગીદારો, ઉદ્યોગ અગ્રણીઓ અને અન્ય મુખ્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, સમિતિએ પીએમ-સેતુને તેના પાયલોટ તબક્કામાંથી બહાર લાવીને તમામ 200 ઓળખાયેલા આઈટીઆઈ ક્લસ્ટરોમાં દેશવ્યાપી રોલઆઉટ કરવા માટે મંજૂરી આપી છે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઉદ્યોગની સજ્જતા અને અમલીકરણ ક્ષમતાના આધારે તેનો અમલ શરૂ કરવા સક્ષમ બનાવશે. સમિતિએ અમલીકરણને સરળ બનાવવા, ઉદ્યોગોની ભાગીદારી વધારવા, જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) ની વધુ સંડોવણીને પ્રોત્સાહિત કરવા અને પીએમ-સેતુના અમલીકરણને ટેકો આપતા સંસ્થાકીય ઇકોસિસ્ટમનો વિસ્તાર કરવાના પગલાંને પણ મંજૂરી આપી છે.

આ બેઠકનું સૌથી મુખ્ય પરિણામ ₹1,237.58 કરોડના સંયુક્ત ખર્ચ ધરાવતી વ્યૂહાત્મક રોકાણ યોજનાઓ (SIPs) ની મંજૂરી હતી, જેમાં અગ્રણી તરીકે ગુજરાતમાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા 'મુખ્ય ઉદ્યોગ ભાગીદારો’ તરીકે આગળ આવ્યા છે. સંબંધિત રાજ્ય સ્ટીયરિંગ કમિટીઓ દ્વારા ભલામણ કરાયેલી આ વ્યૂહાત્મક રોકાણ યોજનાઓ (SIPs) દેશભરમાં બહુવિધ આઈટીઆઈ ક્લસ્ટરોના ઉદ્યોગ-સંચાલિત અપગ્રેડેશન માટેનો માર્ગ મોકળો કરે છે.

ગુજરાત મંજૂર કરાયેલા ITI ક્લસ્ટરમાં સરકારી ITI સુરત 'હબ' (Hub) તરીકે અને સરકારી ITI હજીરા, સરકારી ITI બારડોલી, સરકારી ITI સચિન તેમજ સરકારી ITI સુરત (મહિલા) 'સ્પોક્સ' તરીકે સામેલ છે. મેસર્સ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાને રૂ.240.18 કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવી છે.

AM/NS India, ન્યૂ એજ મેકર્સ’ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NAMTECH) સાથે ભાગીદારીમાં પ્રોજેક્ટ અમલમાં મૂકશે, જેમાં ઉદ્યોગ નિષ્ણાંત અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને એકત્રિત કરીને ભારતના મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક વૃદ્ધિના લક્ષ્યો સાથે સુસંગત તેવા ભવિષ્ય માટે વર્કફોર્સ તૈયાર કરવામાં આવશે.

યોજના વિશે: પીએમ-સેતુ એ સરકારની મુખ્ય ફ્લેગશિપ યોજનાઓમાંથી એક છે જેનો હેતુ મજબૂત ઉદ્યોગ ભાગીદારી, અપગ્રેડ કરેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભવિષ્ય માટે સજ્જ અભ્યાસક્રમો અને બહેતર રોજગાર પરિણામો દ્વારા ભારતના આઈટીઆઈ ઇકોસિસ્ટમને આધુનિક બનાવવાનો છે.

About The Author

Related Posts

Top News

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

રાજસ્થાનની શાળાઓની આસપાસ ચિપ્સ અને ઠંડા પીણાં વેચાશે નહીં; જંક ફૂડ પર પ્રતિબંધ

રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસને ધ્યાનમાં રાખીને, હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે. કોર્ટે રાજ્યભરની શાળાની કેન્ટીનમાં અને...
National 
રાજસ્થાનની શાળાઓની આસપાસ ચિપ્સ અને ઠંડા પીણાં વેચાશે નહીં; જંક ફૂડ પર પ્રતિબંધ

સુરતમાં 7 વૃક્ષોને રાતોરાત કેમ કાપી નાંખવામાં આવ્યા?

એક તરફ સુરત મહાનગરપાલિકા શહેરમાં 75 લાખ વૃક્ષો વાવવાનો દાવો કરી રહી છે, 50 હજાર નવા રોપા ખરીદવાની તૈયારી...
Gujarat 
સુરતમાં 7 વૃક્ષોને રાતોરાત કેમ કાપી નાંખવામાં આવ્યા?

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.